Browsing all articles from March, 2010
Mar
30
Comments Off

ચાટુકર, ચાટુકારિતા અને અશોક ચવ્વાણ…

Author     Category Uncategorized     Tags

સત્તા મેળવવી મુશ્કેલ છે અને સત્તા મળી જાય પછી? તેને પચાવવી. સત્તા મળી જાય પછી બહુ ઓછા લોકો પચાવી શકે છે. સત્તાને અપચો શાસકના મનમસ્તિષ્ક પર સવાર થઈ જાય છે. તે પોતાને સર્વશક્તિમાન અને અજેય સમજવા લાગે છે. મનમસ્તિષ્ક પર નિયંત્રણ ગુમાવી દે છે. તેની કથની-કરણીમાંથી મદ છલકાય છે અને ચમચા-ચમચીઓ ઘેરી લે છે.

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા પાસે કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાના કારણે કોંગ્રેસસંચાલિત ગઠબંધન સરકાર ફરી પ્રજાના માથે મરાઈ. સત્તાની સંપૂર્ણ બાગડોર સોનિયા આન્ટી પાસે છે. વચ્ચે-વચ્ચે ક્યારેક મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન હોવાનું જનતા જનાર્દનને યાદ કરાવી જાય છે. બાકી બધો ખેલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 'ચાટુકર' ખેલી રહ્યાં છે. 'ચાટુકર' અને 'ચાટુકારિતા' મજાનો હિંદી શબ્દ છે. ગુજરાતમાં તેના માટે ચમચાગિરી શબ્દ છે અને કોંગ્રેસમાં એક નહીં ચાટુકરો કે ચમચાઓની એક આખી ફૌજ છે. મેડમ એક ચપટી વગાડે અને પચાસ ચાટુકર ટપાકાં પાડતાં હાજર થઈ જાય છે. યસ મેડમ, હા જી મેડમ, બોલો મેડમ, વાહ મેડમ અને આહ્ મેડમ! ચાટુકર બહુ તેજ અને ટકોરાબંધ હોય છે. તે તેમના અધ્યક્ષ કે અધ્યક્ષાને ઓર્ડર આપવાની તક પણ આપતા નથી. ચાટુકરોના મન-મસ્તિષ્કમાં સમજદારીનો સમંદર હિલોળા લેતો હોય છે.

ચાટુકરોની એક ખાસિયત હોય છે. તેઓ કોઈને કોઈ બહાને ચાટુકારિતાની તક શોધી લે છે. એક ચાટુકરચાટુકારિતાના દર્શન કરાવે એટલે બીજા બધા ચાટુકરો પોતે રહી નથી ગયા તેવું દેખાડવા સારામાં સારી ચાટુકારિતા દેખાડવા પ્રયાસ કરે. કોંગ્રેસમાં ચાટુકારિતાની સીઝન બારમાસી છે પણ અત્યારે તોફાની થઈ છે. તેમાં માર્ગદર્શક બન્યાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક શંકરરાવ ચવ્વાણ. ચવ્વાણ પરિવાર ચાટુકારિતા પર હથોટી ધરાવે છે. બાપ એવા બેટા! સ્વ. શંકરરાવ ચવ્વાણે સંજય ગાંધીના જૂતાં ઉઠાવી લીધા હતા તો અશોક ચવ્વાણે કોંગ્રેસના 'મુસ્લિમ ચહેરા' શાહરૂખ ખાનની એક ફુલ્લીફાલતુ ફિલ્મની સુરક્ષિત રીલીઝ માટે રાજ્યના થિયેટરોમાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દીધો હતો અને પ્રજાને રામભરોસે છોડી દીધી હતી. આ ફિલ્મની રીલીઝ થઈ અને બીજા જ દિવસે પૂણેની જર્મન બેકરીમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો. પણ ચાટુકરોની એક ખાસિયત હોય છે-તે નિર્લજ્જ અને વહીવટયા હોય છે. તેમને બધું મેનેજ કરતાં આવડે છે.

પૂણે વિસ્ફોટની કોઈ કડી હજુ સુધી મળી નથી ત્યાં ચવ્વાણે ફરી તેમની મુખ્ય પારિવારિક આવડતના દર્શન કરાવ્યાં. મેડમ સોનિયા માઇનોને બોલીવૂડના સાચા સુપરસ્ટાર અને હિંદી ફિલ્મ ઉદ્યોગના એકમાત્ર મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર આંખમાં કણાની માફક ખૂંચે છે. ગાંધી પરિવારનો બચ્ચનદ્વૈષ જગજાહેર છે અને અશોક ચવ્વાણ આ વાત સારી રીતે જાણી ગયા છે. તેમણે પૂણેમાં મરાઠી સાહિત્ય સંમેલનમાં અમિતાભ સાથે હાજરી ન આપી ગાંધી પરિવારની સેવામાં ખડેપગે હાજર હોવાનો સંકેત આપી દીધો. પણ મહારાષ્ટ્રના જ કોંગ્રેસી નેતાઓમાં એક મજાકે જોર પકડ્યું છે કે અમિતાભ બચ્ચનો વિરોધ કરી અશોક ચવ્વાણે સાબિત કરી દીધું કે તે શંકરરાવ ચવ્વાણના જ પુત્ર છે. કોઈ શક?

