Browsing all articles from October, 2009
F-R-I-E-N-D-S again…
તો હમણાં "હાઊ આઈ મેટ યોર મધર" નામના ટીવી શોની ચાર સીઝન "બેક ટુ બેક" જોઈ.પણ એ પત્યા પછી બહુ મુસીબત થઈ ગઈ.લોસ્ટ જોવાઈ ગયું...ધ બિગ બેન્ગ થીયરી જોવાઈ ગયું...ફ્રેન્ડ્સ જોવાઈ ગયું...ફિલ્મો હવે કંટાલો કરાવે છે...બૂક્સમાં હેરી પોટર જેવી મજા નથી આવતી...તો હવે કરું શું.આખું દિવાળી વેકેશન હજુ તો બાકી હતું...છેવટે કંટાળીને "F-R-I-E-N-D-S" ટીવી શોની પહેલી સીઝન ફરી જોવાની શરૂ કરી...અને "ભાવતું ભોજન ચાખવા જતાંકારનામા
ઘણા સમયથી આ લેખ લખવાનો વિચાર હતો પણ સમય અને આળસના અભાવે રહી જતો હતો.... હવે નવા વર્ષના સંકલ્પને લીધે આળસ ખંખેરીને આ લેખ લખ્યો છે.........
કહે છે ને કે કોઈક વસ્તુને દિલથી ચાહો તો આખી દુનિયા તમને એ વસ્તુ આપવા માટે મહેનત કરવામા લાગી જતી હોય છે... આવું જ કૈક થયું હમણાં અમારા ઘરમા.... મારી મમ્મીની વર્ષોની અને મારી પાછલા થોડા વર્ષોની ઈચ્છા હતી કે ઘેર ગાડી.. કાર હોય એમ... પણ અમારા પપ્પા ને ખબર નહિ શું એલર્જી હતી કારની કે સગવડ હોવા છતાં લેતા નહોતા... અમારા સહીત અમારા ઘણા સગા-વહાલાને આ વાતનું અચરજ હજી પણ છે કે કેમ પપ્પા એ આટલા વર્ષોથી કેમ કાર લીધી નથી........ બાકી પપ્પા એમ શોખીન છે... પણ હમણાં મને એ વાત સમજાણી છે કે પપ્પા કાર કેમ નહોતા લેતા... એ એમનું કાર લેવાનું માની ગયા પછી મારી સમજણમાં આવ્યું છે... પપ્પા મારી મુંબઈમાં નોકરી લાગ્યા પછી જ કાર લેવા માટે રાજી થયા.... એમને મારા પર ક્યારેય ભરોસો નહોતો કે આ છોકરો જિંદગીમાં ક્યાંક કશુક ઉકાળશે... જો કે એમ તો હું કોલેજમાં હતો ત્યારે મને પણ થતું હતું કે મારું શું થશે.. આટલી લાંબી જિંદગી કેમની જશે.... પણ હશે... રામ રાખે ને કોણ મારે.... એટલે પપ્પાને મારી મુંબઈની નોકરી પછી ભરોસો બેઠો કે હવે આની ચિંતા કરવા જેવી નથી... તો એને માટે જે રૂપિયા બચાવ્યા છે એનાથી કાર લઇ શકાય.. અને એટલે જ એ તૈયાર થયા..... મારા આગ્રહ નું કારણ મારો અંગત લાભ પણ ખરો... હવે હું દર શનિ-રવિ સુરત જાવ છુ તો કાર માં ફરી શકાય એમ... ....હવે કાર લેવા નું નક્કી તો થયું... પણ કઈ લેવી... આજ કાલ પસંદગી માટે ઘણી બધી કાર બજારમાં ઉપલબ્ધ છે.... અને લોકો તો હોય જ છે સલાહો આપવા માટે.... મફતની.. વણમાગી.. જાત જાતની સલાહો.... મારો વિચાર તો નવી લેવાનો જ હતો... પણ અમારા હિતેછુંઓ કીધું કે પેહલા જૂની લો.... કારણ મારે અને પપ્પાને બેય ને કાર શીખવા ની હતી... આવડતી નહોતી... કહે કે ૬ મહિના તો થાય જ પૂરી શીખીને કંટ્રોલ આવતા... એટલે અમે લોકો જૂની કાર જોવાનું શરુ કર્યું... એમાં અમારા સાળા સાહેબ હેરાન થઇ ગયા.... સાળા સાહેબ કારનું જ ગેરેજ ચલાવે છે... એટલે હવે જૂની કાર લેવી હોય તો તપાસ તો કરાવી,કરવી પડે ને કોઈ મીકેનીક પાસે.. હવે ઘરના જ મિકેનિક હોય એટલે પછી બહાર કોને કેહવું.. એટલે અમારા પિતાશ્રીને કોઈ ગાડી બતાવે એટલે એ તરત જ મોબાઈલ કરે મારા સાળા ને કે આવી જાવ... ત્યારે મારા સાળાને થયું હશે કે આ મોબાઈલ બેકાર વસ્તુ છે... કેમ-કે પાપા એ એને ૨૦-૨૫ વાર ધક્કા ખવડાવ્યા હશે... અને પાછુ પાપાને જેવી તેવી તો કોઈ વસ્તુ ગમે નહિ.... એટલે કોઈ ગાડી પસંદ જ ના આવે... પછી મેં લાગ જોઈને કીધું કે પપ્પા .... નવી જ લઇ લો ને..... અને અને અને... એ માની પણ ગયા..
હવે મજા આવી.... હવે અમે જઈએ બધી ગાડીની દુકાનો માં..... સેલ્સમેન ગાડી બતાવે ને પછી કહે કે ટેસ્ટ ડ્રાઈવ લઇ લો .... બધા લેતા જ હોય છે... હવે ત્યારે હું અને પાપા એક-બીજાની સામે જોઈએ... પછી હું થોડો પ્રમાણિક ખરો એટલે તરત કહી દવ કે ભાઈ ગાડીતો અમને બેમાં થી કોઈને નથી આવડતી... એટલે પેલાનું મોંઢું જોવા જેવું હોય.... મનમાં તો કહેતો હશે કે તો શું જખ મારવા આવ્યા છો... કે પછી ખાલી અમારો સમય પસાર કરવા આવ્યા છો... મને એમ કે આવું સાંભળ્યા પછી એનો રસ જ ઉડી જશે ગાડી બતાવાનો... પણ સેલ્સમેન લોકોનું કેહવું પડે... થોડી સેકન્ડો ના આઘાત પછી એ તરત જ સવ્સથતા ધારણ કરી લે... ને પછી ગાડી ત્યાં ઉભા ઉભા જ બતાવે... આ જોયા પછી તો પપ્પા પણ કહી દેવા લાગ્યા કે ભાઈ ગાડી તો અમે લોકો શીખી રહ્યા છે.. હજી આવડતી નથી....
પણ અમારા.. ખાસ કરી ને મારા.... નસીબ ખરાબ કે એક સગા એ કોઈક જૂની ગાડી બતાવી પપ્પાને.. અને પપ્પાના નસીબ જોગે અને મારા બદનસીબે અમારા સાળા સાહેબ એ ગાડીને પાસ પણ કરી દીધી... કદાચ એ પણ કંટાળ્યો હશે કે હવે કેટલી નાપાસ કરવી... નાપાસ કરવામાં એને જ ધક્કા ખાવા પડે છે.. (જોકે આ તો હું એમ જ મજાક માં કહું છુ... બાકી એની નિયત પર શક કરવા જેવું છે નહિ..) અને આ રીતે ઘણા વર્ષે અમારા ઘર આંગણે ગાડી નું પારણું થયું.. પણ ગાડી લેવા જવાની હતી ત્યારે અમારા ફોઈ ના છોકરા ને બોલાવો પડ્યો... અમને તો ગાડી આવડતી નહોતી... મમ્મી કહે મહુરત જોઈને લાવ જે.. મેં કીધું ભાઈ પપ્પાએ જે ક્ષણે ગાડી લેવા નું નક્કી કર્યું એ ક્ષણ જ મારા માટે તો સારા મહુરત ની હતી... હવે બધું સારું જ છે.....
જો કે હવે તો હું ગાડી શીખી ગયો છુ... એવું મને લાગે છે.. પણ હજી મારા એકાદ-બે મિત્રો અને પિતરાઈ ભાઈ શંકા કરે છે... અને એમાં જ મારો દિવાળી વેકેશનમાં પાવાગઢ જવાનો પ્લાન રદ થયો.... જોઈએ હવે... લોકોને ક્યારે ભરોસો આવે છે.....
પણ એક વાત છે હો કે.. ગાડી ચલાવાની મજા બહુ આવે હો કે... તમારી પાસે જો સગવડ હોય તો અમારી જેમ... નહિ નહિ.... પપ્પાની જેમ વર્ષો સુધી રાહ ના જોતા લઇ જ લેશો... પછી કોને ખબર તબિયતને લીધે ગાડી ચલાવી ના શકો.. પપ્પા ની જેમ જ સ્તો....
હવે મજા આવી.... હવે અમે જઈએ બધી ગાડીની દુકાનો માં..... સેલ્સમેન ગાડી બતાવે ને પછી કહે કે ટેસ્ટ ડ્રાઈવ લઇ લો .... બધા લેતા જ હોય છે... હવે ત્યારે હું અને પાપા એક-બીજાની સામે જોઈએ... પછી હું થોડો પ્રમાણિક ખરો એટલે તરત કહી દવ કે ભાઈ ગાડીતો અમને બેમાં થી કોઈને નથી આવડતી... એટલે પેલાનું મોંઢું જોવા જેવું હોય.... મનમાં તો કહેતો હશે કે તો શું જખ મારવા આવ્યા છો... કે પછી ખાલી અમારો સમય પસાર કરવા આવ્યા છો... મને એમ કે આવું સાંભળ્યા પછી એનો રસ જ ઉડી જશે ગાડી બતાવાનો... પણ સેલ્સમેન લોકોનું કેહવું પડે... થોડી સેકન્ડો ના આઘાત પછી એ તરત જ સવ્સથતા ધારણ કરી લે... ને પછી ગાડી ત્યાં ઉભા ઉભા જ બતાવે... આ જોયા પછી તો પપ્પા પણ કહી દેવા લાગ્યા કે ભાઈ ગાડી તો અમે લોકો શીખી રહ્યા છે.. હજી આવડતી નથી....
પણ અમારા.. ખાસ કરી ને મારા.... નસીબ ખરાબ કે એક સગા એ કોઈક જૂની ગાડી બતાવી પપ્પાને.. અને પપ્પાના નસીબ જોગે અને મારા બદનસીબે અમારા સાળા સાહેબ એ ગાડીને પાસ પણ કરી દીધી... કદાચ એ પણ કંટાળ્યો હશે કે હવે કેટલી નાપાસ કરવી... નાપાસ કરવામાં એને જ ધક્કા ખાવા પડે છે.. (જોકે આ તો હું એમ જ મજાક માં કહું છુ... બાકી એની નિયત પર શક કરવા જેવું છે નહિ..) અને આ રીતે ઘણા વર્ષે અમારા ઘર આંગણે ગાડી નું પારણું થયું.. પણ ગાડી લેવા જવાની હતી ત્યારે અમારા ફોઈ ના છોકરા ને બોલાવો પડ્યો... અમને તો ગાડી આવડતી નહોતી... મમ્મી કહે મહુરત જોઈને લાવ જે.. મેં કીધું ભાઈ પપ્પાએ જે ક્ષણે ગાડી લેવા નું નક્કી કર્યું એ ક્ષણ જ મારા માટે તો સારા મહુરત ની હતી... હવે બધું સારું જ છે.....
