Browsing all articles from March, 2010
ચાટુકર, ચાટુકારિતા અને અશોક ચવ્વાણ…

સત્તા મેળવવી મુશ્કેલ છે અને સત્તા મળી જાય પછી? તેને પચાવવી. સત્તા મળી જાય પછી બહુ ઓછા લોકો પચાવી શકે છે. સત્તાને અપચો શાસકના મનમસ્તિષ્ક પર સવાર થઈ જાય છે. તે પોતાને સર્વશક્તિમાન અને અજેય સમજવા લાગે છે. મનમસ્તિષ્ક પર નિયંત્રણ ગુમાવી દે છે. તેની કથની-કરણીમાંથી મદ છલકાય છે અને ચમચા-ચમચીઓ ઘેરી લે છે.
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા પાસે કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાના કારણે કોંગ્રેસસંચાલિત ગઠબંધન સરકાર ફરી પ્રજાના માથે મરાઈ. સત્તાની સંપૂર્ણ બાગડોર સોનિયા આન્ટી પાસે છે. વચ્ચે-વચ્ચે ક્યારેક મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન હોવાનું જનતા જનાર્દનને યાદ કરાવી જાય છે. બાકી બધો ખેલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 'ચાટુકર' ખેલી રહ્યાં છે. 'ચાટુકર' અને 'ચાટુકારિતા' મજાનો હિંદી શબ્દ છે. ગુજરાતમાં તેના માટે ચમચાગિરી શબ્દ છે અને કોંગ્રેસમાં એક નહીં ચાટુકરો કે ચમચાઓની એક આખી ફૌજ છે. મેડમ એક ચપટી વગાડે અને પચાસ ચાટુકર ટપાકાં પાડતાં હાજર થઈ જાય છે. યસ મેડમ, હા જી મેડમ, બોલો મેડમ, વાહ મેડમ અને આહ્ મેડમ! ચાટુકર બહુ તેજ અને ટકોરાબંધ હોય છે. તે તેમના અધ્યક્ષ કે અધ્યક્ષાને ઓર્ડર આપવાની તક પણ આપતા નથી. ચાટુકરોના મન-મસ્તિષ્કમાં સમજદારીનો સમંદર હિલોળા લેતો હોય છે.
ચાટુકરોની એક ખાસિયત હોય છે. તેઓ કોઈને કોઈ બહાને ચાટુકારિતાની તક શોધી લે છે. એક ચાટુકરચાટુકારિતાના દર્શન કરાવે એટલે બીજા બધા ચાટુકરો પોતે રહી નથી ગયા તેવું દેખાડવા સારામાં સારી ચાટુકારિતા દેખાડવા પ્રયાસ કરે. કોંગ્રેસમાં ચાટુકારિતાની સીઝન બારમાસી છે પણ અત્યારે તોફાની થઈ છે. તેમાં માર્ગદર્શક બન્યાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક શંકરરાવ ચવ્વાણ. ચવ્વાણ પરિવાર ચાટુકારિતા પર હથોટી ધરાવે છે. બાપ એવા બેટા! સ્વ. શંકરરાવ ચવ્વાણે સંજય ગાંધીના જૂતાં ઉઠાવી લીધા હતા તો અશોક ચવ્વાણે કોંગ્રેસના 'મુસ્લિમ ચહેરા' શાહરૂખ ખાનની એક ફુલ્લીફાલતુ ફિલ્મની સુરક્ષિત રીલીઝ માટે રાજ્યના થિયેટરોમાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દીધો હતો અને પ્રજાને રામભરોસે છોડી દીધી હતી. આ ફિલ્મની રીલીઝ થઈ અને બીજા જ દિવસે પૂણેની જર્મન બેકરીમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો. પણ ચાટુકરોની એક ખાસિયત હોય છે-તે નિર્લજ્જ અને વહીવટયા હોય છે. તેમને બધું મેનેજ કરતાં આવડે છે.
પૂણે વિસ્ફોટની કોઈ કડી હજુ સુધી મળી નથી ત્યાં ચવ્વાણે ફરી તેમની મુખ્ય પારિવારિક આવડતના દર્શન કરાવ્યાં. મેડમ સોનિયા માઇનોને બોલીવૂડના સાચા સુપરસ્ટાર અને હિંદી ફિલ્મ ઉદ્યોગના એકમાત્ર મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર આંખમાં કણાની માફક ખૂંચે છે. ગાંધી પરિવારનો બચ્ચનદ્વૈષ જગજાહેર છે અને અશોક ચવ્વાણ આ વાત સારી રીતે જાણી ગયા છે. તેમણે પૂણેમાં મરાઠી સાહિત્ય સંમેલનમાં અમિતાભ સાથે હાજરી ન આપી ગાંધી પરિવારની સેવામાં ખડેપગે હાજર હોવાનો સંકેત આપી દીધો. પણ મહારાષ્ટ્રના જ કોંગ્રેસી નેતાઓમાં એક મજાકે જોર પકડ્યું છે કે અમિતાભ બચ્ચનો વિરોધ કરી અશોક ચવ્વાણે સાબિત કરી દીધું કે તે શંકરરાવ ચવ્વાણના જ પુત્ર છે. કોઈ શક?