Original Source: http://kotakkeyur.blogspot.com/

Mar
26
Comments Off

જ્યારે હું ભયભીત થાઉં ત્યારે….

Author     Category Uncategorized     Tags

મારે માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે હું ભયભીત થાઉં ત્યારે રામનામ લઈને ભયમુક્ત થઈ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી. તે વસ્તુ હું જ્ઞાનપૂર્વક સાધતો થયો અને આજે મારો એ સ્વભાવ થઈ પડ્યો છે. એમ કહી શકું કે ચોવીસ કલાક એ જ ધ્યાન રહે છે, કારણ મોઢે એ ન બોલતો હોઉં તોયે જે કાંઈ કરતો હોઉં તેમાં પણ ઊંડે ઊંડે તો રામનામની પ્રેરણા ચાલુ જ હોય છે. અનેક વિકટ પ્રસંગોએ એ મારી રક્ષક થઈ પડી છે અને ગમે તેટલી પ્રવૃત્તિમાં પણ હ્રદયમાં એ વસ્તુ ગુંજ્યા કરે એવો મારો હંમેશા સંકલ્પ રહ્યો છે.

માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હ્રદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હ્રદય ચાલે છે ત્યાં સુધી હ્રદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હ્રદય સુધી પહોંચતું હોય તોપણ હ્રદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્રદયનો કબજો મેળવ્યો હોય તો પછી 'જપ કેમ થાય' એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હ્રદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે આ પ્રમાણે રામનામ જ્યારે હ્રદયસ્થ થયું છે એવો ઓછા હશે.

રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેના વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર છે. ધીરજની પણ આવશ્યકતા છે. રામનામને હ્રદયમાં અંકિત કરવા અખૂટ ધીરજ જોઈએ. તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે.

ગાંધીવાણીઃ જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે

Original Source: http://kotakkeyur.blogspot.com/

Mar
25
Comments Off

ગ્રહ મૈત્રીના સિધ્ધાંતો

આપણે અગાઉ જોયું કે દરેક ગ્રહો મિત્ર, શત્રુ અને સમ ગ્રહો ધરાવે છે. ગ્રહો કઈ રીતે પરસ્પર મિત્ર, શત્રુ અથવા સમ બને છે તે માટેનાં સિધ્ધાંતો નીચે મુજબ છે.

૧. ગ્રહની ઉચ્ચ રાશિનો સ્વામી તે ગ્રહનો મિત્ર બને છે.

૨. ગ્રહની મૂળત્રિકોણ રાશિ લો. મૂળત્રિકોણ રાશિથી ૧૨ અને ૨, ૪ અને ૫, ૮ અને ૯ રાશિના સ્વામીઓ તે ગ્રહના મિત્ર બને છે.

૩. આ સિવાયની બાકીની રાશિઓ એટલે કે ગ્રહની મૂળત્રિકોણ રાશિથી ૧ અને ૩, (Read more...)

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Mar
25
Comments Off

સુહાની યાદેં…18…

Suhani Yade Continue… Dr.Nitu Mandke a noted Cardiologist of  Bombay spoke in favour of Astrology and Ayurveda in 1991 at medico-astrology conference held at kothrud-pune. News paper Maharashtra Herald Pune on 27-3-1991 and Pune Vartman covered the news on 28-03-1991 Suhani Yade i am sharing with you all God bless you all Dr.Sudhir Shah na [...]

Original Source: http://drsudhirshah.wordpress.com

Mar
25
Comments Off

સુહાની યાદેં…17…

Suhani Yade…Continue… Dr.Bhojraj Dwivedi of agyat darshan sharing his knowledge, explaining how to perform yagna-puja Shri J.Nath is also sharing his views on Yantra-Mantra-Tantra I am sharing this ,as how we learn, from this masters god bless all jai shree krishna   Visit next suhani yade  :  સુહાની યાદેં…18…     Filed under: astrology, ઈન્ટરનેટ, ડો.સુધીર [...]

Original Source: http://drsudhirshah.wordpress.com

Mar
23
Comments Off

ભગતસિંહને બચાવવા ગાંધીજીએ પ્રયાસ કર્યો હતો?