જો કે હવે તો હું ગાડી શીખી ગયો છુ... એવું મને લાગે છે.. પણ હજી મારા એકાદ-બે મિત્રો અને પિતરાઈ ભાઈ શંકા કરે છે... અને એમાં જ મારો દિવાળી વેકેશનમાં પાવાગઢ જવાનો પ્લાન રદ થયો.... જોઈએ હવે... લોકોને ક્યારે ભરોસો આવે છે.....
પણ એક વાત છે હો કે.. ગાડી ચલાવાની મજા બહુ આવે હો કે... તમારી પાસે જો સગવડ હોય તો અમારી જેમ... નહિ નહિ.... પપ્પાની જેમ વર્ષો સુધી રાહ ના જોતા લઇ જ લેશો... પછી કોને ખબર તબિયતને લીધે ગાડી ચલાવી ના શકો.. પપ્પા ની જેમ જ સ્તો....
સાતેરાની મુલાકાતે
આ દિવાળીએ ભારતભ્રમણ યોગ હતો. ગામ હિંમતનગર, વતન એકલારા, સાસરી માણસા અને કાઠિયાવાડ યાત્રા-પ્રવાસ થી અઠ્યાવિસ દિવસનુ આયોજન ભરચક હતુ. મારા વતન એકલારાની મુલાકાત દરમિયાન એક ખાસ ઇચ્છા ફળીભૂત થઈ તે સપ્તેશ્વરદાદા ના દર્શન કરવાની. મારા માટે બહુ ધાર્મિક નહી તો પ્રાકૃતિક મહત્વ ધરાવે છે જેની સાથે બાળપણની મબલખ યાદો જોડાયેલ છે. આજે આ તીર્થનો થોડો પરિચય આપતી સંકલિત માહિતી આપું છું. Australiaમાં આવાં કોઈ પૌરાણિક સ્થળો જે બસો વર્ષથી જૂનાં હૉય તેના વિશે ખબર હૉય તો કહેજો!
અમદાવાદથી લગભગ ૧૦૦ કિ.મી.નાં અંતરે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના આરસોડીયા ગામની એકથી બે કિ.મી. ની અંતરે સાબરમતી નદીના પવિત્ર કાંઠા ઉપર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતું આ સ્થળ લોકબોલીમાં સાતેરા તરીકે ઓળખાય છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઈડર થી ૩ર. કિ.મી અને હિંમતનગરથી ૩૦ કિ.મી. સામે કિનારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર. કિ.મી અંતરે આ સ્થળ આવેલું છે.
સપ્તેશ્વર નામ પરથીજ ખ્યાલ આવી જાય છે કે શિવલિંગનું સ્થળ છે. અહીં મહાદેવનું મંદિર છે જેમાં શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે અને કુદરતી રીતે શિવલિંગનું પ્રક્ષાલન કરે છે. આ ધારાઓ ક્યાંથી આવે છે એ કોઈ નેય ખબર નથી. જળાધારીનુ આ પાણી વહીને બહારના એક કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે છે.
આ સ્થળ વિષે વિશેષ કશું જાણવા મળતું નથી. માત્ર એટલું જ કે અહી સાત ઋષિઓએ તપશ્ચર્યા કરી હતી. આપણા ધર્મગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે આ સાત ઋષીઓ તો કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ, અને ગૌતમ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. કેટલાય વર્ષોથી લોકો આ વાત જાણીને અહી સપ્તર્ષિ શિવલિંગ ના દર્શનાર્થે આવતા રહે છે અને પૂજા કરીને પોતાને ધન્ય માને છે. સાત મહર્ષિઓ ની આ તપોભૂમિ સપ્તનાથ (સપ્તેશ્વર) તીર્થના દર્શને દરરોજ અનેક યાત્રાળુઓ આવે છે. શ્રાવણ માસમાં અને અમાસેએ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. શ્રાવણના છેલ્લા સોમવારે સપ્તેશ્વર મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે જ્યાં શ્રધ્ધાળુઓ દ્વારા પૂજાઅર્ચના કરવામાં આવે છે.
અહી રમણીયતા ચોમેર ચવાયેલી છે વધુમાં રાધા-કૃષ્ણનું કાચનું મંદિર, ધર્મશાળા, ઘરડાં ઘર, હોટલ અને રસોડાની સગવડ છે. તેથી આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણં છે. તીર્થથી બિલકુલ નજીક બનેલા બે જિલ્લાઓને જોડતા નવા પુલને કારણે આ સ્થળ વધુ સુગમ બન્યું છે. વર્ષ દરમિયાન અમદાવાદ અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.
મહાભારતના આદિ પર્વમાં જોવામાં આવે છે કે આ સપ્તઋષિઓ (સપ્તર્ષિઓ) પાંડવ વીર અર્જુનના જન્મ સમયે ઉપસ્થિત હતા ત્યારબાદ મહાભારતના યુદ્ધ વખતે પુનઃ આ સાતેય ઋષિઓએ ભેગા મળીને મહાભારતનું યુદ્ધ બંધ રખાવવા કૌરવ સેનાપતિ દ્રોણાચાર્યને વિનંતી કરી હતી. તે સિવાય અનુસાશન પર્વમાં એ પણ જોવામાં આવે છે કે સપ્તર્ષિઓ મહારથી ભીષ્મની મૃત્યુ શય્યા પાસે હાજર હતા. અનુસાશન પર્વમાં લખેલું છે કે જયારે રાજા વ્રષધરણીએ યજ્ઞથી કૃત્યા નામે એક રાક્ષસણી પેદા કરી હતી. તેને સપ્તર્ષિઓએ પોતે પોતાની ઓળખાણ આપીને તેનાથી છૂટકારો મેળવ્યો હતો. આ ઋષિઓ પર ખોટી રીતે મુસાલની ચોરીનો અને અગત્સ્ય ઋષિની ચોરીનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો એ વાત ખૂબ જ રસપ્રદ છે. વળી આ ઋષિઓ ઈન્દ્રની બધી જ સભાઓ સાથે સંકળાયેલા વાતાવરણમાં આવ્યા છે. આ બધા ઉત્તર દિશાના ઋષિઓ છે તે ઉપરથી એવી ધારણા થાય છે કે આ સાત ઋષિઓનો સંબંધ આકાશમાં આવેલ સપ્તર્ષિ તારામંડળ સાથે તો નથીને? અહી શ્રી સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં ખરેખર આ સાતેય શિવલીંગો જુદા જુદા એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિ જ જોઈ લો. એ પણ શક્ય છે કે જે યુગમાં આ ઋષિઓ અહી પૂજા કરતા હતા તે યુગ માં સપ્તર્ષિ તારની જે સ્થિતિમાં જ શિવલીંગો ની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય. જો આ ધારણા સાચી હોય તો સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના જુદાં જુદાં લિંગો ના સ્થળ તથા અભ્યાસ ઉપરથી એનો ચોક્કસ સમય કાઢવા માં કોઈ મુશ્કેલી રહેશે નહિ. Settlement commissioner કૃષ્ણચંદ્ર સગરનું એમ માનવું છે કે આ માત્ર યોગાનુયોગ ન જ હોય. આ સ્થળ જ એવું છે કે પ્રાચીન સમયની અનેક ઘટનાઓ સાથે તેનો સંબંધ હોવો જોઈએ. તેમનું એમ મંતવ્ય છે કે આ સાતે ઋષિઓનો સમય ઈ.સ. પૂર્વે પંદરમી સદીનો હતો. એટલે કે આજથી લગભગ ૩૪૦૦ વર્ષ પૂર્વે આ સપ્ત ઋષિઓએ ભેગા મળીને તપશ્ચર્યા કરી હોવી જોઈએ.
બે નદીઓના સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતા આ શ્રી સપ્ત શિવલિંગ મહાતીર્થના દર્શને અવશ્ય જવા જેવું છે. આ મહાતીર્થની આજુબાજુનું સૃષ્ટિ સૌંદર્ય એવું છે કે ભગવાન આશુતોષનું ધ્યાન તરતજ લાગી જાય. આ મહાતીર્થની યાત્રાએ આવનારને શાંતિનો અનુભવ અચૂક થતો રહે છે.
સપ્તેશ્વર વિશે 'રવિ' ઉપાધ્યાયનું ઉર્મિગીત
સપ્તનાથના પવિત્ર ધામે જામ્યો કેવો અદભૂત રંગ !
નદી કિનારે મહેરામણ - એ કેવો અલૌકિક સંગ !
શિવલિંગ પર અખંડ અનાદિ,વહે શીતલ જળધારા
સાબરની કોતરની ભૂમિ, સોહે બની રસક્યારા !
પુરાણોની ધર્મભૂમિ આ,આજે કર્મભૂમિ બનતી,
માનવ મનના મનોરથની મંજરીઓ મ્હોરી ઉઠતી
તપો ભૂમિના પુણ્ય પ્રતાપે કળિયુગ પણ દૂર ભાગે
સાબર-ઘેઘૂર, પંખી કલરવ,સ્વર્ગ સમું સુંદર ભાસે.
સત્ય, શીલ સંયમનાં સત્વો યુગયુગ પ્રસ્થાપિત થયાં
વેદમંત્ર, રૂદ્રિ, મહિમ્ન સૌ સ્ત્રોત બની અસ્ખલિત વહ્યાં
જટાજૂટ પર સાબરગંગા શિવજીએ અવિરત ઝીલી
જનકલ્યાણનાં અમી રેલતી, રસ વાટિકા અહીં બની !
એવી મહાભૂમિ તીરે બ્રહ્મબાળ ભેગાં થાતાં
મન મનના સુમેળ થતાંને, દિલડાં સહુનાં હરખાતાં
જ્ઞાતિ સંસ્થા, બ્રહ્મ- જ્ઞાનની કરતી વર્ષોથી લ્હાણી
આ શુભ દિને માંગલ્યોની થાતી અહીં ઉજાણી-
સંસ્થાનો ઇતિહાસ છે ઉજ્વલ, ગૌરવવંતી છે ગાથા
ભૂતકાળનું ભવ્ય છે ભાથું, ભવિષ્યને જે દે વાચા
વિદ્યા દ્વારા બ્રહ્મતેજને દિશ દિશમાં ફેલાવ્યું
જ્ઞાન-દીપથી તિમિર ટળ્યું, સંસ્કાર – અમી રેલાયું
સપ્તેશ્વરના સુભક્તો, ને મહાસપૂતો સાબરના
કષ્ટ વેઠી સંસ્થા સ્થાપી, પહોંચ્યા જઇ તટ સાગરના
રોષ, દોષ, કે ક્લેશ દ્વેષ ના હૈયે કદી લવલેશ હતા
"સેવાધર્મો પરમગહનો -- મહામંત્ર અનિમેષ હતાં
સંસ્કારોનું બી મ્હોર્યું ને - ઘટાદાર વટવૃક્ષ બન્યું.
જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીનું માતપિતા શિર છત્ર બન્યું.
વિદ્યાજ્ઞાન થકી દિક્ષીત થૈ જીવનજંગે ઝૂકાવ્યું
એક એકથી ચડિયાતા થૈ સંસ્થા નામ દીપાવ્યું.
એવાં ફાલ સંસ્થાએ ફળાવ્યાં, વડીલોએ બી બોયાં’તા
વિદ્યાદાન કાજે તનમનધન નિ:સ્વાર્થ ભાવે પ્રોયાં‘તાં.
વડીલોનીએ શુભાશિષને આપણ સહું સફળ કરીએ
જ્ઞાન કમલની ઇષ્ટ પરાગે ભેળાં મળી પમરીએ.
કોઇ રહેના એવાં પ્રશ્નો ઉકેલ જેનો જડે નહીં
મનનાં દ્વાર મૂકો સૌ ખુલ્લાં રૂકાવટ કોઇ નડે નહીં.
પંથપંથના ભેદના રાખો,ઐક્ય સમાન મહાસુખ ના
હૈયે હૈયે પ્રગટો દીપક સુપૂત સહું સાબરકૂખના .
શ્રધ્ધાના શુભ સંકલ્પોથી આજે સુદ્રુઢ બનીએ-
વિશ્વાસોના અભિષેકથી સપ્તેશ્વર રીઝવીએ –
મન, હ્રદયથીપુલકિત બનીએ, ૐ નમ: શિવાય ઉચ્ચરીયે..
સપ્તનાથના પવિત્ર ધામે જામ્યો કેવો અદભૂત રંગ !
નદી કિનારે મહેરામણ - એ કેવો અલૌકિક સંગ !
શિવલિંગ પર અખંડ અનાદિ,વહે શીતલ જળધારા
સાબરની કોતરની ભૂમિ, સોહે બની રસક્યારા !
પુરાણોની ધર્મભૂમિ આ,આજે કર્મભૂમિ બનતી,
માનવ મનના મનોરથની મંજરીઓ મ્હોરી ઉઠતી
તપો ભૂમિના પુણ્ય પ્રતાપે કળિયુગ પણ દૂર ભાગે
સાબર-ઘેઘૂર, પંખી કલરવ,સ્વર્ગ સમું સુંદર ભાસે.
સત્ય, શીલ સંયમનાં સત્વો યુગયુગ પ્રસ્થાપિત થયાં
વેદમંત્ર, રૂદ્રિ, મહિમ્ન સૌ સ્ત્રોત બની અસ્ખલિત વહ્યાં
જટાજૂટ પર સાબરગંગા શિવજીએ અવિરત ઝીલી
જનકલ્યાણનાં અમી રેલતી, રસ વાટિકા અહીં બની !
એવી મહાભૂમિ તીરે બ્રહ્મબાળ ભેગાં થાતાં
મન મનના સુમેળ થતાંને, દિલડાં સહુનાં હરખાતાં
જ્ઞાતિ સંસ્થા, બ્રહ્મ- જ્ઞાનની કરતી વર્ષોથી લ્હાણી
આ શુભ દિને માંગલ્યોની થાતી અહીં ઉજાણી-
સંસ્થાનો ઇતિહાસ છે ઉજ્વલ, ગૌરવવંતી છે ગાથા
ભૂતકાળનું ભવ્ય છે ભાથું, ભવિષ્યને જે દે વાચા
વિદ્યા દ્વારા બ્રહ્મતેજને દિશ દિશમાં ફેલાવ્યું
જ્ઞાન-દીપથી તિમિર ટળ્યું, સંસ્કાર – અમી રેલાયું
સપ્તેશ્વરના સુભક્તો, ને મહાસપૂતો સાબરના
કષ્ટ વેઠી સંસ્થા સ્થાપી, પહોંચ્યા જઇ તટ સાગરના
રોષ, દોષ, કે ક્લેશ દ્વેષ ના હૈયે કદી લવલેશ હતા
"સેવાધર્મો પરમગહનો -- મહામંત્ર અનિમેષ હતાં
સંસ્કારોનું બી મ્હોર્યું ને - ઘટાદાર વટવૃક્ષ બન્યું.
જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીનું માતપિતા શિર છત્ર બન્યું.
વિદ્યાજ્ઞાન થકી દિક્ષીત થૈ જીવનજંગે ઝૂકાવ્યું
એક એકથી ચડિયાતા થૈ સંસ્થા નામ દીપાવ્યું.
એવાં ફાલ સંસ્થાએ ફળાવ્યાં, વડીલોએ બી બોયાં’તા
વિદ્યાદાન કાજે તનમનધન નિ:સ્વાર્થ ભાવે પ્રોયાં‘તાં.
વડીલોનીએ શુભાશિષને આપણ સહું સફળ કરીએ
જ્ઞાન કમલની ઇષ્ટ પરાગે ભેળાં મળી પમરીએ.
કોઇ રહેના એવાં પ્રશ્નો ઉકેલ જેનો જડે નહીં
મનનાં દ્વાર મૂકો સૌ ખુલ્લાં રૂકાવટ કોઇ નડે નહીં.
પંથપંથના ભેદના રાખો,ઐક્ય સમાન મહાસુખ ના
હૈયે હૈયે પ્રગટો દીપક સુપૂત સહું સાબરકૂખના .
શ્રધ્ધાના શુભ સંકલ્પોથી આજે સુદ્રુઢ બનીએ-
વિશ્વાસોના અભિષેકથી સપ્તેશ્વર રીઝવીએ –
મન, હ્રદયથીપુલકિત બનીએ, ૐ નમ: શિવાય ઉચ્ચરીયે..
કવિ : રવિ ઉપાધ્યાય, ‘ રવિ’, (28/5/1982, સપ્તેશ્વર ધામે જ્ઞાતિજનો માટે યોજાયેલ “વિચારવિનિમય શીબીર”માં સહભાગી થવાં જતાં ગુજરાત મેલટ્રેનમાં, રાત્રે 2.00)
માહિતીસ્રોતઃ
- શ્રી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત માહિતીપત્ર: વધુ માહિતી માટે "શ્રી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ" ના હરિભાઈ પુરોહિત (મોબાઈલ) +91-99254-82119 (ઘર-દાવડ) +91-2778-277360 નો સંપર્ક કરવો.
- wikipedia નો પરિચયલેખ
- દિવ્યભાસ્કર નો પરિચયલેખ
- સાબરકાંઠા જિલ્લાની અધિકૃત website પરની માહિતી
- ઇડર તાલુકાની અધિકૃત website પરની માહિતી
- કવિ રવિ ઉપાધ્યાયની કવિતા
It happens only in America….
Charlotte, North Carolina. A lawyer purchased a box of very rare and expensive
cigars, then insured them against, among other things, fire. Within a month,
having smoked his entire stockpile of these great cigars and without yet having
made even his first premium payment on the policy the lawyer filed a claim
against the insurance company.
cigars, then insured them against, among other things, fire. Within a month,
having smoked his entire stockpile of these great cigars and without yet having
made even his first premium payment on the policy the lawyer filed a claim
against the insurance company.
In his claim, the lawyer stated the cigars were lost "in a series of small
fires." The insurance company refused to pay, citing the obvious reason, that
the man had consumed the cigars in the normal fashion.
fires." The insurance company refused to pay, citing the obvious reason, that
the man had consumed the cigars in the normal fashion.
The lawyer sued.. and WON!
(Stay with me.)
Delivering the ruling, the judge agreed with the insurance company that the
claim was frivolous.
claim was frivolous.
The judge stated nevertheless, that the lawyer held a policy from the company,
which it had warranted that the cigars were insurable and also guaranteed that
it would insure them against fire, without defining what is considered to be
unacceptable fire" and was obligated to pay the claim. Rather than endure
lengthy and costly appeal process, the insurance company accepted the ruling and
paid $15,000 to the lawyer for his loss of the cigars lost in the "fires".
which it had warranted that the cigars were insurable and also guaranteed that
it would insure them against fire, without defining what is considered to be
unacceptable fire" and was obligated to pay the claim. Rather than endure
lengthy and costly appeal process, the insurance company accepted the ruling and
paid $15,000 to the lawyer for his loss of the cigars lost in the "fires".
NOW FOR THE BEST PART..
After the lawyer cashed the check, the insurance company had him arrested on 24
counts of ARSON (Arson is the crime of deliberately and maliciously setting fire
to structures or wildland areas.) With his own insurance claim and testimony
from the previous case being used against him, the lawyer was convicted of
intentionally burning his insured property and was sentenced to 24 months in
jail and a $24,000 fine.
counts of ARSON (Arson is the crime of deliberately and maliciously setting fire
to structures or wildland areas.) With his own insurance claim and testimony
from the previous case being used against him, the lawyer was convicted of
intentionally burning his insured property and was sentenced to 24 months in
jail and a $24,000 fine.
This is a true story and was the First Place winner in the recent
Criminal Lawyers Award Contest.
ONLY IN America!
-----------------------------------------------------------------------------------------------------------------
Don't know its true or not.. but if its true.... really drama...
-----------------------------------------------------------------------------------------------------------------
Don't know its true or not.. but if its true.... really drama...
Bye Bye Shepherd…

''મને ક્રિકેટપ્રેમીઓ જાડિયા અમ્પાયર તરીકે નહીં પણ મેચ દરમિયાન સ્કોરબોર્ડ પર નેલ્સન, ડબલ નેલ્સન દેખાતા એક પગ પર કૂદકો મારતા કે નાચતાં અમ્પાયર તરીકે યાદ રાખશે.'' બાય બાય શેપર્ડ....તમારી ધારણા સાચી પડી. તમારા અવસાનના સમાચાર મળ્યાં ત્યારે ક્રિકેટપ્રેમીઓએ તમને જાડિયા અમ્પાયર તરીકે નહીં પણ 'જિગ અમ્પાયર' તરીકે જ યાદ કર્યા. તમે ક્રિકેટમાં રસ ધરાવતો હશો તો 25 ક્રિકેટરના નામ ઝડપથી બોલી જશો, પણ પાંચ અમ્પાયરના નામ યાદ કરવા વિચારવું પડશે. ક્રિકેટપ્રેમીઓના મનમસ્તિષ્કમાં ક્રિકેટરની જેમ જ અંકિત થવાનું સૌભાગ્ય બહુ ઓછા અમ્પાયરને પ્રાપ્ત થયું છે અને તેમાંના એક ડેવિડ શેપર્ડ હતા.