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા પાસે કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાના કારણે કોંગ્રેસસંચાલિત ગઠબંધન સરકાર ફરી પ્રજાના માથે મરાઈ. સત્તાની સંપૂર્ણ બાગડોર સોનિયા આન્ટી પાસે છે. વચ્ચે-વચ્ચે ક્યારેક મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન હોવાનું જનતા જનાર્દનને યાદ કરાવી જાય છે. બાકી બધો ખેલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 'ચાટુકર' ખેલી રહ્યાં છે. 'ચાટુકર' અને 'ચાટુકારિતા' મજાનો હિંદી શબ્દ છે. ગુજરાતમાં તેના માટે ચમચાગિરી શબ્દ છે અને કોંગ્રેસમાં એક નહીં ચાટુકરો કે ચમચાઓની એક આખી ફૌજ છે. મેડમ એક ચપટી વગાડે અને પચાસ ચાટુકર ટપાકાં પાડતાં હાજર થઈ જાય છે. યસ મેડમ, હા જી મેડમ, બોલો મેડમ, વાહ મેડમ અને આહ્ મેડમ! ચાટુકર બહુ તેજ અને ટકોરાબંધ હોય છે. તે તેમના અધ્યક્ષ કે અધ્યક્ષાને ઓર્ડર આપવાની તક પણ આપતા નથી. ચાટુકરોના મન-મસ્તિષ્કમાં સમજદારીનો સમંદર હિલોળા લેતો હોય છે.
ચાટુકરોની એક ખાસિયત હોય છે. તેઓ કોઈને કોઈ બહાને ચાટુકારિતાની તક શોધી લે છે. એક ચાટુકરચાટુકારિતાના દર્શન કરાવે એટલે બીજા બધા ચાટુકરો પોતે રહી નથી ગયા તેવું દેખાડવા સારામાં સારી ચાટુકારિતા દેખાડવા પ્રયાસ કરે. કોંગ્રેસમાં ચાટુકારિતાની સીઝન બારમાસી છે પણ અત્યારે તોફાની થઈ છે. તેમાં માર્ગદર્શક બન્યાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક શંકરરાવ ચવ્વાણ. ચવ્વાણ પરિવાર ચાટુકારિતા પર હથોટી ધરાવે છે. બાપ એવા બેટા! સ્વ. શંકરરાવ ચવ્વાણે સંજય ગાંધીના જૂતાં ઉઠાવી લીધા હતા તો અશોક ચવ્વાણે કોંગ્રેસના 'મુસ્લિમ ચહેરા' શાહરૂખ ખાનની એક ફુલ્લીફાલતુ ફિલ્મની સુરક્ષિત રીલીઝ માટે રાજ્યના થિયેટરોમાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દીધો હતો અને પ્રજાને રામભરોસે છોડી દીધી હતી. આ ફિલ્મની રીલીઝ થઈ અને બીજા જ દિવસે પૂણેની જર્મન બેકરીમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો. પણ ચાટુકરોની એક ખાસિયત હોય છે-તે નિર્લજ્જ અને વહીવટયા હોય છે. તેમને બધું મેનેજ કરતાં આવડે છે.
પૂણે વિસ્ફોટની કોઈ કડી હજુ સુધી મળી નથી ત્યાં ચવ્વાણે ફરી તેમની મુખ્ય પારિવારિક આવડતના દર્શન કરાવ્યાં. મેડમ સોનિયા માઇનોને બોલીવૂડના સાચા સુપરસ્ટાર અને હિંદી ફિલ્મ ઉદ્યોગના એકમાત્ર મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર આંખમાં કણાની માફક ખૂંચે છે. ગાંધી પરિવારનો બચ્ચનદ્વૈષ જગજાહેર છે અને અશોક ચવ્વાણ આ વાત સારી રીતે જાણી ગયા છે. તેમણે પૂણેમાં મરાઠી સાહિત્ય સંમેલનમાં અમિતાભ સાથે હાજરી ન આપી ગાંધી પરિવારની સેવામાં ખડેપગે હાજર હોવાનો સંકેત આપી દીધો. પણ મહારાષ્ટ્રના જ કોંગ્રેસી નેતાઓમાં એક મજાકે જોર પકડ્યું છે કે અમિતાભ બચ્ચનો વિરોધ કરી અશોક ચવ્વાણે સાબિત કરી દીધું કે તે શંકરરાવ ચવ્વાણના જ પુત્ર છે. કોઈ શક?
Original Source: http://kotakkeyur.blogspot.com/
જ્યારે હું ભયભીત થાઉં ત્યારે….

મારે માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે હું ભયભીત થાઉં ત્યારે રામનામ લઈને ભયમુક્ત થઈ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી. તે વસ્તુ હું જ્ઞાનપૂર્વક સાધતો થયો અને આજે મારો એ સ્વભાવ થઈ પડ્યો છે. એમ કહી શકું કે ચોવીસ કલાક એ જ ધ્યાન રહે છે, કારણ મોઢે એ ન બોલતો હોઉં તોયે જે કાંઈ કરતો હોઉં તેમાં પણ ઊંડે ઊંડે તો રામનામની પ્રેરણા ચાલુ જ હોય છે. અનેક વિકટ પ્રસંગોએ એ મારી રક્ષક થઈ પડી છે અને ગમે તેટલી પ્રવૃત્તિમાં પણ હ્રદયમાં એ વસ્તુ ગુંજ્યા કરે એવો મારો હંમેશા સંકલ્પ રહ્યો છે.
માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હ્રદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હ્રદય ચાલે છે ત્યાં સુધી હ્રદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હ્રદય સુધી પહોંચતું હોય તોપણ હ્રદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્રદયનો કબજો મેળવ્યો હોય તો પછી 'જપ કેમ થાય' એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હ્રદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે આ પ્રમાણે રામનામ જ્યારે હ્રદયસ્થ થયું છે એવો ઓછા હશે.
રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેના વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર છે. ધીરજની પણ આવશ્યકતા છે. રામનામને હ્રદયમાં અંકિત કરવા અખૂટ ધીરજ જોઈએ. તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે.