Author     Category Uncategorized     Tags

અગ્રણી રાષ્ટ્રીય સામયિક 'ઇન્ડિયા ટુડે'એ માર્ચ-એપ્રિલ, 2008માં એક સર્વેક્ષણ કર્યું હતું. તેમાં વીસમી સદીના મહાન ભારતીયો વિશે દેશવાસીઓનો મત જાણવામાં આવ્યો હતો. તમે જાણો છો તેમાં મહાન ભારતીય તરીકે કોની પસંદગી થઈ હતી? સરદાર પટેલ? મહાત્મા ગાંધી? જવાહરલાલ નેહરુ? જયપ્રકાશ નારાયણ? ઇન્દિરા ગાંધી? રવીન્દ્રનાથ ટાગોર? કોંગ્રેસીજનોને પૂછો તો તેઓ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ કહે. પણ ઇન્ડિયા ટુડેના આ સર્વેક્ષણમાં તટસ્થ દેશવાસીઓએ મતદાન કર્યું હતું.
તેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, જયપ્રકાશ નારાયણ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોને પાછળ પાડી 23 વર્ષની ઉંમરે હિંદુસ્તાનની આઝાદી માટે હસતાં-હસતાં ફાંસીના માંચડે ચડી જનાર ભગતસિંહની પસંદગી થઈ હતી. સર્વેક્ષણમાં 37 ટકા લોકોએ શહીદ ભગતસિંહને મહાન ભારતીય ગણાવ્યાં હતાં જ્યારે 27 ટકા મત સાથે સુભાષચંદ્ર બોઝને બીજું સ્થાન અને 13 ટકા મત સાથે મહાત્મા ગાંધીને ત્રીજું સ્થાન મળ્યું હતું. ભગતસિંહ આઝાદીની લડત દરમિયાન પણ સૌથી વધુ લોકપ્રિય ક્રાંતિકારી હતા અને આઝાદી પછી પણ સૌથી વધુ આકર્ષક શહીદ-એ-આઝમ...23 માર્ચ, 1931ના રોજ અંગ્રેજોએ સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહને ફાંસીના માંચડે લટકાવી દીધા ત્યારે પણ તેમની લોકપ્રિયતા ટોચ પર હતી અને આજે પણ...દર વર્ષે શહીદ દિવસ આવે છે અને એક પ્રશ્નની ચર્ચા થાય છે કે ભગતસિંહને બચાવવા ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ ખરેખર તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો?

જવાબ શોધવા ભાવનાના પ્રવાહમાં વહી ગયા વિના ઇતિહાસમાં ડોકિયુ કરવું પડે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યાં વિના તેને સમજવો પડે. 7 ઓક્ટોબર, 1930ના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસની સજા જાહેર કરી. તે પછી તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો. સરઘસો નીકળ્યાં. અંગ્રેજ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો થયો. ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ લાગૂ કરવામાં આવી હોવા છતાં તેની ઐસીતૈસી કરીને સેંકડો લોકોની ભીડ ઠેરઠેર એકત્ર થવા લાગી. લાહોરમાં તમામ કોલેજોની કામગીરી ઠપ્પ થઈ ગઈ. પંડિત મદનમોહન માલવીયે વાઇસરૉયને પત્ર લખીને ત્રણેય જવાનિયાને આપવામાં આવેલી ફાંસીની સજાને કાળા પાણીની સજામાં બદલવાની માગણી કરી. ભગતસિંહની માતા વિદ્યાવતીએ પણ સેંકડો લોકોના હસ્તાક્ષર સાથે ફાંસીની સજા રોકવા માટે વિનંતી કરી હતી. આ સમયે સમગ્ર દેશવાસીઓની નજર ગાંધીજી પર ઠરી હતી. તેઓ તે સમયે આઝાદીની લડતના સૌથી મોટા નેતા હતા. તેઓ વાઇસરૉયને આ મુદ્દે સમજાવવાની ક્ષમતા ધરાવે છે તેવી અપેક્ષા દેશવાસીઓને હતી. પણ ગાંધીજી દ્વિધામાં હતાં.

તેઓ સશસ્ત્ર ક્રાંતિમાં માનતા આ યુવાનોને બચાવવા જિદ પર ઉતરે તો યુવાનોમાં ખોટો સંદેશ જવાનો ડર હતો. યુવા પેઢીમાં સશસ્ત્ર ક્રાંતિને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર્તા માટેનું આંદોલન ગેરમાર્ગે દોરાઈ જાય તેવી બીક તેમને હતી. તેઓ સત્ય અને અહિંસાના સિદ્ધાંતને છોડવા માગતા નહોતા. પરંતુ સાથેસાથે ગાંધીજીને લોકલાગણીની પણ ચિંતા હતા. જનજુવાળ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સાથે હતો. લોકો આ યુવાનોને ફાંસીની સજા ન થાય તેવું ઇચ્છતાં હતાં. આ ત્રણેય યુવા દેશભક્તોને બચાવવા પોતે કશું ન કર્યું તેવું લોકો ન સમજે ચિંતા ગાંધીજીને સતાવતી હતી. આ સ્થિતિમાં ગાંધીજીએ મધ્યમ માર્ગ અપનાવ્યો હોય તેવું લાગે છે.