ઇંગ્લેન્ડના આ ભૂતપૂર્વ લોકપ્રિય અમ્પાયરે 68 વર્ષની વયે જીવલેણ બિમારી કેન્સર સામે મેદાન છોડી દીધું અને જીવનરૂપી રંગમંચને કાયમ માટે અલવિદા કહી દીધું. મિત્રો, સસ્તી લોકપ્રિયતા મેળવવી બહુ સહેલી છે અને હરામખોરો તેમાં હથોટી ધરાવતા હોય છે, પણ સન્માનપૂર્વકની લોકપ્રિયતા મેળવવી મુશ્કેલ છે, કારણ કે તેમાં વ્યક્તિને પોતાની જાત પ્રત્યે પ્રામાણિકતા દાખવવી પડે છે. ડેવિડે કાઉન્ટી ક્રિકેટર અને અમ્પાયર તરીકે સાથીદારો અને ક્રિકેટપ્રેમીઓ વચ્ચે સન્માનિય લોકપ્રિયતા મેળવી હતી. તેઓ મેદાન પર ખેલાડીઓના મિત્ર બની જતાં હતાં, પણ કોઈ ખેલાડી તેમના વિવેકને નબળાઈ સમજીને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે તો તેને પ્રેમથી મર્યાદા દેખાડવાની આવડત પણ તેઓ ધરાવતા હતા.
થોડા સમય પહેલાં ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયું હતું. તે વખતે ઇંગ્લેન્ડના કેપ્ટન માઇક આર્થરટોન હતા. એજબસ્ટોનના મેદાન પર સચિન તેંડુલકર પૂરબહારમાં ખીલ્યો હતો અને અંગ્રેજી બોલરો નતમસ્તક થઈ ગયા હતા. આર્થરટોને સચિન પર માનસિક દબાણ લાવવા સ્લેજિંગ શરૂ કર્યું અને મર્યાદા વટાવી ગયો. ડેવિડને આ વાતની જાણ થતાં જ મેદાન પર જ આર્થરટોનનો ઉધડો લઈ લીધો અને ક્રિકેટ જેન્ટલમેનની રમત છે તેના પર લેક્ચર આપી દીધું હતું. તેમની પ્રામાણિકતા પર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ને કેટલો વિશ્વાસ હતો તે વર્ષ 2001માં ઓલ્ડટ્રેફર્ડમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં જોવા મળ્યું હતું.
આ મેચ ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ હતી. તે શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ હતું. આ મેચમાં પાકિસ્તાનનો હાથ ઉપર હતો અને ઇંગ્લેન્ડ મેચ બચાવવા ઝઝૂમતું હતું. મેચના છેલ્લાં દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેન મેચ ડ્રોમાં ખેંચવા પાકિસ્તાનના બોલરોને લડત આપતાં હતા. પણ બન્યું એવું કે પાકિસ્તાનના ઓફ-સ્પિનર સકલીન મુસ્તાકના ત્રણ નો-બોલને પારખવામાં ડેવિડ થાપ ખાઈ ગયા અને આ ત્રણેય બોલમાં ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પડી ગઈ. ઇંગ્લેન્ડ મેચ તો હારી ગયું, પણ શ્રેણી 1-1થી સરભર થઈ ગઈ. આ આખું પ્રકરણ અંગ્રેજી મીડિયામાં ખૂબ ગાજ્યું હતું અને ડેવિડને તેમની ભૂલનો પારાવાર પસ્તાવો હતો. તેમણે ઇસીબીને પત્ર લખી માફી માગી અને અમ્પાયર તરીકે રાજીનામું આપવાની તૈયારી કરી હતી. પણ ઇસીબીએ અને તેમની ભૂલના કારણે મેચ ગુમાવેલી ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ તેમને આવું ન કરવા સમજાવ્યાં હતાં. વેસ્ટ ઇન્ડિઝનો મહાન ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોસે ઇંગ્લેન્ડમાં નિવૃત્ત થયો ત્યારે શેપર્ડના ખભા પર તેના મોટા હાથ મૂકીને રડી પડ્યો હતો. તે જ રીતે ડેવિડ બૂન પણ નિવૃત્ત થયો ત્યારે શેપર્ડની મસ્તીની ખોટ અનુભવશે તેમ કહ્યું હતું.
ખેલાડીઓનો આવો પ્રેમ મેળવનાર ડેવિડે 1983થી 2005 સુધીની 22 વર્ષની કારકિર્દીમાં 92 ટેસ્ટ મેચ અને ત્રણ વિશ્વકપની ફાઇનલ મેચની સાથે કુલ 172 ટેસ્ટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. તેમણે વર્ષ 2005માં જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટમાં છેલ્લી વખત અમ્પાયરની ભૂમિકા અદા કરી હતી. વિદાય વેળાએ બંને ટીમના ખેલાડીઓ અને સ્ટેડિયમના તમામ દર્શકોએ ઊભા થઇને તેને અલવિદા કહ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી બ્રાયન લારાએ તેમને એક બેટની ભેટ ધરી હતી. તેના પર લખ્યું હતું...''the service, the memories and the professionalism''
ચલતે-ચલતેઃ મને છેતરપિંડી બિલકુલ પસંદ નથી-ડેવિડ શેપર્ડ
ભારતનાં સાયન્સ સેન્ટરોઃ પિકનિક + મનોરંજન = સાયન્સની બાદબાકી
સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા?ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી.
દેશમાં મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ગણતરી કરોડોમાં થાય છે. (એકલા આંધ્ર પ્રદેશમાં જ સવા બે લાખ કરતાં વધુ ‘અધિકૃત’ મંદિરો છે). સિનેમા અને મલ્ટિપ્લેક્સનો હિસાબ હજારોમાં મંડાય છે. (છેલ્લા આંકડા મુજબ ભારતમાં ૧૨,૦૦૦ સિનેમા હોલ અને બસ્સો કરતાં વધુ મલ્ટિપ્લેક્સ છે). પરંતુ નવી પેઢીનું ઘડતર કરવામાં જેનો મહત્ત્વનો ફાળો છે તે વિજ્ઞાન-ટેક્નોલોજિના મ્યુઝિયમો આંગળીના વેઢે ગણવા પડે છે. ભારતની નવી પેઢીની એ કમબખ્તી છે. વિજ્ઞાન ક્ષેત્રે ભારત અભૂતપૂર્વ પ્રગતિ સાધી રહ્યું છે, પરંતુ દેશના સરેરાશ વિદ્યાર્થી માટે આજની તારીખે પણ વિજ્ઞાન એ જાત અનુભવ કરીને શીખવાનો અર્થાત ઇન્ટરએક્ટિવ નહિ, બલકે પુસ્તકિયા જ્ઞાનનો વિષય છે.
ધરતીકંપ વખતે પૃથ્વીના ભૂસ્તરીય પોપડામાં કેવી અને મુખ્યત્વે કુલ કેટલા પ્રકારની હિલચાલ મચે છે ? સમુદ્રમાં વિરાટ વમળો કેવી રીતે રચાય તથા ત્સુનામી કેવી રીતે આવે ? વિમાનના એન્જિનની, મિસાઇલની તેમજ રોકેટની આંતરિક રચના કેવી હોય ? ઊર્જાગતિશાસ્ત્રનો સિદ્ધાંત શું છે અને સમગ્ર બ્રહ્માંડને તે કેવી રીતે લાગૂ પડે ? વગેરે જેવા વિજ્ઞાન-ટેક્નોલોજિને લગતા અનેક મુદ્દા વિદ્યાર્થીઓએ ગૂંચવાડો પેદા કરનારા વાક્યો ગોખીને અને અટપટા ડાયાગ્રામ તપાસીને સમજવા પડે છે. કહો કે સમજવાનો પ્રયાસ કરવો પડે છે, જે સરવાળે વિજ્ઞાન શબ્દ આગળ ‘બોરિંગ’ વિશેષણ લગાડવામાં કારણભૂત બને છે. આને બદલે વિજ્ઞાનના જે તે સિદ્ધાંતો સમજાવતા વર્કીંગ મોડેલ વિદ્યાર્થી સમક્ષ મૂકી દેવામાં આવે તો મગજમાં બાઝેલાં ગેરસમજનાં બાવાંજાળાં નાની વયે દૂર થયા વિના ન રહે, વિદ્યાર્થીમાં રચનાત્મકતાનો ગુણ ખીલે અને તેના નતીજારૂપે તેનામાં આત્મવિશ્વાસ આવે એ સ્વાભાવિક વાત છે.
આ સિમ્પલ વાત સિંગાપુર, મલયેશિયા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો ક્યારના સમજી ચૂક્યા છે. વિજ્ઞાનના અઘરામાં અઘરા વિષયને પળવારમાં પ્રેક્ટિકલ રીતે સમજાવતા ઉપકરણોથી લેસ તેમનાં સાયન્સ મ્યુઝિયમો અફલાતૂન છે. ગયે વર્ષે સિંગાપુર ખાતેના સાયન્સ સેન્ટરની તેમજ મલયેશિયાના પેટ્રોસાયન્સ ડિસ્કવરી સેન્ટરની મુલાકાત લીધી ત્યારે વિજ્ઞાન નગરી ખરેખર કેવી હોવી જોઇએ તે વાતની બરાબર પ્રતીતિ થઇ. વિજ્ઞાનની વિવિધ શાખાઓને લાગૂ પડતા સિદ્ધાંતોને પ્રેક્ટિકલ મોડેલ્સના સ્વરૂપે બહુ સચોટ રીતે બેઉ દેશોએ ઢાળ્યા છે. એક ઉદાહરણ સિંગાપુરના સાયન્સ સેન્ટરનું લેવા જેવું છે, જેમાં લગભગ દરેક વર્કીંગ મોડેલ સમક્ષ ત્રણ જુદી જુદી સ્વિચોનો બંદોબસ્ત કરાયો છે. પ્રથમ ચાંપ દાબવાથી મોડેલ કાર્યરત થાય છે અને તેની કાર્યપ્રણાલિની પ્રાથમિક સમજૂતી સ્ક્રીન પર ટેક્સ્ટરૂપે વાંચવા મળે છે. બીજી સ્વિચ દાબો ત્યારે મોડેલના વર્કીંગ પાછળ રહેલો વૈજ્ઞાનિક સિદ્ધાંત વાંચવા મળે છે અને ત્રીજી ચાંપ દાબતાવેંત તે સિદ્ધાંતના શોધક વિશેની તેમજ માનવજીવનમાં તે સિદ્ધાંત આજે એક યા બીજી રીતે કયા ઉપકરણોમાં વણાઇ ગયો છે તેની જાણકારી મળે છે. ટૂંકમાં, ટેક્સ્ટબૂકના વાક્યો વડે વિજ્ઞાનને સમજવા ઉપરાંત ઇન્ટરએક્ટિવ ઢબે પણ તે વિષય સમજાવવાની શિક્ષણપ્રણાલિ સિંગાપુર-મલયેશિયાએ અપનાવી છે.