ગાંધીવાણીઃ જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે
માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હ્રદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હ્રદય ચાલે છે ત્યાં સુધી હ્રદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હ્રદય સુધી પહોંચતું હોય તોપણ હ્રદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્રદયનો કબજો મેળવ્યો હોય તો પછી 'જપ કેમ થાય' એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હ્રદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે આ પ્રમાણે રામનામ જ્યારે હ્રદયસ્થ થયું છે એવો ઓછા હશે.
રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેના વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર છે. ધીરજની પણ આવશ્યકતા છે. રામનામને હ્રદયમાં અંકિત કરવા અખૂટ ધીરજ જોઈએ. તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે.
ગાંધીવાણીઃ જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે
Original Source: http://kotakkeyur.blogspot.com/
ગ્રહ મૈત્રીના સિધ્ધાંતો
આપણે અગાઉ જોયું કે દરેક ગ્રહો મિત્ર, શત્રુ અને સમ ગ્રહો ધરાવે છે. ગ્રહો કઈ રીતે પરસ્પર મિત્ર, શત્રુ અથવા સમ બને છે તે માટેનાં સિધ્ધાંતો નીચે મુજબ છે.૧. ગ્રહની ઉચ્ચ રાશિનો સ્વામી તે ગ્રહનો મિત્ર બને છે.
૨. ગ્રહની મૂળત્રિકોણ રાશિ લો. મૂળત્રિકોણ રાશિથી ૧૨ અને ૨, ૪ અને ૫, ૮ અને ૯ રાશિના સ્વામીઓ તે ગ્રહના મિત્ર બને છે.
૩. આ સિવાયની બાકીની રાશિઓ એટલે કે ગ્રહની મૂળત્રિકોણ રાશિથી ૧ અને ૩, (Read more...)
Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/
સુહાની યાદેં…18…
Suhani Yade Continue… Dr.Nitu Mandke a noted Cardiologist of Bombay spoke in favour of Astrology and Ayurveda in 1991 at medico-astrology conference held at kothrud-pune. News paper Maharashtra Herald Pune on 27-3-1991 and Pune Vartman covered the news on 28-03-1991 Suhani Yade i am sharing with you all God bless you all Dr.Sudhir Shah na [...]Original Source: http://drsudhirshah.wordpress.com
સુહાની યાદેં…17…
Suhani Yade…Continue… Dr.Bhojraj Dwivedi of agyat darshan sharing his knowledge, explaining how to perform yagna-puja Shri J.Nath is also sharing his views on Yantra-Mantra-Tantra I am sharing this ,as how we learn, from this masters god bless all jai shree krishna Visit next suhani yade : સુહાની યાદેં…18… Filed under: astrology, ઈન્ટરનેટ, ડો.સુધીર [...]Original Source: http://drsudhirshah.wordpress.com
ભગતસિંહને બચાવવા ગાંધીજીએ પ્રયાસ કર્યો હતો?
અગ્રણી રાષ્ટ્રીય સામયિક 'ઇન્ડિયા ટુડે'એ માર્ચ-એપ્રિલ, 2008માં એક સર્વેક્ષણ કર્યું હતું. તેમાં વીસમી સદીના મહાન ભારતીયો વિશે દેશવાસીઓનો મત જાણવામાં આવ્યો હતો. તમે જાણો છો તેમાં મહાન ભારતીય તરીકે કોની પસંદગી થઈ હતી? સરદાર પટેલ? મહાત્મા ગાંધી? જવાહરલાલ નેહરુ? જયપ્રકાશ નારાયણ? ઇન્દિરા ગાંધી? રવીન્દ્રનાથ ટાગોર? કોંગ્રેસીજનોને પૂછો તો તેઓ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ કહે. પણ ઇન્ડિયા ટુડેના આ સર્વેક્ષણમાં તટસ્થ દેશવાસીઓએ મતદાન કર્યું હતું.
તેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, જયપ્રકાશ નારાયણ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોને પાછળ પાડી 23 વર્ષની ઉંમરે હિંદુસ્તાનની આઝાદી માટે હસતાં-હસતાં ફાંસીના માંચડે ચડી જનાર ભગતસિંહની પસંદગી થઈ હતી. સર્વેક્ષણમાં 37 ટકા લોકોએ શહીદ ભગતસિંહને મહાન ભારતીય ગણાવ્યાં હતાં જ્યારે 27 ટકા મત સાથે સુભાષચંદ્ર બોઝને બીજું સ્થાન અને 13 ટકા મત સાથે મહાત્મા ગાંધીને ત્રીજું સ્થાન મળ્યું હતું. ભગતસિંહ આઝાદીની લડત દરમિયાન પણ સૌથી વધુ લોકપ્રિય ક્રાંતિકારી હતા અને આઝાદી પછી પણ સૌથી વધુ આકર્ષક શહીદ-એ-આઝમ...23 માર્ચ, 1931ના રોજ અંગ્રેજોએ સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહને ફાંસીના માંચડે લટકાવી દીધા ત્યારે પણ તેમની લોકપ્રિયતા ટોચ પર હતી અને આજે પણ...દર વર્ષે શહીદ દિવસ આવે છે અને એક પ્રશ્નની ચર્ચા થાય છે કે ભગતસિંહને બચાવવા ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ ખરેખર તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો?