ચોથી માર્ચ, 1931ના રોજ થયેલા ગાંધી-ઇર્વિન કરારમાં થયેલી સમજૂતીમાં તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજાના મુદ્દાને દૂર રાખ્યો. લોકો એમ ઇચ્છતાં હતાં કે ઇર્વિન આ ત્રણેય યુવાનોને ફાંસીની સજા આપવાનો ચુકાદો રદ કરે તો જ ગાંધીજી તેમની સાથે સમજૂતી કરે. પણ ગાંધીજી માટે સત્ય અને અહિંસાનો સિદ્ધાંત સર્વોપરી હતો. તેઓ ઇચ્છતાં નહોતાં કે કોંગ્રેસ સશસ્ત્ર ક્રાંતિકારીઓ સાથે કોઈ પણ રીત જોડાય. એટલે તેમણે આ મુદ્દે વાઇસરૉય પર દબાણ ન કર્યું અને અહિંસાના સિદ્ધાંત સાથે કોંગ્રેસ કોઈ બાંધછોડ નહીં કરે તેવો સંદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને દેશના યુવાનોને આપ્યો. પણ તેમણે વાઇસરૉય સાથે આ મુદ્દે મૌખિક વાતચીત કરી ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની વાત કરી હતી. (જુઓ ગાંધીજીનો વાઇસરૉયને પત્ર) આ પત્રમાં એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે ગાંધીજીને તેમની સજા માફ કરાવવામાં બહુ રસ નહોતો તેવું લાગે છે, પણ લોકલાગણીને માન આપવા અને દેશમાં શાંતિ જાળવવા માફી બક્ષવાની અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં જો એ શક્ય ન હોય તો તેમણે ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની સલાહ વાઇસરૉયને આપી હતી. આ વાતની પુષ્ટિ વાઇસરૉય ઇર્વિને પોતે તેમના સંસ્મરણોમાં કરી છે.

ઇર્વિને પોતાના સંસ્મરણોમાં ગાંધીજી સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે કે ''ગાંધીએ ભગતસિંહના કેસનો ઉલ્લેખ કર્યો હતો.....તેમણે ફાંસીની સજામાં ફેરફાર કરવાની વાત કરી નહોતી. પણ વર્તમાન પરિસ્થિતિમાં થોડા સમય માટે સજાને સ્થગિત કરવાની વાત ચોક્કસ કરી હતી.'' ફાંસીની સજાના ચાર દિવસ અગાઉ 19 માર્ચના રોજ ઇર્વિન બહુ સ્પષ્ટપણે લખે છે કે ''ગાંધીએ કહ્યું કે આ નવયુવાનોને ફાંસીની સજા કરવામાં આવશે તો તેઓ રાષ્ટ્રીય શહીદ થઈ જશે અને વાતાવરણ ઉગ્ર બની જશે. ....ગાંધીએ કહ્યું કે તેમને બહુ ડર લાગે છે....મેં કહ્યું કે મને દુઃખ છે. ફક્ત ત્રણ વિકલ્પ શક્ય હતા. પહેલો, ફાંસીની સજા કરવામાં આવે. બીજો, તેને થોડો સમય ટાળવામાં આવે અને ત્રીજો, કોંગ્રેસનું કરાંચી અધિવેશન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ફાંસી અટકાવી દેવામાં આવે. પણ મેં આ કેસને પારખ્યો છે. હું નિર્ણય ફેરવી શકું તેમ નથી.''

ભગતસિંહની લોકપ્રિયતા વધતી જતી હતી. તેમને ફાંસીના માંચડે લટાકાવ્યાં પછી દેશમાં અશાંતિ ફેલાવવાનો જેટલો ડર ગાંધીજીને હતો તેના કરતાં પણ વધારે બીક અંગ્રેજ સરકારને હતી. આ કારણે જ અંગ્રેજોએ લાહોર સેન્ટ્લ જેલમાં તેમણે 24 માર્ચ, 1931ના રોજ સવારે સાત વાગે ફાંસી આપવાને બદલે 23 માર્ચ, 1931ના રોજ સાંજે સાત વાગે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દીધા.....

ચલતે-ચલતેઃ ફાંસની સજાના બે કલાક અગાઉ ભગતસિંહને તેમના વકીલ પ્રાણનાથ મેહતા મળવાં આવ્યાં હતાં. મેહતાએ પૂછ્યું, ''ભગત, તું કેમ છે?'' ભગતસિંહે કહ્યું, ''હંમેશની જેમ ખુશ છું.'' મેહતાએ કહ્યું, ''તારી અંતિમ ઇચ્છા શું છે?'' ભગતસિંહે કહ્યું, ''ફરી આ જ માતૃભૂમિમાં જન્મ લેવા માગું છું જેથી તેના ચરણોમાં સેવા સમર્પિત કરી શકું.''