આ પ્રણાલિ બ્રિટને અને ફ્રાન્સે પણ સફળતાપૂર્વક અજમાવી છે. આ વર્ષે દિવાળી વેકેશનમાં એ બેય દેશોનો પ્રવાસ ખેડ્યો ત્યારે પંદર દિવસના પ્રવાસમાં ત્યાંના લગભગ બધા જ મ્યુઝિયમો બહુ ઝીણવટપૂર્વક જોયાં. લંડનનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, રોયલ એર ફોર્સ મ્યુઝિયમ અને ઇમ્પિરિયલ વોર મ્યુઝિયમ તેમના કદ ઉપરાંત ગુણવત્તા અને રજૂઆતની બાબતે પણ અજોડ છે. પેરિસનું સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મ્યુઝિયમ પણ વિજ્ઞાનરસિકો માટે મસ્ટ વિઝિટ જેવું છે, જ્યાં ૧૯૮૭માં સેવાનિવૃત્ત કરેલી ડીઝલ પાવર્ડ સબમરિન મૂકેલી છે. મુલાકાતીઓ સબમરિનની અંદર જઇ શકે છે અને મુલાકાત દરમ્યાન સબમરિનના જે તે વિભાગની સમજૂતી પોર્ટેબલ ઓડિયો ગાઇડ થકી મેળવી શકે છે. આ બેય દેશોના મ્યુઝિયમોમાં વિજ્ઞાનને એટલી સહજ રીતે સમજાવવામાં આવ્યું છે કે જે તે મોડેલને, ઉપકરણને કે પછી એનિમેશન વિડિઓને ચીવટથી જોનાર પ્રેક્ષકને વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો સત્યનારાયણના શીરાની જેમ તરત ગળે ઉતરી જાય.
બે જુદા દેશો વચ્ચે કોઇ બાબતે સરખામણી થાય નહિ--અને કરવી પણ જોઇએ નહિ. પરંતુ વિજ્ઞાનને લોકભોગ્ય તેમજ સુપાચ્ય બનાવવાની વાત આવે ત્યારે કબૂલવું પડે કે બ્રિટન, ફ્રાન્સ અને સિંગાપુરની તુલનાએ ભારત હજી અઢારમી સદીમાં જીવે છે. ગાંધીનગરમાં, કલકત્તામાં તેમજ દિલ્હીમાં સાયન્સ સેન્ટરો બન્યાં છે ખરાં, પણ સરકારનો એ પ્રયત્ન માત્ર કરવા ખાતર કરાયો હોય એમ જણાય છે. દા.ત. ગાંધીનગરનું સાયન્સ સીટી વિવિધ કિસમનાં ઉપકરણોથી સજ્જ છે, પણ જે તે ઉપકરણ વિજ્ઞાનના કયા સિદ્ધાંતને અનુસરે છે તેની મુદ્દાસરની તેમજ સરળ સમજૂતીનો ત્યાં અભાવ છે. પરિણામે જે તે યંત્રને ગતિમાન કર્યા પછી તેની પાછળનું સાયન્સ સરેરાશ વ્યક્તિ સમજી શકતી નથી. (કેટલાંક વર્ષ પહેલાં ગાંધીનગરના હોલ ઓફ સ્પેસની મુલાકાત લીધી ત્યારે ત્યાં મૂકેલા GSLV રોકેટ પર PSLV નું લેબલ વાંચવા મળ્યું હતું. આ અને આવી બીજી ઘણીબધી ભૂલો પાછળથી સુધારવામાં આવી હોય તો સારી વાત છે).
બીજો દાખલો કલકત્તાના સાયન્સ સીટીનો છે, જ્યાં ઘણાં ઉપકરણો લગભગ કાયમી ધોરણે આઉટ ઓફ ઓર્ડર સ્થિતિમાં રહે છે. જે ઉપકરણો કાર્યરત છે તેમને લગતી સમજૂતીનો તો ત્યાં પણ શૂન્યાવકાશ છે. આ બેઉ કેન્દ્રો સામાન્ય માણસ માટે ફેવરિટ પિકનિક સ્પોટ બન્યા એ તેમની એકમાત્ર નોંધપાત્ર સિદ્ધિ ગણો તો ખોટું નહિ. બાકી તો ‘સાયન્સ’ શબ્દ તો એ બેય સ્થળે નક્કર કાચલાની વચ્ચે કેદ અખરોટના ફળની રૂએ ઢબૂરાયેલો છે. એવરેજ મુલાકાતી તેમજ વિદ્યાર્થી એ કાચલું તોડી શકતો નથી, એટલે અભિભૂત કરી દેતું વિજ્ઞાન તેની નજરમાં આવતું નથી.
આપણી સરકાર સાયન્સ સીટીનું સંકુલ ખડું કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ વિજ્ઞાન નગરી તેનું નામ સાર્થક કરે એની દરકાર કેમ કરાતી નથી? ટેક્નોક્રેટ્સ અને વૈજ્ઞાનિક કોઠાસૂઝ ધરાવતા વ્યક્તિઓની મદદ લેવામાં તેને શા માટે ક્ષોભ નડે છે? આનો જવાબ કદી મળવાનો નહિ, પણ એક હકીકત એ છે કે એકવીસમી સદીમાં દેશને આર્થિક સુપરપાવર બનતો જોવો હોય તો સરકારે વિજ્ઞાનને લોકભોગ્ય બનવવું જોઇએ. વિજ્ઞાનનું નામ સાંભળીને મોં વકાસતા લોકોને વિજ્ઞાનમાં રસ લેતા કરવા જોઇએ--અને તે કામ દેશના વિવિધ શહેરોમાં સાયન્સ સેન્ટરો સ્થાપીને સહેલાઇથી કરી શકાય તેમ છે. કમ સે કમ સાયન્સ સેન્ટરો સ્થાપવા માગતી ખાનગી કંપનીઓને વિનામૂલ્યે જમીન પૂરી પાડીને તેમજ સબસીડી આપીને સરકાર થોડોઘણો પરોક્ષ ફાળો આપી શકે. મંદિરોના બાંધકામ માટે સરકારી જમીનો એકરોના હિસાબે સહજ રીતે ભેટ ધરી દેવાતી હોય છે તો પછી સાયન્સ સેન્ટરો માટે કેમ નહિ? લોકશાહી ભારતમાં આનો પણ જવાબ મેળવવો અશક્ય છે.
દરમ્યાન ભારતમાં દર થોડા વખતે ક્યાંક ને ક્યાંક એકાદ મંદિરનું યા ધાર્મિક સ્થળનું બાંધકામ થાય છે અને જુદા જુદા શહેરોમાં મલ્ટિપ્લેક્સ સિનેમાના તાયફા ખડા થાય છે. ટેલિવિઝનની નવી ચેનલો બિલાડીના ટોપની જેમ ફૂટતી જાય છે--અને માહિતીના ભોગે પીરસાતા મનોરંજનના માહોલ વચ્ચે નવી પેઢીનો માનસિક વિકાસ રૂંધાતો હોવા છતાં સરકારને એ બાબતની પડી નથી, જ્યારે સામાન્ય માતાપિતા એ બાબતે બેધ્યાન કે અજાણ છે. ભવિષ્યમાં આનું પરિણામ શું આવવાનું તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.
છેલ્લે મારા પિતાતુલ્ય ગુરુ (સદગત) રવજીભાઇ સાવલિયાના શબ્દો યાદ આવે છેઃ ‘ભારતમાં શીતળાનો રોગ એક સમયે જીવલેણ ગણાતો, એટલે એ રોગથી બચવા લોકો શીતળા માતાના મંદિરો બાંધતા. આજે સૌરાષ્ટ્રમાં શીતળા માતાના સેંકડો મંદિરો છે, પણ શીતળાની રસી શોધી એ રોગમાંથી જેણે માનવજાતને ઉગારી તે વિજ્ઞાની એડવર્ડ જેનરનું એકેય મંદિર ક્યાંય જોયું?’
દિવ્ય ભાસ્કરનો તરખાટ
નવા વર્ષની શરૂઆત ગુજરાતી ઇ-છાપાઓ માટે કંઇક સારી નથી. કદાચ સ્ટાફ રાજા પર હોય કે પછી તહેવારોની મોસમના લીધે બેધ્યાનપણું વધુ હોય - જે પણ હોય - પરંતુ સમાચાર પત્રની વેબસાઈટ પર સમાચાર મુકવા અંગે કોઈ પ્રોસેસનું પાલન થતું દેખાતું નથી અથવા તો આવી કોઈ પ્રોસેસ છે જ નહિ કે જેનું પાલન કરવું પડે.
જે રીતે છાપું પ્રિન્ટમાં જાય ઇ પહેલા બધું મટીરીયલ ચોકસાઇપૂર્વક જે તે વિભાગના એડિટરના ચશ્માં નીચેથી પસાર થાય, વાંધા-વચકા, જોડણી, કાપકૂપ વગેરે પ્રોટોકોલ બાદ છાપું પ્રિન્ટમાં જાય પણ ઓનલાયન છાપાઓને આ બધી બાબતો ઓછી લાગુ પડે છે એવી મારી માન્યતા દિન-પ્રતિદિન મજબુત થતી જાય છે.
માન્યું કે છાપું કાઢવું એ ૨૪ કલાકનો પ્રોજેક્ટ છે પણ દુનિયામાં ઘણા છાપા નીકળે છે અને બધા કઈ આવું દેવાળું ફૂંકતા નથી !
એમાંય દિવ્ય ભાસ્કરે તો હદ કરી છે. છાશવારે એમની વેબ સાઈટ પર છબરડા હોય છે. ખરેખર તો હાલની વેબસાઈટ તો હજુ ડેવલ્પમેન્ટમાં (Under Construction) હોય એટલી નીચેની કક્ષાની છે જાણે કે કોઈ પણ પ્રકારનું QA થયા વિના મુકાય ગઈ છે. ખેર એ એક આડવાત થઇ, આપણે વાત કરતાં હતાં સમાચારોની.
જુઓ નીચેના ચાર સમાચારો - આ આમ તો એક જ સમાચાર છે પણ એનું આપણે ટેસ્ટીંગ કરવાનું હોય એમ ચાર જુદા જુદા હેડીંગ સાથે
૧)અમદાવાદના ફેકલ્ટી
૨)આઇઆઇએમ
૩)૧૧૧૧૧૧૧
૪)૨૨૨૨૨૨
અને સમાચારમાં પણ કેટલાય અક્ષરો બીજા ફોન્ટમાંથી બરાબર પરિવર્તન પણ પામ્યા નથી .
તો વળી બીજા એક સમાચારનું હેડીંગ છે : (............................),અમદાવાદ
છાપુ બંધ રહેશે પણ ઓનલાયન અપડેટ દિવાળીની રજાઓમાં ચાલુ રહેશેની જાહેર ખબરો ચીપ્કાવ્યા પછી આમ 'દિ વાળવાનો'?
આ સમાચાર ( શેરબજારોમાં મુહૂર્તના સોદામાં ટાબરિયાનો તરખાટ!) માં તમને ક્યાંય સમજાય કે ટાબરિયાએ શું તરખાટ કર્યો તો મને સમજાવશો પ્લીઝ ?
આમળતો રહ્યો! (ગઝલ)
જીવતર, હૈયે વાવેતર કૂણાં, ને કળતર
સંબંધ આ શબ્દો તણો ભળતો રહ્યો!
ગળથૂથીમાં શું કચાશો પાઈ’તી?
પ્રશ્ન ગંગાજળ લગ સળવળતો રહ્યો!
દિનચર્યા રહી ભરી દરબાર શી,
સ્વપ્નમાં ખુદને કદી મળતો રહ્યો!