જવાબ શોધવા ભાવનાના પ્રવાહમાં વહી ગયા વિના ઇતિહાસમાં ડોકિયુ કરવું પડે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યાં વિના તેને સમજવો પડે. 7 ઓક્ટોબર, 1930ના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસની સજા જાહેર કરી. તે પછી તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો. સરઘસો નીકળ્યાં. અંગ્રેજ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો થયો. ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ લાગૂ કરવામાં આવી હોવા છતાં તેની ઐસીતૈસી કરીને સેંકડો લોકોની ભીડ ઠેરઠેર એકત્ર થવા લાગી. લાહોરમાં તમામ કોલેજોની કામગીરી ઠપ્પ થઈ ગઈ. પંડિત મદનમોહન માલવીયે વાઇસરૉયને પત્ર લખીને ત્રણેય જવાનિયાને આપવામાં આવેલી ફાંસીની સજાને કાળા પાણીની સજામાં બદલવાની માગણી કરી. ભગતસિંહની માતા વિદ્યાવતીએ પણ સેંકડો લોકોના હસ્તાક્ષર સાથે ફાંસીની સજા રોકવા માટે વિનંતી કરી હતી. આ સમયે સમગ્ર દેશવાસીઓની નજર ગાંધીજી પર ઠરી હતી. તેઓ તે સમયે આઝાદીની લડતના સૌથી મોટા નેતા હતા. તેઓ વાઇસરૉયને આ મુદ્દે સમજાવવાની ક્ષમતા ધરાવે છે તેવી અપેક્ષા દેશવાસીઓને હતી. પણ ગાંધીજી દ્વિધામાં હતાં.
તેઓ સશસ્ત્ર ક્રાંતિમાં માનતા આ યુવાનોને બચાવવા જિદ પર ઉતરે તો યુવાનોમાં ખોટો સંદેશ જવાનો ડર હતો. યુવા પેઢીમાં સશસ્ત્ર ક્રાંતિને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર્તા માટેનું આંદોલન ગેરમાર્ગે દોરાઈ જાય તેવી બીક તેમને હતી. તેઓ સત્ય અને અહિંસાના સિદ્ધાંતને છોડવા માગતા નહોતા. પરંતુ સાથેસાથે ગાંધીજીને લોકલાગણીની પણ ચિંતા હતા. જનજુવાળ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સાથે હતો. લોકો આ યુવાનોને ફાંસીની સજા ન થાય તેવું ઇચ્છતાં હતાં. આ ત્રણેય યુવા દેશભક્તોને બચાવવા પોતે કશું ન કર્યું તેવું લોકો ન સમજે ચિંતા ગાંધીજીને સતાવતી હતી. આ સ્થિતિમાં ગાંધીજીએ મધ્યમ માર્ગ અપનાવ્યો હોય તેવું લાગે છે.
ચોથી માર્ચ, 1931ના રોજ થયેલા ગાંધી-ઇર્વિન કરારમાં થયેલી સમજૂતીમાં તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજાના મુદ્દાને દૂર રાખ્યો. લોકો એમ ઇચ્છતાં હતાં કે ઇર્વિન આ ત્રણેય યુવાનોને ફાંસીની સજા આપવાનો ચુકાદો રદ કરે તો જ ગાંધીજી તેમની સાથે સમજૂતી કરે. પણ ગાંધીજી માટે સત્ય અને અહિંસાનો સિદ્ધાંત સર્વોપરી હતો. તેઓ ઇચ્છતાં નહોતાં કે કોંગ્રેસ સશસ્ત્ર ક્રાંતિકારીઓ સાથે કોઈ પણ રીત જોડાય. એટલે તેમણે આ મુદ્દે વાઇસરૉય પર દબાણ ન કર્યું અને અહિંસાના સિદ્ધાંત સાથે કોંગ્રેસ કોઈ બાંધછોડ નહીં કરે તેવો સંદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને દેશના યુવાનોને આપ્યો. પણ તેમણે વાઇસરૉય સાથે આ મુદ્દે મૌખિક વાતચીત કરી ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની વાત કરી હતી. (જુઓ ગાંધીજીનો વાઇસરૉયને પત્ર) આ પત્રમાં એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે ગાંધીજીને તેમની સજા માફ કરાવવામાં બહુ રસ નહોતો તેવું લાગે છે, પણ લોકલાગણીને માન આપવા અને દેશમાં શાંતિ જાળવવા માફી બક્ષવાની અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં જો એ શક્ય ન હોય તો તેમણે ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની સલાહ વાઇસરૉયને આપી હતી. આ વાતની પુષ્ટિ વાઇસરૉય ઇર્વિને પોતે તેમના સંસ્મરણોમાં કરી છે.
ઇર્વિને પોતાના સંસ્મરણોમાં ગાંધીજી સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે કે ''ગાંધીએ ભગતસિંહના કેસનો ઉલ્લેખ કર્યો હતો.....તેમણે ફાંસીની સજામાં ફેરફાર કરવાની વાત કરી નહોતી. પણ વર્તમાન પરિસ્થિતિમાં થોડા સમય માટે સજાને સ્થગિત કરવાની વાત ચોક્કસ કરી હતી.'' ફાંસીની સજાના ચાર દિવસ અગાઉ 19 માર્ચના રોજ ઇર્વિન બહુ સ્પષ્ટપણે લખે છે કે ''ગાંધીએ કહ્યું કે આ નવયુવાનોને ફાંસીની સજા કરવામાં આવશે તો તેઓ રાષ્ટ્રીય શહીદ થઈ જશે અને વાતાવરણ ઉગ્ર બની જશે. ....ગાંધીએ કહ્યું કે તેમને બહુ ડર લાગે છે....મેં કહ્યું કે મને દુઃખ છે. ફક્ત ત્રણ વિકલ્પ શક્ય હતા. પહેલો, ફાંસીની સજા કરવામાં આવે. બીજો, તેને થોડો સમય ટાળવામાં આવે અને ત્રીજો, કોંગ્રેસનું કરાંચી અધિવેશન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ફાંસી અટકાવી દેવામાં આવે. પણ મેં આ કેસને પારખ્યો છે. હું નિર્ણય ફેરવી શકું તેમ નથી.''