Original Source: http://kotakkeyur.blogspot.com/

Mar
23
Comments Off

ગાંધીજીનો વાઇસરૉયને પત્ર

Author     Category Uncategorized     Tags

1, દરિયાગંજ, દિલ્હી
માર્ચ 23, 1931

પ્રિય ભાઈ,

આ પત્ર આપને માથે મારવામાં ઘાતકીપણું તો છે, પણ છેલ્લી અપીલ હું આપને કરું તે સુલહેશાંતિ માટે આવશ્યક છે. ભગતસિંહ અને એમના બે સાથીઓને થયેલી મૃત્યુદંડની સજા સાવ માફ કરો એવી કોઈ આશા નથી એવું આપ મને નિખાલસતાપૂર્વક કહ્યું જ હતું, છતાં શનિવારે મેં આપની આગળ જે રજૂઆત કરી, તે પર વિચાર કરવાનું પણ આપે કહેલું. ડૉ. સપ્રુ મને કાલે મળ્યા હતા. ને કહેતા હતા કે આ બાબત અંગે આપ ચિંતિત છો, તથા તેના યોગ્ય ઉકેલ માટે આપના મનમાં મથામણ ચાલી રહી છે. જો આ વિષયની પુનર્વિચારણાને સહેજ પણ અવકાશ હોય તો નીચેના મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું.

સાચો હોય કે ખોટો હોય, લોકમત માફીની તરફેણમાં છે. કોઈ સિદ્ધાંત જોખમાતો ન હોય તો લોકમતને માન આપવું એ ઘણી વાર કર્તવ્ય બની રહે છે.

વર્તમાન કિસ્સામાં સંજોગો એવા છે કે જો માફી બક્ષવામાં આવે તો દેશની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થાય એવો ભારે સંભવ છે. જો ફાંસી દેવાશે તો તો સુલેહશાંતિ બેશક જોખમમાં છે જ.

આ જિંદગીઓ બચાવવામાં આવે તો પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવાની ક્રાંતિકારી દળે મને ખાતરી આપી છે એવી માહિતી હું આપને આપી શકું છું, તે જોતાં ક્રાંતિદળ ખૂનરેજી અટકાવે ત્યાં સુધી મૃત્યુની સજા મોકૂફ રાખવાનું આપનું અનિવાર્ય કર્તવ્ય બને છે.

આજ પહેલાં પણ રાજકીય ખૂનો માફ થયેલાં છે. આ લોકોની જિંદગી બચાવવાથી બીજી અનેક નિર્દોષ જિંદગીઓ બચી જવાનો સંભવ હોય, અને કદાચ ક્રાંતિવાદીઓના ગુના પણ લગભગ નાબૂદ થાય એમ હોય તો તેમ કરવું વધારે સારું છે.

શાંતિના પક્ષમાં મારી જે કંઈ અસર પડે છે તેની આપ કદર કરો છો તો કૃપા કરીને, વિનાકારણ મારું કામ જે અત્યારે જ ઘણું મુશ્કેલ છે તેને ભવિષ્ય માટે વધુ મુશ્કેલ, લગભગ અશક્ય ન બનાવી દેશો.

ફાંસી દીધા પછી ન દીધી થઈ શકતી નથી. આ બાબતમાં ભૂલ થઈ શકે છે એવો આપને સહેજ પણ અંદેશો હોય તો મારી આપને આગ્રહપૂર્વક વિનંતી છે કે જે પગલું ઉઠાવ્યા પછી પાછું વાળી શકાતું નથી તેને વધુ વિચારણા માટે હાલ મોકૂફ રાખવું.

રૂબરૂ મળવાનું આવશ્યક હોય, તો હું આવી શકીશ. જોકે હું બોલીશ નહીં, (સોમવારે ગાંધીજીને મૌનવાર હતો), પરંતુ સાંભળીશ અને મારે જે કહેવું હશે તે લખીને આપીશ.

''ઉદારતા કદી નિષ્ફળ જતી નથી.''

આપનો
સહ્રદયી મિત્ર

Original Source: http://kotakkeyur.blogspot.com/

Mar
23
Comments Off

સુહાની યાદેં…16…

Suhani Yade..Continue… My Son Nihar, Wife Pragna and my self  at ICME function on 18-9-1993 Visit next suhani yade : સુહાની યાદેં…17…     Filed under: author, ઈન્ટરનેટ, ગુજરાતિ, ગુજરાતિ નેટ, ડો.સુધીર શાહ, Fragrance of Truth.., Internet, News, photostrem, Sanskar, sharing Tagged: awards, ડો.સુધીર શાહ, Dr Sudhir Shah, Suhani Yade

Original Source: http://drsudhirshah.wordpress.com

Mar
20
Comments Off

ભાવોનું વર્ગીકરણ

જન્મકુંડળીનાં બાર ભાવોને તેમની જુદી-જુદી સમાનતાઓને આધારે જુદાં-જુદાં જૂથમાં વહેંચવામાં આવ્યા છે.