નિસ્બતો ખરતી રહી છત્તાં હજી
યાદોનો ચરૂ શે ઊકળતો રહ્યો!
ચાંદની પીગળી ઉષાની ગોદમાં,
ચંદ્ર ઝાંખો હાથ આમળતો રહ્યો!
-ગુરુદત્ત ઠક્કર.
મીસ્ટર જી (શેષ)
સાર્જન્ટે વધુ વિગત આપતાં કહ્યું, “મીસ્ટર જીના ઘરમાં આગ લાગી ત્યારે મીસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને પણ આની સૂચના મળી. અફસોસ છે કે મીસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મીસ્ટર જી મસ્જીદમાં હતા, તેમને અમે હૉસ્પીટલ પહોંચાડ્યા છે, પણ તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. અમારે તેમને રાબેતા મુજબના સવાલ પૂછી અમારો રિપોર્ટ તૈયાર કરવાનો છે. તમે અમારી મદદ કરી શકશો? મીસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં જી સાહેબ બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર કાશ્મીરી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. મેં તેમને અસ્સલામુ-આલેઇકૂમ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને મારો પરિચય આપ્યો. તેમણે વાલેઇકૂમ અસ્સલામ કહી મને સવાલ પૂછ્યા ત્યારે હું ચકરાઇ ગયો: તેઓ મીરપુરીમાં વાત કરતા હતા. વચ્ચે એકાદ'બે શબ્દ ઉર્દુ-પંજાબીના વાપરતા હતા. કાશ્મીરમાં નોકરી કરી હોવાથી હું ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજ્જરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે તેઓ મારી વાત સમજી શકતા હતા અને મુશ્કેલીથી તેમની વાત પણ સમજવા લાગ્યો. પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મીસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા વિલય પામ્યા. બચી ગયા હતા કેવળ માનવ. તેઓ મારા ખભા પર માથું મૂકી રડી પડ્યા. હું તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. પોલિસ સાર્જન્ટને દયા આવી. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી જી સાહેબે મને કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. માનો એ બહુ વહાલો દિકરો હતો.”
બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. આપણા લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોવો જોઇએ. પટેલ નહિ તો શાહ! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મીસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી અક્રમખાન મલીક આવી પહોંચ્યા. અક્રમખાનની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે વિશેષ પ્રેમભાવ નહોતો. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”
મેં તેમની વાત ત્યાં જ કાપી અને તેમને કહ્યું, “એક્સક્યુઝ મી, પણ મારે મીસ્ટર જીને રહેવા માટે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવાનું છે. ફ્યુનરલની વ્યવસ્થા કાલે પોસ્ટ મોર્ટમ બાદ કરીશું. કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તેથી મારે હમણાં જ નીકળવું જોઇશે."
અક્રમ મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીને તેમનો મોટો દીકરો વાજીદ થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે. બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો. અને યાદ રાખજો. તમારો એરીયા મેનેજર મારો દોસ્ત છે.” આ કહેવાનો મતલબ હતો, 'તમારા કામમાં કોઇ ખામી રહી જાય તો ‘ઠેઠ ઉપર સુધી’ વાત જશે.' Colonial મનોવૃત્તિનો આ સારો નમૂનો હતો!
સોશિયલ સર્વીસીઝમાં જોડાતાં પહેલાં હું કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર હતો. મારા કામ માટે સમાજ કલ્યાણ વિષયક કાયદાઓનો મેં ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. હાઉસીંગ, ક્રૉનિકલી સિક અૅન્ડ ડીસેબલ્ડ પર્સન્સ અૅકટ જેવા કાયદાઓ દ્વારા સમાજ માટે જે જોગવાઇ કરવામાં આવી છે તેના આધારે મારૂં કામ ઝડપથી પૂરૂં થયું. અહેમદજીને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો મૂળ ફ્લૅટ રિપૅર કરી આપ્યો. અમે તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો મેળવી આપ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે મેં તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. જો કે તેઓ મને અવારનવાર મળવા આવતા રહ્યા.
એક દિવસ અૉફિસમાં મીસ્ટર જી આવ્યા. મને કહે, “પટેલ સા’બ, સજ્જાદ અઢાર વર્ષનો થયો છે. તેણે હવે લગ્ન કરી લેવા જોઇએ એવું મારૂં માનવું છે. મીરપુરમાં મારા નાના ભાઇની દિકરી સાથે તેના લગ્નની વાત થઇ ગઇ છે. જો લગ્ન થઇ જાય તો આ ડોસાની સેવા થશે અને સાથે સાથે અમને સૌને ત્રણ વખતનું ભોજન પણ નિયમીતરીતે મળશે. એક મિત્ર તરીકે તમારો અભિપ્રાય માગું છું.”
“જુઓ ચાચા, સજ્જાદ મારો દિકરો હોય તો હું તેના લગ્ન આટલી નાની ઉમરમાં ન કરૂં. તેને સારી નોકરી મળે, સ્થિર-સ્થાવર થાય, પોતાની જવાબદારી સમજે ત્યારે તેના લગ્નનો વિચાર કરવો સારો.”
અહેમદજી થોડા વિચારમાં પડી ગયા. અંતે મને ‘ખુદા હાફીઝ” કહી ઘેર ગયા. ત્યાર બાદ છ-સાત મહિના તેમની સાથે સમ્પર્ક ન રહ્યો.
મારૂં કામ એવું હતું કે મને મળવા આવનાર ક્લાયન્ટને પહેલેથી અૅપોઇન્ટમેન્ટ લેવી પડે. ફક્ત બુધવારે ‘ઓપન હાઉસ’ જેવી વ્યવસ્થા રાખી હતી. તે દિવસે મને મળવા આવનાર વ્યક્તિ રિસેપ્શનમાં બેસી નંબર વાર આવીને મને મળે. આવા એક બુધવારે આઝાદ કાશ્મીર એસોસીએશનના અક્રમ મલીક મને મળવા આવ્યા. આ વખતે તેઓ અમારા વૉર્ડમાંથી કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
“તમે અમારી કોમ માટે સારૂં કામ કરો છો એવા મને રીપોર્ટ મળ્યા છે. તમારા ડીપાર્ટમેન્ટની સોશિયલ સર્વિસીઝ કમીટીનો હું મેમ્બર છું. ખેર. પેલા અહેમદજી તમને હજી મળે છે કે? તમને ખબર છે કે તેમની બીબી શાહિનબેગમે ખુદકુશી કરી હતી?”
આ વાતની મને તે સમયે જ જાણ થઇ હતી, પણ client confidentialityના નિયમને કારણે મેં તેનો જવાબ ન આપ્યો.
“શાહિન બેગમ બહુ ફેશનવાળી હતી. સિનેમા જોવાનું, શૉપીંગ, સારા પોશાક પહેરી, મેક-અપ કરી બહાર જવાનું તેને બહુ ગમતું....”
“મીસ્ટર મલીક, આય અૅમ સૉરી, પણ આ બાબતમાં મારાથી કશું કહી કે સાંભળી ન શકાય. આ નિયમ બહારની વાત છે...”
“ઓ.કે. જો કે અમારા કલ્ચર વિશે તમારે જાણવું જોઇએ એટલે આ વાત છેડી. અમારી કોમના ક્લાયન્ટ આવે અને અમારી લાઇફ-સ્ટાઇલ જાણો તો આઝાદ કાશ્મીરના લોકોની ફૅમિલી ડાયનેમિક્સનો તમને ખ્યાલ આવે.
“મિસ્ટર જી ઘણા ધાર્મિક વૃત્તિના હતા. પાંચ વારની નમાઝ, સાદગી - તેમાં પત્નીની આવી ફૅશન-પરસ્તી તેમને ગમતી નહોતી. રોજ ઝઘડા થતા અંતે....” કહી કાઉન્સીલર સાહેબ ઘડીયાળ સામે જોઇ ઉભા થયા અને અગત્યની મીટીંગમાં જવાનું છે કહી ચાલ્યા ગયા.
આ વાતને ચાર-પાંચ મહિના થઇ ગયા. એક દિવસ ક્લાયન્ટને મળવા હું બહાર નીકળતો હતો ત્યાં મેં સજ્જાદને રીસેપ્શનમા જોયો.
“નરેન્દ્ર, આય અૅમ સૉરી કે એપૉઇન્ટમેન્ટ વગર તમને મળવા આવ્યો છું. આ તમારા માટે લાવ્યો છું, “ કહી તેણે મને ચૉકલેટનો ડબ્બો આપ્યો. “મારા લગ્ન થઇ ગયા છે. એક તકલીફ છે. તમને કહું કે નહિ એવી ગડમથલમાં છું.” સજ્જાદ અસ્ખલિત અંગ્રેજી બોલતો હતો.
ચૉકલેટનો ડબ્બો મેં અમારી રિસેપ્શનીસ્ટને આપ્યો. અમારી અૉફિસમાં મદદ માટે આવતી બહેનોનાં બાળકોને આવી ‘ગીફ્ટ’ વહેંચાતી. હું સજ્જાદને ઇન્ટરવ્યૂ રૂમમાં લઇ ગયો.
“શાદી મુબારક, સજ્જાદ. કહે તો, શું વાત છે?”
“મારી પત્ની પરવીન હાઇસ્કૂલ સુધી ભણી છે. તેની મોટી બહેન પણ અહીં જ લંડનમાં છે. તેની દેખાદેખી પરવીન પણ તેની ફૅશન વિગેરેની નકલ કરે છે. આધુનિક યુવતિ છે ને! પણ ડૅડીને આ ગમતું નથી. એમને મારી મમી સાથે પણ આ જ પ્રૉબ્લેમ હતો. રોજ ઝઘડા થાય છે. શું કરવું તે મને સમજાતું નથી. ડેડીને પરવીનના વર્તનમાં મારાં મમી દેખાય છે અને તેઓ અત્યંત દુ:ખી છે. પરવીન પણ ખુશ નથી.”
“તારા ડૅડી બે-ત્રણ મહિના તારા મોટા ભાઇ વાજીદને ઘેર અને ત્રણે’ક મહિના તારે ત્યાં વારાફરતી રહે તો કોઇ ફેર પડે ખરો?”
“વાજીદ મારો ભાઇ નથી. એ તો અમારા ગામના મુખીનો નાનો દિકરો છે. અહીં આવવા માટે ડૅડીએ મુખી પાસેથી કરજ લીધું હતું. બદલામાં તેણે શરત કરી હતી કે વાજીદને પોતાના મોટા દીકરા તરીકે નોંધાવી અહીં બોલાવી લેવો. અંતે થયું પણ એવું જ. નામ સિવાય અમારો તેની સાથે કોઇ સંબંધ નથી”
૧૯૭૦ના દાયકામાં ખાસ કરીને મીરપુરી પરિવારોમાં આવી બાબતો સામાન્ય હતી.
“સજ્જાદ, હું તારા ડૅડી સાથે આ બાબતમાં જરૂર વાત કરીશ. જોઇશું કોઇ હલ નીકળે છે કે કેમ..” સજ્જાદ વિલા મોઢે ત્યાંથી નીકળી તો ગયો, પણ આ બાબતમાં કશું થશે તેની તેને ખાતરી નહોતી થઇ.