ભગતસિંહની લોકપ્રિયતા વધતી જતી હતી. તેમને ફાંસીના માંચડે લટાકાવ્યાં પછી દેશમાં અશાંતિ ફેલાવવાનો જેટલો ડર ગાંધીજીને હતો તેના કરતાં પણ વધારે બીક અંગ્રેજ સરકારને હતી. આ કારણે જ અંગ્રેજોએ લાહોર સેન્ટ્લ જેલમાં તેમણે 24 માર્ચ, 1931ના રોજ સવારે સાત વાગે ફાંસી આપવાને બદલે 23 માર્ચ, 1931ના રોજ સાંજે સાત વાગે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દીધા.....
ચલતે-ચલતેઃ ફાંસની સજાના બે કલાક અગાઉ ભગતસિંહને તેમના વકીલ પ્રાણનાથ મેહતા મળવાં આવ્યાં હતાં. મેહતાએ પૂછ્યું, ''ભગત, તું કેમ છે?'' ભગતસિંહે કહ્યું, ''હંમેશની જેમ ખુશ છું.'' મેહતાએ કહ્યું, ''તારી અંતિમ ઇચ્છા શું છે?'' ભગતસિંહે કહ્યું, ''ફરી આ જ માતૃભૂમિમાં જન્મ લેવા માગું છું જેથી તેના ચરણોમાં સેવા સમર્પિત કરી શકું.''
તેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, જયપ્રકાશ નારાયણ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોને પાછળ પાડી 23 વર્ષની ઉંમરે હિંદુસ્તાનની આઝાદી માટે હસતાં-હસતાં ફાંસીના માંચડે ચડી જનાર ભગતસિંહની પસંદગી થઈ હતી. સર્વેક્ષણમાં 37 ટકા લોકોએ શહીદ ભગતસિંહને મહાન ભારતીય ગણાવ્યાં હતાં જ્યારે 27 ટકા મત સાથે સુભાષચંદ્ર બોઝને બીજું સ્થાન અને 13 ટકા મત સાથે મહાત્મા ગાંધીને ત્રીજું સ્થાન મળ્યું હતું. ભગતસિંહ આઝાદીની લડત દરમિયાન પણ સૌથી વધુ લોકપ્રિય ક્રાંતિકારી હતા અને આઝાદી પછી પણ સૌથી વધુ આકર્ષક શહીદ-એ-આઝમ...23 માર્ચ, 1931ના રોજ અંગ્રેજોએ સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહને ફાંસીના માંચડે લટકાવી દીધા ત્યારે પણ તેમની લોકપ્રિયતા ટોચ પર હતી અને આજે પણ...દર વર્ષે શહીદ દિવસ આવે છે અને એક પ્રશ્નની ચર્ચા થાય છે કે ભગતસિંહને બચાવવા ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ ખરેખર તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો?
જવાબ શોધવા ભાવનાના પ્રવાહમાં વહી ગયા વિના ઇતિહાસમાં ડોકિયુ કરવું પડે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યાં વિના તેને સમજવો પડે. 7 ઓક્ટોબર, 1930ના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસની સજા જાહેર કરી. તે પછી તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો. સરઘસો નીકળ્યાં. અંગ્રેજ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો થયો. ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ લાગૂ કરવામાં આવી હોવા છતાં તેની ઐસીતૈસી કરીને સેંકડો લોકોની ભીડ ઠેરઠેર એકત્ર થવા લાગી. લાહોરમાં તમામ કોલેજોની કામગીરી ઠપ્પ થઈ ગઈ. પંડિત મદનમોહન માલવીયે વાઇસરૉયને પત્ર લખીને ત્રણેય જવાનિયાને આપવામાં આવેલી ફાંસીની સજાને કાળા પાણીની સજામાં બદલવાની માગણી કરી. ભગતસિંહની માતા વિદ્યાવતીએ પણ સેંકડો લોકોના હસ્તાક્ષર સાથે ફાંસીની સજા રોકવા માટે વિનંતી કરી હતી. આ સમયે સમગ્ર દેશવાસીઓની નજર ગાંધીજી પર ઠરી હતી. તેઓ તે સમયે આઝાદીની લડતના સૌથી મોટા નેતા હતા. તેઓ વાઇસરૉયને આ મુદ્દે સમજાવવાની ક્ષમતા ધરાવે છે તેવી અપેક્ષા દેશવાસીઓને હતી. પણ ગાંધીજી દ્વિધામાં હતાં.
તેઓ સશસ્ત્ર ક્રાંતિમાં માનતા આ યુવાનોને બચાવવા જિદ પર ઉતરે તો યુવાનોમાં ખોટો સંદેશ જવાનો ડર હતો. યુવા પેઢીમાં સશસ્ત્ર ક્રાંતિને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર્તા માટેનું આંદોલન ગેરમાર્ગે દોરાઈ જાય તેવી બીક તેમને હતી. તેઓ સત્ય અને અહિંસાના સિદ્ધાંતને છોડવા માગતા નહોતા. પરંતુ સાથેસાથે ગાંધીજીને લોકલાગણીની પણ ચિંતા હતા. જનજુવાળ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સાથે હતો. લોકો આ યુવાનોને ફાંસીની સજા ન થાય તેવું ઇચ્છતાં હતાં. આ ત્રણેય યુવા દેશભક્તોને બચાવવા પોતે કશું ન કર્યું તેવું લોકો ન સમજે ચિંતા ગાંધીજીને સતાવતી હતી. આ સ્થિતિમાં ગાંધીજીએ મધ્યમ માર્ગ અપનાવ્યો હોય તેવું લાગે છે.