કેન્દ્રસ્થાનો :

જન્મકુંડળીનાં ૧, ૪, ૭ અને ૧૦ ભાવ કેન્દ્રસ્થાનો કહેવાય છે. કેન્દ્રસ્થાનોની રાશિઓ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ચારેય સ્થાનોની રાશિ ચર અથવા સ્થિર અથવા દ્વિસ્વભાવ હોય છે. સ્વભાવમાં સમાનતા હોવાને લીધે આ ચારેય સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. કેન્દ્રસ્થાનો કુંડળીનાં સ્તંભ સમાન છે. આ સ્થાનોમાં રહેલાં ગ્રહો બળ પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ ફળ આપવા સમર્થ બને છે. કેન્દ્રસ્થાનોમાં પહેલાંથી ચોથું, ચોથાથી સાતમું અને સાતમાંથી દસમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે. દસમ સ્થાન સૌથી વધુ બળવાન હોય છે અને આ સ્થાનમાં રહેલ ગ્રહ સમગ્ર કુંડળી પર પ્રભુત્વ ધરાવતો હોય છે. કેન્દ્રસ્થાનો વિષ્ણુસ્થાનો છે અને જીવનમાં કરવાં પડતાં પુરુષાર્થનો નિર્દેશ કરે છે.

પણફર સ્થાનો :

જન્મકુંડળીનાં ૨, ૫, ૮ અને ૧૧ સ્થાન પણફર સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી આગળ રહેલો ભાવ છે. પણફર સ્થાનોમાં રહેલી રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં પણફર સ્થાનો સ્થિર રાશિ ધરાવે છે. આથી પણફર સ્થાનો સ્થિરતા, દ્રઢતા અને સલામતીનો નિર્દેશ કરે છે.


આપોકિલમ સ્થાનો :


જન્મકુંડળીનાં ૩, ૬, ૯ અને ૧૨ સ્થાન આપોકિલમ સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી પાછળ રહેલો ભાવ છે. આપોકિલમ સ્થાનોની રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં આપોકિલમ સ્થાનોમાં દ્વિસ્વભાવ રાશિઓ રહેલી છે. આ સ્થાનો સંદેશાવ્યવહાર અને વિચારણાનો નિર્દેશ કરે છે.


ત્રિકોણસ્થાનો :


જન્મકુંડળીનાં ૧, ૫ અને ૯ સ્થાન ત્રિકોણસ્થાનો કહેવાય છે. આ ભાવોની રાશિ તત્વમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ભાવો સ્થિત રાશિઓ અગ્નિતત્વ અથવા પૃથ્વીતત્વ અથવા વાયુતત્વ અથવા જળતત્વ ધરાવે છે. તત્વની સમાનતાને લીધે ત્રિકોણ સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. લગ્નસ્થાનનો સમાવેશ કેન્દ્ર અને ત્રિકોણ બંનેમાં થાય છે. ત્રિકોણ સ્થાનો શુભ સ્થાનો છે અને ભાગ્ય, કૃપા, ધન-સંપતિ, જ્ઞાન અને આશીર્વાદનો નિર્દેશ કરે છે. પંચમ સ્થાન કરતાં નવમ સ્થાન બળવાન છે અને તેને ત્રિ-ત્રિકોણ સ્થાન પણ કહેવામાં આવે છે. આ લક્ષ્મીસ્થાનો છે. કેન્દ્રસ્થાન પુરુષાર્થ છે તો ત્રિકોણસ્થાન એ પુરુષાર્થનું ફળ છે.

ત્રિક સ્થાનો :

જન્મકુંડળીનાં ૬, ૮ અને ૧૨ સ્થાનને ત્રિક સ્થાનો કહેવામાં આવે છે. આ સ્થાનો દુઃસ્થાનો ગણાય છે અને શત્રુ, રોગ, મૃત્યુ અને હાનિનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાન પણ દુઃસ્થાન ગણાય છે. પરંતુ ત્રિક સ્થાનો કરતાં પ્રમાણમાં ઓછી નકારાત્મક અસર ધરાવે છે. ૩, ૬, ૮ અને ૧૨ ને ખાડાનાં સ્થાનો પણ કહેવાય છે.


ત્રિષડાય સ્થાનો :


જન્મકુંડળીમાં ૩, ૬ અને ૧૧ સ્થાનો ત્રિષડાય સ્થાનો કહેવાય છે. તેમાં ત્રીજાં કરતાં છઠ્ઠું અને છઠ્ઠાં કરતાં અગિયારમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે.