બીજા કે ત્રીજા બુધવારે મારા ઓપન હાઉસમાં અહેમદજી આવ્યા. મેં આ વિષયમાં વાત છેડી.
“ક્યા કરૂં પટેલ સા’બ? છોકરીની ચાલઢાલ જોઇને હું બહુ પરેશાન છું. એના બનેવીનો લંડનમાં બિઝનેસ છે. પરવીનની બહેન મોંઘી કાર ફેરવે છે અને લાહોરથી મંગાવેલા સલવાર-કમીઝ પહેરે છે. મારી ન્હૂ (વહુ)ને પણ એવા જ ઘરેણાં અને કપડાં, સિનેમા, રૂઝ-લિપસ્ટીક જોઇએ. મારાથી આ જોવાતું નથી. હું વતન પાછો જઉં છું. જીંદગીના છેલ્લા દિવસ મારા ગામ ટોપા મુર્તુઝામાં શાંતિથી ગુજારવાનો નિર્ણય કર્યો છે.”
ટોપા મુર્તુઝા!
મારા મગજમાં ‘બ્લીપ્’ થઇ. મારા અંતર્મનના એક પડમાં છુપાયેલી યાદ અચાનક બહાર આવી ગઇ. વર્ષો પહેલાં કાશ્મીરમાં લાઇન અૉફ કન્ટ્રોલ પર બજાવેલી ડ્યુટીના દિવસ યાદ આવી ગયા. નજર સામે આવી પેલી રાત, જ્યાં સીમા પાર થતી શાદીની દાવતની રોશનાઇ જોઇ હતી, અને મીરપુરી ગીતોની રેકૉર્ડનાં આછા સૂર હવામાં તરીને અમારી ચોકી સુધી આવતાં સાંભળ્યા હતા.
“ચચાજાન, તમારાં મર્હુમ બેગમ તાતા પાની ગામનાં તો નહોતાં?”
આશ્ચર્યની નજરે મારી તરફ જોઇ તેમણે મને પુછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? શું સજ્જાદે તમને આ વાત કરી હતી? કે પછી મેં જ કો’ક દિવસે તમને કહ્યું હતું?”
ના, મિસ્ટર જી, આ વાત ન તો મને સજ્જાદે કહી હતી ના તો અહેમદ મલીક - ઉર્ફ મિસ્ટર જીએ. વર્ષો પહેલાં વાત કહેનાર હતો મારી બડા ચિનાર ચોકી પાસેના ગામનો મુખી ગુલામ હૈદર. કલ્પના કરતાં સત્ય કેટલું અદ્ભૂત હોય છે!
(નોંધ: જીપ્સીના જીવનની આ પ્રસંગકથા ૧૯૯૦માં અખંડ આનંદમાં પ્રસિદ્ધ થઇ હતી. તેનું આ સંક્ષીપ્તીકરણ છે. અહીં વ્યક્તિઓનાં અને કેટલાક સ્થળોનાં નામ બદલવામાં આવ્યા છે જેથી વ્યક્તિગત ગૌપ્યતા જળવાઇ રહે.)
મીસ્ટર જી… (૧)
“જીપ્સી”એ ભારતને અલ-વિદા કર્યા બાદ પણ હિમાલયમાં વિતાવેલા દિવસોની યાદ પુસ્તકમાં રાખેલા સ્મૃતીના સુગંધી પુષ્પ જેવી તાજી જ રહી. સમયનું પુસ્તક ખોલતાં આ ગુલાબની પાંખડીઓમાં રહેલી યાદગિરીની મહેક ફરીથી તેને લઇ જાય છે સ્મૃતીવનમાં...આવી જ એક પાંખડીમાંથી પમરાતી ખુશ્બુ મને લઇ ગઇ રજૌરીના મારા સેક્ટર હેડક્વાર્ટરની એક ચોકી - ‘બડા ચિનાર’ પર. (ચોકીનું ખરૂં નામ જુદું છે, પણ તેની ગૌપ્યતા જાળવવા અહીં તેને નવા નામનું આવરણ ચડાવ્યું છે.) બડા ચિનાર અને સામા વાળાની ચોકી વચ્ચેનું અંતર કેવળ ૨૦૦ ગજનું. બન્ને ચોકીઓની વચ્ચે એક નાનકડો ચશ્મો (વહેળો) હતો. અને ત્યાં જ હતી ‘ચૂના પટ્ટી’ - LOC - લાઇન અૉફ અૅક્ચ્યુઅલ કન્ટ્રોલ. ૧૯૭૧ની લડાઇ બાદ બન્ને દેશો વચ્ચે જે LOC નક્કી કરવામાં આવી હતી ત્યાં પ્રથમ ચૂનાની લાઇન - ‘ચૂના પટ્ટી’ બનાવી નકશામાં તેને નોંધવામાં આવી. બન્ને દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં આ થયું અને તેના પર સહિ-સીક્કા થયા. જમીન પર જઇને જોઇએ તો કોઇને ખબર ન પડે કે LOC ક્યાં છે. તેના માટે તો નકશા તથા હોકાયંત્ર જ જોઇએ.
અમારી ચોકીની અૉબ્ઝર્વેશન પોસ્ટથી પાકિસ્તાનના કબજાના કાશ્મીરના મીરપુર જીલ્લાના ગામ નજર આવે.
એક વાર સામા કાંઠાના એક ગામમાં અનેક પેટ્રોમૅક્સ બત્તીઓનો ઝગમગાટ જોવામાં આવ્યો અને સાથે સાથે લાઉડસ્પીકરમાંથી મીરપુરી -પોથવારી બોલીના ગીતો સંભળાવા લાગ્યા. આખી રાત મહેફીલ ચાલી. બીજા દિવસે અમારી ચોકીની નજીકના સરપંચને અમે બોલાવ્યો અને સીમા પારના ગામમાં શું થતું હતું તે પૂછ્યું.
“અરે સાહેબ, પેલા ગામના રહેવાસી અહેમદ મલીક સાહેબ જે કેટલાક વર્ષથી વિલાયતમાં રહે છે તે રજા પર આવ્યા છે. તેમણે આજુબાજુના બધા ગામવાસીઓને દાવત માટે બોલાવ્યા હતા.”
“એમ કે? શાની દાવત હતી?”
“મલીક સાહેબે સામેની તહેસીલના કોટલી શહેરની બાજુના તાતાપાની ગામમાં બીજી શાદી કરી. પોતે તો જુના વિચારના છે, દાઢી-બાઢી રાખે છે, પણ પત્ની તો ખુબસુરત જોઇએ! અને જુઓ તો, એવી બૈરી એને મળી પણ ગઇ! એનાથી વીસ વર્ષ નાની. પરદેશ જવા માટે લોકો કંઇ પણ કરશે . શું જમાનો આવ્યો છે!” કહી તેણે આકાશ ભણી બન્ને હાથ ઉંચા કર્યા અને જતો રહ્યો.
મને નવાઇ લાગી હોય તો એ વાતની કે નદી પારના પરાયા મુલકમાં જે કાંઇ થતું હોય છે, તેની રજેરજની માહિતી તરત જ અહીં પહોંચી જતી હોય છે. બીજી વાત: દુનિયાના છેડા જેવા આ દુર્ગમ વસ્તીના લોકો ઠેઠ વિલાયત કેવી રીતે પહોંચી ગયા? આપણા દેશના બુદ્ધીશાળી, સુશિક્ષીત લોકો અનેક પ્રયત્નો કરવા છતાં બ્રિટનનો વિઝા મેળવી શકતા નથી, ત્યાં આ લોકોનો નંબર કેવી રીતે લાગ્યો? મને ઘણા સમય બાદ જાણવા મળ્યું કે ૧૯૫૦-૬૦ના દાયકામાં યૉર્કશાયર-લૅંકેશાયરની મિલોમાં તથા ફાઉન્ડ્રીઓમાં કામ કરવા પાકિસ્તાનના ઘણા લોકો ત્યાં પહોંચી ગયા હતા.
રજૌરીમાં કેટલાક મહિના ગાળ્યા બાદ મારી કમ્પની ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ ફૉર્વર્ડ ડીફન્ડેડ લોકૅલીટીમાં ગઇ. નવી જગ્યા નવો દાવ, નવા અનુભવ અને હાડ ગાળી નાખે એવી ભુમિમાં અનંત કાળ જેવા બે વર્ષ રહ્યો. ત્યાર પછી સમય તેજ ગતિથી વહેવા લાગ્યો અને ‘જીપ્સી’ તેમાં તણાઇ ગયો. ફોજ છોડી લંડન ગયો જ્યાં મારા પ્રિયજનો છેલ્લા ચાર વર્ષથી મારી રાહ જોઇ રહ્યા હતા.
* * * * * * * * *
પરદેશ કામધંધો શોધવા જનાર ભારતીયોને અનેક પ્રકારની સારી-નરસી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. ‘જીપ્સી’ તેમાં અપવાદ નહોતો. પ્રથમ બેકારી, ત્યાર બાદ એક ગુજરાતી સમાચાર પત્રિકાના ‘Subby’ (સબ-એડીટર), સિવિલ સર્વિસમાં અૅડમિન અૉફિસર, નૉટ ફૉર પ્રૉફીટ સંસ્થામાં કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર જેવા કામ કર્યા બાદ મને સ્થાનિક કાઉન્સિલના સમાજસેવા વિભાગમાં સ્પેશીયાલિસ્ટ સોશિયલવર્કરનું કામ મળ્યું.
મારી સોશિયલ સર્વિસીઝ ટીમ ‘ઇનર-સિટી’ (અમેરીકામાં જેને ‘ડાઉન-ટાઉન’ કહેવાય છે, તેમાં) કાર્યરત હતી. આ ગીચ વસ્તીના વિસ્તારમાં અત્યંત ગરીબ, વંચિત તથા ઉપેક્ષીત ગણાતા વર્ગના લોકો રહે. બેકારીમાં સપડાયેલા કામદાર વર્ગના આયરીશ, અંગ્રેજ તથા વેસ્ટ ઇન્ડીઝથી આવેલા લોકોનો આ વિસ્તાર. પતિ-પુરુષ મિત્રથી તરછોડાયેલી કે તેમને છોડી આવેલી બહેનો પોતાના બાળકો સાથે ત્યાં રહેતી હતી. બેઘર વ્યક્તિઓને રહેઠાણ આપવાની જવાબદારી કાઇન્સીલની હોય છે. સમાજના આ વર્ગને રહેવા માટે કાઉન્સીલે બહુમાળી મકાન બાંધ્યા. જેઓ સોશિયલ સિક્યોરિટીની આવક પર હોય તેમનું ઘરભાડું પણ કાઉન્સિલ ભરે. પૂર્વ આફ્રિકા અને ભારત-પાકિસ્તાન આવેલા આપણા લોકો - એશિયનો - પણ અહીં સારી એવી સંખ્યામાં રહે. આ બહુમાળી આવાસ “હાઇ-રાઇઝ કાઉન્સીલ એસ્ટેટ”-ને બ્રિટનના લોકો તુચ્છતાભરી નજરથી જુએ. અહીં ગુનાનું પ્રમાણ પણ સૌથી વધુ.