ચોથી માર્ચ, 1931ના રોજ થયેલા ગાંધી-ઇર્વિન કરારમાં થયેલી સમજૂતીમાં તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજાના મુદ્દાને દૂર રાખ્યો. લોકો એમ ઇચ્છતાં હતાં કે ઇર્વિન આ ત્રણેય યુવાનોને ફાંસીની સજા આપવાનો ચુકાદો રદ કરે તો જ ગાંધીજી તેમની સાથે સમજૂતી કરે. પણ ગાંધીજી માટે સત્ય અને અહિંસાનો સિદ્ધાંત સર્વોપરી હતો. તેઓ ઇચ્છતાં નહોતાં કે કોંગ્રેસ સશસ્ત્ર ક્રાંતિકારીઓ સાથે કોઈ પણ રીત જોડાય. એટલે તેમણે આ મુદ્દે વાઇસરૉય પર દબાણ ન કર્યું અને અહિંસાના સિદ્ધાંત સાથે કોંગ્રેસ કોઈ બાંધછોડ નહીં કરે તેવો સંદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને દેશના યુવાનોને આપ્યો. પણ તેમણે વાઇસરૉય સાથે આ મુદ્દે મૌખિક વાતચીત કરી ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની વાત કરી હતી. (જુઓ ગાંધીજીનો વાઇસરૉયને પત્ર) આ પત્રમાં એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે ગાંધીજીને તેમની સજા માફ કરાવવામાં બહુ રસ નહોતો તેવું લાગે છે, પણ લોકલાગણીને માન આપવા અને દેશમાં શાંતિ જાળવવા માફી બક્ષવાની અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં જો એ શક્ય ન હોય તો તેમણે ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની સલાહ વાઇસરૉયને આપી હતી. આ વાતની પુષ્ટિ વાઇસરૉય ઇર્વિને પોતે તેમના સંસ્મરણોમાં કરી છે.
ઇર્વિને પોતાના સંસ્મરણોમાં ગાંધીજી સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે કે ''ગાંધીએ ભગતસિંહના કેસનો ઉલ્લેખ કર્યો હતો.....તેમણે ફાંસીની સજામાં ફેરફાર કરવાની વાત કરી નહોતી. પણ વર્તમાન પરિસ્થિતિમાં થોડા સમય માટે સજાને સ્થગિત કરવાની વાત ચોક્કસ કરી હતી.'' ફાંસીની સજાના ચાર દિવસ અગાઉ 19 માર્ચના રોજ ઇર્વિન બહુ સ્પષ્ટપણે લખે છે કે ''ગાંધીએ કહ્યું કે આ નવયુવાનોને ફાંસીની સજા કરવામાં આવશે તો તેઓ રાષ્ટ્રીય શહીદ થઈ જશે અને વાતાવરણ ઉગ્ર બની જશે. ....ગાંધીએ કહ્યું કે તેમને બહુ ડર લાગે છે....મેં કહ્યું કે મને દુઃખ છે. ફક્ત ત્રણ વિકલ્પ શક્ય હતા. પહેલો, ફાંસીની સજા કરવામાં આવે. બીજો, તેને થોડો સમય ટાળવામાં આવે અને ત્રીજો, કોંગ્રેસનું કરાંચી અધિવેશન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ફાંસી અટકાવી દેવામાં આવે. પણ મેં આ કેસને પારખ્યો છે. હું નિર્ણય ફેરવી શકું તેમ નથી.''
ભગતસિંહની લોકપ્રિયતા વધતી જતી હતી. તેમને ફાંસીના માંચડે લટાકાવ્યાં પછી દેશમાં અશાંતિ ફેલાવવાનો જેટલો ડર ગાંધીજીને હતો તેના કરતાં પણ વધારે બીક અંગ્રેજ સરકારને હતી. આ કારણે જ અંગ્રેજોએ લાહોર સેન્ટ્લ જેલમાં તેમણે 24 માર્ચ, 1931ના રોજ સવારે સાત વાગે ફાંસી આપવાને બદલે 23 માર્ચ, 1931ના રોજ સાંજે સાત વાગે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દીધા.....
ચલતે-ચલતેઃ ફાંસની સજાના બે કલાક અગાઉ ભગતસિંહને તેમના વકીલ પ્રાણનાથ મેહતા મળવાં આવ્યાં હતાં. મેહતાએ પૂછ્યું, ''ભગત, તું કેમ છે?'' ભગતસિંહે કહ્યું, ''હંમેશની જેમ ખુશ છું.'' મેહતાએ કહ્યું, ''તારી અંતિમ ઇચ્છા શું છે?'' ભગતસિંહે કહ્યું, ''ફરી આ જ માતૃભૂમિમાં જન્મ લેવા માગું છું જેથી તેના ચરણોમાં સેવા સમર્પિત કરી શકું.''
Original Source: http://kotakkeyur.blogspot.com/
ગાંધીજીનો વાઇસરૉયને પત્ર

1, દરિયાગંજ, દિલ્હી
માર્ચ 23, 1931
પ્રિય ભાઈ,
આ પત્ર આપને માથે મારવામાં ઘાતકીપણું તો છે, પણ છેલ્લી અપીલ હું આપને કરું તે સુલહેશાંતિ માટે આવશ્યક છે. ભગતસિંહ અને એમના બે સાથીઓને થયેલી મૃત્યુદંડની સજા સાવ માફ કરો એવી કોઈ આશા નથી એવું આપ મને નિખાલસતાપૂર્વક કહ્યું જ હતું, છતાં શનિવારે મેં આપની આગળ જે રજૂઆત કરી, તે પર વિચાર કરવાનું પણ આપે કહેલું. ડૉ. સપ્રુ મને કાલે મળ્યા હતા. ને કહેતા હતા કે આ બાબત અંગે આપ ચિંતિત છો, તથા તેના યોગ્ય ઉકેલ માટે આપના મનમાં મથામણ ચાલી રહી છે. જો આ વિષયની પુનર્વિચારણાને સહેજ પણ અવકાશ હોય તો નીચેના મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું.