ઉપચય સ્થાનો :


જન્મકુંડળીમાં ૩, ૬, ૧૦ અને ૧૧ સ્થાન ઉપચય સ્થાનો કહેવાય છે. ઉપચય એટલે કે વૃધ્ધિ. નામ પ્રમાણે જ ઉપચય સ્થાનો લાભ અને વૃધ્ધિનો નિર્દેશ કરે છે. પાપગ્રહો ઉપચય સ્થાનમાં હોવા શુભ ગણાય છે.





મારક સ્થાનો :


જન્મકુંડળીનાં ૨ અને ૭ સ્થાનો મારક સ્થાનો કહેવાય છે. કુંડળીમાં કોઈ પણ સ્થાનથી બારમું સ્થાન એ જે-તે ભાવની હાનિનો નિર્દેશ કરે છે. અષ્ટમ સ્થાન આયુષ્ય સ્થાન છે. આથી અષ્ટમ સ્થાનથી બારમું સ્થાન એટલે કે સપ્તમ સ્થાન આયુષ્યની હાનિનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાન અષ્ટમ સ્થાનથી આઠમું સ્થાન હોવાથી ભાવાત ભાવમના સિધ્ધાંતથી આયુષ્યનો નિર્દેશ કરે છે. તૃતીય સ્થાનથી બારમું સ્થાન એટલે કે દ્વિતીય સ્થાન આયુષ્યની હાનિનો સંકેત કરે છે. આ રીતે દ્વિતીય સ્થાન અને સપ્તમ સ્થાન મારક સ્થાનો બને છે.

આ ઉપરાંત જન્મકુંડળીના બાર ભાવોને ચાર ત્રિકોણ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં વહેંચવામા આવ્યાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનના ચાર પુરુષાર્થો છે જેનો ચાર કેન્દ્રસ્થાનો નિર્દેશ કરે છે. આ ચાર કેન્દ્રસ્થાનોથી શરૂ કરીને ચાર ત્રિકોણની રચના થાય છે.
૧, ૫, ૯
૪, ૮, ૧૨
૭, ૧૧, ૩
૧૦, ૨, ૬
ત્રિકોણ સ્થાનોમાં સ્થિત રાશિઓ એક જ તત્વ ધરાવતી હોવાથી એક ત્રિકોણનાં ત્રણેય સ્થાનો પરસ્પર એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે.

ધર્મ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૧, ૫ અને ૯ સ્થાનોથી ધર્મ ત્રિકોણ બને છે. આ સ્થાનો વ્યક્તિની વિશિષ્ટ માન્યતાનો નિર્દેશ કરે છે જે તેને સમાજમાં અલગ ઓળખ આપે છે. પ્રથમ સ્થાન એ ચોક્ક્સ ધાર્મિક માન્યતા ધરાવતાં કુટુંબમાં જન્મ થવાનો નિર્દેશ કરે છે. પંચમ સ્થાન પવિત્ર ધાર્મિક ગ્રંથો, મંત્ર, યંત્ર, તંત્ર અને ભક્તિનું સ્થાન છે. નવમ સ્થાન દેવાલયો અને ગુરુનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનો અગ્નિતત્વની રાશિઓ ધરાવે છે. જે રીતે અગ્નિમાં બળીને સોનું શુધ્ધ થાય છે તે રીતે ધર્માગ્નિમાં સર્વ પાપ અને દૂષણોનો નાશ થાય છે અને શુધ્ધ-પવિત્ર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અગ્નિતત્વ રૂપાંતરનું પ્રતીક છે.

અર્થ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૨, ૬ અને ૧૦ સ્થાનોથી અર્થ ત્રિકોણ બને છે. આ સ્થાનો ભૌતિક સમૃધ્ધિ અને જીવન નિર્વાહ સાથે સંબંધિત છે. દ્વિતીય સ્થાન આર્થિક સાધનોનો નિર્દેશ કરે છે જેની મદદ વડે વ્યવસાયની શરૂઆત કરી શકાય. ષષ્ઠ સ્થાન કઠોર પરિશ્રમ અને નોકરીનું સૂચક છે. જ્યારે દસમ સ્થાન કર્મસ્થાન છે અને આજીવિકા અને વ્યવસાયનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં પૃથ્વીતત્વની રાશિ રહેલી છે. પૃથ્વીતત્વ ભૌતિકતાનું સૂચક છે.

કામ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૩, ૭ અને ૧૧ ભાવોથી કામ ત્રિકોણ બને છે. આ સ્થાનો કામનાઓ સાથે સંબંધિત છે. તૃતીય સ્થાન વ્યક્તિગત ઈચ્છા અને મહાત્વાકાંક્ષાનો નિર્દેશ કરે છે. સપ્તમ સ્થાન કામેચ્છાનું સૂચક છે અને એકાદશ ભાવ દરેક પ્રકારની મનોકામનાઓ અને તેની પૂર્તિનો નિર્દેશ કરે છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં વાયુતત્વની રાશિ રહેલી છે. ઈચ્છાઓ મનમાં ઉદ્‌ભવે છે અને વાયુતત્વ મનને કલ્પનાઓથી ભરી દે છે.

