નાણાંમંત્રી મારા મિત્ર લાગે છે…
સુવિચાર
દારૂડિયો પોતાના વિચારોમાં મક્કમ હોય છે. બદનામી અને ધન તથા સ્વાસ્થ્ય ની બરબાદી ની ચિંતા કર્યા [...]S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2010-02-27 12:33:00
બે ઘુંટડા
ભાંગ ઉતારીને વાંચવી
ભાં....ગ....ઝ....લ
जी़दगी कीतनी हंसी you don't know
કો’ક દિ સામે ધરી જો આયનો
.
મૃગજળો are quite naughty, मां क़सम
જઈ ઉભો, તો ક્યાં કરે છે સામનો...?
.
जाम पे तुं जाम દેતી ઓ સનમ
कहे ना पाया आपसे हर बार no..!!
.
રાતના ભમરાને , lotus hugs, honey
હમસફર મારાયે sometimes युं बनो
હી...હી...હી...હી...હી...હી...હી...
बुरा ना मानो होली है
होलि मुबारक
હોળી
હોળી, જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.
કથાઓ
નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશિપુનો વધહોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં’, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. હોળી રમતાં રાધા કૃષ્ણ અને ગોપ-ગોપીઓઆ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે
પરંપરા
હોળીકા દહન હોળી/ધુળેટીની સામુહિક ઉજવણીગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ‘બીજો પડવો’,'ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે. [ફેરફાર કરો] સંગીતમાં હોળી વસંત રાગિણી – કોટા શૈલીમાં રાગમાલા શૃંખલાનું એક મીનીએચર ચિત્રહોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને “હોળીનાં ફાગ” તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે. વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વૃજભાષામાં હોય છે. ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.
અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
“રંગ બરસે ભિગે ચુનરવા…” “હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ..” ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં: “રંગ દે ચુનરિયા..”-મીરાં બાઈ “કિનુ સંગ ખેલું હોલી..”-મીરાં બાઈ
source : wikipedia
મહાનવલ ‘સત્ય’ પ્રગટ થઈ !
સ્વ. જયંત ગાડીતની મહાનવલ ‘સત્ય’નો લોકાર્પણવીધી રવીશંકર મહારાજના જન્મદીવસ – મહાશીવરાત્રી [...]આપને ભીંજાવવાના કોડ છે
આપને ભીંજાવવાના કોડ છે વાદળોમાં વર્ષવાની હોડ છે આ પવન લપટાય છે ચહેરા ઉપર? કે આ તુજ પાલવની [...]ખુદની બાદબાકી થઈ ગઈ
![]()
(તીડ… ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)
*
સહુ મિત્રોને હોળી તથા ધૂળેટીની રંગબેરંગી શુભકામનાઓ…
*
નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ,
નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ.
તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
તમે પાછાં ફરી જોયું જરી મારી તરફ..
હતી કહેવાની લાખો વાત બાકી, થઈ ગઈ !
શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.
શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…
- વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)
ગઝલ – અશરફ ડબાવાલા
અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી, આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી. બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી; એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી. હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર, એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી. ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે, મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી. છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો, એણે જીવનભર હૃદયના [...]ભૌતીકવાદ – નૈતીકતા – અધ્યાત્મવાદ
‘માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે - તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં [...]ન હો તમે જો કને સખી તો – હિમાંશુ ભટ્ટ્
ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે
લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે
તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
- હિમાંશુ ભટ્ટ્
કબર પાથરે છે
હશે એમને કે જીગર પાથરે છે, પરંતુ ગઝલની કબર પાથરે છે. નવા ઘાવ ઉપર અગર પાથરે છે, ને સાવ જ બની [...]Paris of Kutch – Mundra
Coastal city Mundra is the most beautiful city of Kutch. It is called Paris of Kutch. Mundra is located about 50 km away from Bhuj city, which is one of the major towns in the district of Kutch in Gujarat. The [...]સુહાની યાદેં…7…
Suhani Yade Continue.... for detail read on each photographs!!!…જીવન જીવવાની કળા જ સાચી સાધના…!!!
!!!...જીવન જીવવાની કળા જ સાચી સાધના...!!! કલાકાર અણગઢ ચીજોને હાથ ૫કડી પોતાનાં સાધનોની મદદથી તેમને [...]એક મરઘી ની આત્મા કથા
હું એક મરઘી છું. મારો જન્મ ગુજરાત ના એક ગામડા માં એક ગરીબ કુટુંબ માં થયો હતો . અમે એક સાથે ૩ [...]મને તું ગમે છે
(લખ્યા તારીખ: માર્ચ ૨૯, ૧૯૯૭) (છંદ: લગાગા|લગાગા|લગાગા|લગાગા) (તાલ: દાદરા) કહે શું કરું હું, મને તું [...]આંખનું તેજ
આંખનું તેજ (૧) લીંબુના રસનો સતત ઉપયોગ કરવાથી આંખનું તેજ વધે છે. (૨) ત્રીફળાના ૩-૪ ગ્રામ ચુર્ણમાં ૧ [...]Archives
- July 2010
- June 2010
- May 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- May 2009
- April 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- June 2008
- May 2008
- March 2008
- January 2008