સમાજસેવા વિભાગમાં કામ પર હાજર થયો ત્યારે મને આપવામાં આવેલ case-loadમાં દસ પાકિસ્તાની પરિવાર હતા. કેસ ફાઇલ્સ જોઇ રહ્યો હતો ત્યાં મારાં ટીમલીડર લિઝ વેબ મારી પાસે આવ્યા અને કહ્યું, “Naren, may I have a word with you?” હું તેમની અૉફિસમાં ગયો.
“તમે મિસ્ટર જીની ફાઇલ જોઇ? મિસ્ટર જીના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે અને મિસેસ જીની હાલત ગંભીર છે એવો મને હમણાં પોલીસનો ફોન આવ્યો. મિસ્ટર જી અંગ્રેજી નથી જાણતા. અા crisis interventionનો કેસ છે. સૉરી, કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું. ત્યાં જઇને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે હું ક્રિસ્ટીનને મોકલીશ.” ક્રિસ્ટીન અનુભવી સોશિયલ વર્કર હતી.
સવારના જ મેં મિસ્ટર જીની ફાઇલ ઉતાવળમાં જોઇ હતી. તેમની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરવા તેમને મળવા જવાનો વિચાર કરતો જ હતો. ટૂંકમાં કહીએ તો તેમની ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર એમ.(મોહમ્મદ) અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. અમારી ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. મને લાગ્યું કાકા ગુજરાતના હશે. કામ થોડું આસાન થશે!
મિસ્ટર જી કાઉન્સીલના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યાં જઇને જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા.
(વધુ આવતા અંકમાં.)
અહીં ગંદકી કરવી નહીં…
અહીં વધુ કશું લખવું નથી...તસવીર જ ઘણું કહી જાય છે... મેરા ભારત મહાન...બીજું શું? :(નવા વર્ષના જુના સંકલ્પો
કાલે નવું વર્ષ... નુતન વર્ષાભિનંદન કહેવાનું લોકોને અને પોતાને... અને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવા સંકલ્પો કરવાના... આદત પડી ગયી છે ને ભાઈલા.. પછી ભલે ને એ લીધેલા સંકલ્પોમાં ના એક પણ પુરા ના કરતા હોઈએ.... લોકો ભાત ભાત ના સંકલ્પો લેતા હોય છે.. જેમાંના ઘણા લ.સા.અ. હોય છે (એટલે કે દરેકના કોમન) ઉદાહરણ તરીકે વજન ઓછુ કરવું (જાત અનુભવ), વિદ્યાર્થી હોય તો ભણવા માં નિયમિતતા લાવવી, ઓફીસે જતા હોય તો ઓફીસનું કામ પૂરી લગન થી અને સમયસર પૂરું કરવું, ઉપરાંત હંમેશા સત્ય બોલવું, લોકો ની ઈર્ષા ના કરવી, બીજા નું ભલું વિચારવું, ભ્રષ્ટાચાર ના કરવો વગેરે વગેરે.. જો કે આ ઉપરાંત પછીના છે તે તો કદાચ એક દિવસ પૂરો થાય એ પેહલા જ સંકલ્પ ના ભુક્કે ભુક્કા ઉડી જતા હશે.. કારણ ગાંધીજી થવું સહેલું થોડું છે.. પણ આ તો શું કે રીવાજ છે તો આપણે નિભાવવો તો પડે ને એટલા માટે.. કોઈક પૂછે તો કેહવા થાય કે અમે તો આ સંકલ્પ લીધો છે.. તમે શું લીધો છે?.... આનો આડ ફાયદો એ છે કે નવું વર્ષ છે એટલે તમારે લોકો ને મળવું તો પડે જ ને (તમારી નામરજી છતાં) તો આ સંકલ્પ ની વાતો ને લીધે આ વણનોતર્યા લોકો સાથે તમારે બે ઘડી વાતો થઇ જાય ને અને થઇ શકે કે તમને આવતા વર્ષ માટે કોઈક નવો સંકલ્પ નો વિચાર પણ એમન સંકલ્પોમાંથી મળી જાય... સાલું દર વખતે એક ના એક સંકલ્પ ખાવા ના... આ વર્ષે કૈક નવું એમ.. આમ પણ આજ કાલ લોકોને નવું નવું જ જોઈએ છે... મીઠાઈ લેવા જાવ તો એમ કહેશે કે કોઈક નવી જાત ની મીઠાઈ હોય એ આપો, કોઈના ઘેર ના હોય એવું અને કોઈએ ના ખાધી હોય એવી.. કપડા લેવા જાય તો બોસ કોઈ પાસે ના હોય એવા નવી ડીસાઈન , નવો કલર ના કપડા બતાવો.... હશે.. હું પણ એમાંનો જ એક છું એટલે વધારે કહેતો નથીહા તો આપણે સંકલ્પો ની વાત કરતા હતા... મારે તો જોકે છેલ્લાં ૩-૪ વર્ષો થી એક નો એક જ સંકલ્પ લેવા નો આવે છે... જે પૂરો જ નથી થતો.... બરાબર સમજયા તમે.... એ જ વજન ઓછુ કરવા નો... :) .... આ વખતે તો ખરેખર હદ થઇ ગયી છે.. ૭૫ સુધી પહોંચી ગયો છું. એક તો મારી ઉંચાઈ ઓછી ને એમાં આટલો બધો વજન... બહુ જ ખરાબ કેહવાય નહિ... પણ મારા જેવા ઘણા છે એટલે હું એટલો બધો ખરાબ નથી લાગતો... મને એમ હતું કે મુંબઈ જઇને ફરક પડી જશે પણ એનો પણ કઈ ફરક નથી પડ્યો કારણ મારે ત્યાં મુંબઈગરાની જેમ વધારે ચાલવાનું અને રેલ્વેમાં લટકવાનું નથી આવ્યું..... હવે સંકલ્પ તો લેવો છે પણ રસ્તો મળતો નથી કે કેમ કરીને વજન ઓછુ કરવું.... હવે એક યોગનો પ્રયોગ કરવાનું જ બાકી રહ્યું છે.... કદાચ એ કરું... જોઈએ... અને હા બીજો સંકલ્પ એ કે મહિના માં એક વાર તો ગુજરાતી માં જાતે બ્લોગ લખવો જ રહ્યો.. હમણાં મુંબઈ ગયા પછી તો બીજાના વિચારો જ ઉતારી ને મુક્યા છે... પણ હવે આટલો સમય તો કાઢવો જ રહ્યો.. અને એની શરૂઆત પણ થઇ ગયી લાગે છે... આ બ્લોગ ગુજરાતી માં જ લખ્યો છે ને... આમાં પણ અલ્પેશ સર નો આભાર માનવો રહ્યો.. એમને જ આ ગુજરાતી માં લખવા નું સોફ્ટવરે શોધી ને આપ્યું અને આપનું ગાંડું ચાલ્યું... આભાર અલ્પેશ સર....
અને આ એક લીંક છે... અમારા મિત્ર હિતેશને પણ મને જોઈને બ્લોગ લખવા ની ચળ ઉપડી છે... તો તમે એને પણ વાંચો આ રહ્યું એનું એડ્રેસ્સ.. http://foryouworld.wordpress.com/ .... નવા વર્ષ ની ભેટ .. તમને કે હિતેશ ને એ તો તમે લોકો જ નક્કી કરી લો....
ચાલો ત્યારે સહુ ને નુતન વર્ષાભિનંદન... નવા વર્ષ ના રામ રામ...
શુભ દિપાવલી – નૂતન વર્ષાભિનંદન

આજે ગુજરાતની અસ્મિતાની માવજત કરવાનો અવસર છે. આજે ઘરમાં એક સુંદર પુસ્તક કે એક સુંદર કેસેટ ભલે આવે. આજે ઘરનાં સંતાનો સાથે બેસીને એકાદ સુંદર કવિતા વંચાય કે એક ભજન ગવાય તો મિષ્ટાન્ન પણ અધિક મધુર બનશે. સરેરાશ ગુજરાતી નાગરિક ઉત્સવપ્રિય અને શાંતિપ્રિય છે. એને વિશ્વનાગરિક થવામાં મુશ્કેલી નથી પડતી. એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યાં ગરબો લેતો જાય છે.
- ગુણવંત શાહ
શુભ દિપાવલી – નૂતન વર્ષાભિનંદન
આજે ગુજરાતની અસ્મિતાની માવજત કરવાનો અવસર છે. આજે ઘરમાં એક સુંદર પુસ્તક કે એક સુંદર કેસેટ ભલે આવે. આજે ઘરનાં સંતાનો સાથે બેસીને એકાદ સુંદર કવિતા વંચાય કે એક ભજન ગવાય તો મિષ્ટાન્ન પણ અધિક મધુર બનશે. સરેરાશ ગુજરાતી નાગરિક ઉત્સવપ્રિય અને શાંતિપ્રિય છે. એને વિશ્વનાગરિક થવામાં મુશ્કેલી નથી પડતી. એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યાં ગરબો લેતો જાય છે.
- ગુણવંત શાહ
અમિતાભનો કચ્છી આશિક તેમને મળ્યો ને રડી પડ્યો(વિડિયો)
યુટ્યુબ ફંફોસતા મળેલો ગુજરાત(ગુજરાતી) સંબંધિત વધુ એક રસપ્રદ વિડિયો.આદિપુર-કચ્છના કૌશલભાઈ છાયા સ્કૂલની ક્રિકેટ ટીમ સાથે સિંગપોર ગયા હતા ત્યાં તેમણે અમિતાભ બચ્ચનને જોયા. કૌશલભાઈ લખે છે કે તેઓ નાનપણથી અમિતાભના એવા પ્રશંસક છે કે જ્યારે તેમને રૂબરૂ જોવાની વિરાટ ક્ષણ આવી ત્યારે પોતે કશું બોલી જ ન શક્યા, રડી પડ્યા અને ગળે ડૂમો ભરાઈ ગયો, આવો છે અમિતાભનો ઓરા.વિડિયો ધ્યાનથી જોતા જણાય છે કે સમાજવાદીશહેર સાત આંધળાના હાથી જેવું છે, અને જનરલ મોટર્સ ક્રૂઝ જેવી છે
બુધવારે જનરલ મોટર્સ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ કાર્લ સ્લાઈમ સાથે એસજી હાઈવે પરની ગેલોપ્સ મોટર્સ પર મુલાકાત થઈ. વીસ મિનીટની મુલાકાતમાં મારો રોલ સાંભળવાનો હતો. કાર્લ છેલ્લે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉભા ઉભા મળ્યા હતા. ત્યારે જનરલ મોટર્સ ભારતમાં નિષ્ફળ કંપની હતી. હવે આ બીજી મુલાકાત વખતે જનરલ મોટર્સ ભારતમાં ઠીક ઠીક સફળ કંપની થઈ ગઈ છે. પાછલી વખતે હું નિષ્ફળ અને આફતોથી ઘેરાયેલી કંપનીના નોનપરફોર્મિંગ સીઈઓArchives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008