સાચો હોય કે ખોટો હોય, લોકમત માફીની તરફેણમાં છે. કોઈ સિદ્ધાંત જોખમાતો ન હોય તો લોકમતને માન આપવું એ ઘણી વાર કર્તવ્ય બની રહે છે.
વર્તમાન કિસ્સામાં સંજોગો એવા છે કે જો માફી બક્ષવામાં આવે તો દેશની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થાય એવો ભારે સંભવ છે. જો ફાંસી દેવાશે તો તો સુલેહશાંતિ બેશક જોખમમાં છે જ.
આ જિંદગીઓ બચાવવામાં આવે તો પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવાની ક્રાંતિકારી દળે મને ખાતરી આપી છે એવી માહિતી હું આપને આપી શકું છું, તે જોતાં ક્રાંતિદળ ખૂનરેજી અટકાવે ત્યાં સુધી મૃત્યુની સજા મોકૂફ રાખવાનું આપનું અનિવાર્ય કર્તવ્ય બને છે.
આજ પહેલાં પણ રાજકીય ખૂનો માફ થયેલાં છે. આ લોકોની જિંદગી બચાવવાથી બીજી અનેક નિર્દોષ જિંદગીઓ બચી જવાનો સંભવ હોય, અને કદાચ ક્રાંતિવાદીઓના ગુના પણ લગભગ નાબૂદ થાય એમ હોય તો તેમ કરવું વધારે સારું છે.
શાંતિના પક્ષમાં મારી જે કંઈ અસર પડે છે તેની આપ કદર કરો છો તો કૃપા કરીને, વિનાકારણ મારું કામ જે અત્યારે જ ઘણું મુશ્કેલ છે તેને ભવિષ્ય માટે વધુ મુશ્કેલ, લગભગ અશક્ય ન બનાવી દેશો.
ફાંસી દીધા પછી ન દીધી થઈ શકતી નથી. આ બાબતમાં ભૂલ થઈ શકે છે એવો આપને સહેજ પણ અંદેશો હોય તો મારી આપને આગ્રહપૂર્વક વિનંતી છે કે જે પગલું ઉઠાવ્યા પછી પાછું વાળી શકાતું નથી તેને વધુ વિચારણા માટે હાલ મોકૂફ રાખવું.
રૂબરૂ મળવાનું આવશ્યક હોય, તો હું આવી શકીશ. જોકે હું બોલીશ નહીં, (સોમવારે ગાંધીજીને મૌનવાર હતો), પરંતુ સાંભળીશ અને મારે જે કહેવું હશે તે લખીને આપીશ.
''ઉદારતા કદી નિષ્ફળ જતી નથી.''
આપનો
સહ્રદયી મિત્ર
માર્ચ 23, 1931
પ્રિય ભાઈ,
આ પત્ર આપને માથે મારવામાં ઘાતકીપણું તો છે, પણ છેલ્લી અપીલ હું આપને કરું તે સુલહેશાંતિ માટે આવશ્યક છે. ભગતસિંહ અને એમના બે સાથીઓને થયેલી મૃત્યુદંડની સજા સાવ માફ કરો એવી કોઈ આશા નથી એવું આપ મને નિખાલસતાપૂર્વક કહ્યું જ હતું, છતાં શનિવારે મેં આપની આગળ જે રજૂઆત કરી, તે પર વિચાર કરવાનું પણ આપે કહેલું. ડૉ. સપ્રુ મને કાલે મળ્યા હતા. ને કહેતા હતા કે આ બાબત અંગે આપ ચિંતિત છો, તથા તેના યોગ્ય ઉકેલ માટે આપના મનમાં મથામણ ચાલી રહી છે. જો આ વિષયની પુનર્વિચારણાને સહેજ પણ અવકાશ હોય તો નીચેના મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું.
સાચો હોય કે ખોટો હોય, લોકમત માફીની તરફેણમાં છે. કોઈ સિદ્ધાંત જોખમાતો ન હોય તો લોકમતને માન આપવું એ ઘણી વાર કર્તવ્ય બની રહે છે.
વર્તમાન કિસ્સામાં સંજોગો એવા છે કે જો માફી બક્ષવામાં આવે તો દેશની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થાય એવો ભારે સંભવ છે. જો ફાંસી દેવાશે તો તો સુલેહશાંતિ બેશક જોખમમાં છે જ.
આ જિંદગીઓ બચાવવામાં આવે તો પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવાની ક્રાંતિકારી દળે મને ખાતરી આપી છે એવી માહિતી હું આપને આપી શકું છું, તે જોતાં ક્રાંતિદળ ખૂનરેજી અટકાવે ત્યાં સુધી મૃત્યુની સજા મોકૂફ રાખવાનું આપનું અનિવાર્ય કર્તવ્ય બને છે.
આજ પહેલાં પણ રાજકીય ખૂનો માફ થયેલાં છે. આ લોકોની જિંદગી બચાવવાથી બીજી અનેક નિર્દોષ જિંદગીઓ બચી જવાનો સંભવ હોય, અને કદાચ ક્રાંતિવાદીઓના ગુના પણ લગભગ નાબૂદ થાય એમ હોય તો તેમ કરવું વધારે સારું છે.
શાંતિના પક્ષમાં મારી જે કંઈ અસર પડે છે તેની આપ કદર કરો છો તો કૃપા કરીને, વિનાકારણ મારું કામ જે અત્યારે જ ઘણું મુશ્કેલ છે તેને ભવિષ્ય માટે વધુ મુશ્કેલ, લગભગ અશક્ય ન બનાવી દેશો.