મોક્ષ ત્રિકોણ :

જન્મકુંડળીનાં ૪, ૮ અને ૧૨ ભાવોથી મોક્ષત્રિકોણ બને છે. આ સ્થાનો અનાસક્તિ, મોક્ષ અને અધ્યાત્મ સાથે સંબંધિત છે. ચતુર્થ સ્થાન મધ્ય રાત્રિનો નિર્દેશ કરે છે. મધ્ય રાત્રિએ આવતી ગાઢ નિદ્રા એક રીતે સંસારથી અલિપ્તતાની સૂચક છે. આ ઉપરાંત ચતુર્થ સ્થાન હ્રદયનું છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિનો ઉદ્‌ભવ હ્રદયમાં થાય છે. અષ્ટમ સ્થાન અવરોધો, પીડા અને વેદના ભોગવીને અધ્યાત્મના માર્ગે આગળ વધવાનું છે. કુંડલિની શક્તિનો નિર્દેશ કરે છે. દ્વાદશ ભાવ મોક્ષ, અનાસક્તિ અને અહંકારના નાશનો સૂચક છે. કાળપુરુષની કુંડળીમાં આ સ્થાનોમાં જળતત્વની રાશિ રહેલી છે. જળતત્વ દયા, કરુણા અને પવિત્રતાનું પ્રતીક છે.

દ્રશ્ય અને અદ્રશ્ય ગોળાર્ધ :

જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજનું નિરિક્ષણ કરતાં કોઈ એક રાશિ ઉદિત થઈ રહેલી દેખાશે. આ રાશિનો અમુક ભાગ ઉદિત થઈ ચૂક્યો હશે. જ્યારે અમુક ભાગ ઉદિત થવાનો બાકી હશે. સપ્તમ સ્થાન એ પશ્ચિમ ક્ષિતિજનો નિર્દેશ કરે છે. જ્યાં રાશિઓ અસ્ત પામે છે. જન્મકુંડળીમાં ભાવ ૭ થી ૧ માં ઉદિત થઈ ચૂકેલી રાશિઓ હશે જ્યારે ભાવ ૧ થી ૭ ની રાશિઓ ક્ષિતિજ નીચે રહેલી હશે અને હવે પછી ઉદિત થનારી હશે.

ભાવ ૭ થી ૧ દ્રશ્ય ગોળાર્ધ કહેવાય છે.









ભાવ ૧ થી ૭ અદ્રશ્ય ગોળાર્ધ કહેવાય છે.








ધારોકે જાતકનાં જન્મ સમયે સિંહ રાશિનું ૧૮ અંશનુ લગ્ન ઉદિત થઈ રહ્યુ છે. તો સિંહ રાશિનાં ૧૮ અંશથી લઈને કર્ક, મિથુન, વૃષભ, મેષ, મીન અને કુંભ રાશિનાં ૧૮ અંશ સુધીનો ભાગ કુંડળીનો દ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૭ થી ૧)કહેવાશે. જ્યારે કુંભ રાશિના બાકીના ભાગથી લઈને મકર, ધનુ, વૃશ્ચિક, તુલા, કન્યા અને સિંહ રાશિનો બાકીનો ભાગ કુંડળીનો અદ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૧ થી ૭) કહેવાશે.

Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/

Mar
19

ચાલો થોડી અહીંતહીંની થઈ જાય,આઈએએસ,શરદ પવાર અને મણિશંકર ઐયર

Author જપન પાઠક    Category Uncategorized     Tags
અમદાવાદની કામા હોટેલમાં મોકો હતો ગુજરાતના રજવાડાના રાજવીઓની વાર્ષિક બેઠકનો. બેઠકમાં પ્રવાસન નિગમના આઈએએસ ઓફિસર પણ હાજર હતા. મિટિંગમાં બધા આઈએએસ અધિકારીને પોતાની હેરિટેજ હોટેલમાં પધારવાનો આગ્રહ કરતા રહે. પણ આઈએએસ અધિકારીએ એક જ જણને કીધું કે હું તમારે ત્યાં આવીશ. આ એક ખૂબસૂરત રાજવી સ્ત્રી હતી. અધિકારીએ પોતાના જુનિયરને કહ્યું કે આમનું (સ્ત્રીનું)નામ ને હેરિટેજ હોટેલ નોટ કરી દો એમને ત્યાં હું જઈશ.

Original Source: http://abgdeshgujarat.blogspot.com/

Follow us on Twitter! Follow us on Twitter!
Sign up for our daily email newsletter

Recent Posts

get bollywood fun everyday at your inbox

RSS Top 10 Gujarati Bloggers

Professional Web Hosting with Neepra.com

Archives