ફાંસી દીધા પછી ન દીધી થઈ શકતી નથી. આ બાબતમાં ભૂલ થઈ શકે છે એવો આપને સહેજ પણ અંદેશો હોય તો મારી આપને આગ્રહપૂર્વક વિનંતી છે કે જે પગલું ઉઠાવ્યા પછી પાછું વાળી શકાતું નથી તેને વધુ વિચારણા માટે હાલ મોકૂફ રાખવું.
રૂબરૂ મળવાનું આવશ્યક હોય, તો હું આવી શકીશ. જોકે હું બોલીશ નહીં, (સોમવારે ગાંધીજીને મૌનવાર હતો), પરંતુ સાંભળીશ અને મારે જે કહેવું હશે તે લખીને આપીશ.
''ઉદારતા કદી નિષ્ફળ જતી નથી.''
આપનો
સહ્રદયી મિત્ર
Original Source: http://kotakkeyur.blogspot.com/
સુહાની યાદેં…16…
Suhani Yade..Continue… My Son Nihar, Wife Pragna and my self at ICME function on 18-9-1993 Visit next suhani yade : સુહાની યાદેં…17… Filed under: author, ઈન્ટરનેટ, ગુજરાતિ, ગુજરાતિ નેટ, ડો.સુધીર શાહ, Fragrance of Truth.., Internet, News, photostrem, Sanskar, sharing Tagged: awards, ડો.સુધીર શાહ, Dr Sudhir Shah, Suhani YadeOriginal Source: http://drsudhirshah.wordpress.com
ભાવોનું વર્ગીકરણ
જન્મકુંડળીનાં બાર ભાવોને તેમની જુદી-જુદી સમાનતાઓને આધારે જુદાં-જુદાં જૂથમાં વહેંચવામાં આવ્યા છે.કેન્દ્રસ્થાનો :
પણફર સ્થાનો :
આપોકિલમ સ્થાનો :
ત્રિકોણસ્થાનો :
ત્રિક સ્થાનો :
ત્રિષડાય સ્થાનો :
ઉપચય સ્થાનો :
મારક સ્થાનો :
આ ઉપરાંત જન્મકુંડળીના બાર ભાવોને ચાર ત્રિકોણ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં વહેંચવામા આવ્યાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનના ચાર પુરુષાર્થો છે જેનો ચાર કેન્દ્રસ્થાનો નિર્દેશ કરે છે. આ ચાર કેન્દ્રસ્થાનોથી શરૂ કરીને ચાર ત્રિકોણની રચના થાય છે.
૧, ૫, ૯
૪, ૮, ૧૨
૭, ૧૧, ૩
૧૦, ૨, ૬
ત્રિકોણ સ્થાનોમાં સ્થિત રાશિઓ એક જ તત્વ ધરાવતી હોવાથી એક ત્રિકોણનાં ત્રણેય સ્થાનો પરસ્પર એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે.
ધર્મ ત્રિકોણ :
અર્થ ત્રિકોણ :
કામ ત્રિકોણ :
મોક્ષ ત્રિકોણ :
દ્રશ્ય અને અદ્રશ્ય ગોળાર્ધ :
જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજનું નિરિક્ષણ કરતાં કોઈ એક રાશિ ઉદિત થઈ રહેલી દેખાશે. આ રાશિનો અમુક ભાગ ઉદિત થઈ ચૂક્યો હશે. જ્યારે અમુક ભાગ ઉદિત થવાનો બાકી હશે. સપ્તમ સ્થાન એ પશ્ચિમ ક્ષિતિજનો નિર્દેશ કરે છે. જ્યાં રાશિઓ અસ્ત પામે છે. જન્મકુંડળીમાં ભાવ ૭ થી ૧ માં ઉદિત થઈ ચૂકેલી રાશિઓ હશે જ્યારે ભાવ ૧ થી ૭ ની રાશિઓ ક્ષિતિજ નીચે રહેલી હશે અને હવે પછી ઉદિત થનારી હશે.
ધારોકે જાતકનાં જન્મ સમયે સિંહ રાશિનું ૧૮ અંશનુ લગ્ન ઉદિત થઈ રહ્યુ છે. તો સિંહ રાશિનાં ૧૮ અંશથી લઈને કર્ક, મિથુન, વૃષભ, મેષ, મીન અને કુંભ રાશિનાં ૧૮ અંશ સુધીનો ભાગ કુંડળીનો દ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૭ થી ૧)કહેવાશે. જ્યારે કુંભ રાશિના બાકીના ભાગથી લઈને મકર, ધનુ, વૃશ્ચિક, તુલા, કન્યા અને સિંહ રાશિનો બાકીનો ભાગ કુંડળીનો અદ્રશ્ય ગોળાર્ધ(ભાવ ૧ થી ૭) કહેવાશે.
Original Source: http://vedicastrology-gujarati.blogspot.com/
ચાલો થોડી અહીંતહીંની થઈ જાય,આઈએએસ,શરદ પવાર અને મણિશંકર ઐયર
અમદાવાદની કામા હોટેલમાં મોકો હતો ગુજરાતના રજવાડાના રાજવીઓની વાર્ષિક બેઠકનો. બેઠકમાં પ્રવાસન નિગમના આઈએએસ ઓફિસર પણ હાજર હતા. મિટિંગમાં બધા આઈએએસ અધિકારીને પોતાની હેરિટેજ હોટેલમાં પધારવાનો આગ્રહ કરતા રહે. પણ આઈએએસ અધિકારીએ એક જ જણને કીધું કે હું તમારે ત્યાં આવીશ. આ એક ખૂબસૂરત રાજવી સ્ત્રી હતી. અધિકારીએ પોતાના જુનિયરને કહ્યું કે આમનું (સ્ત્રીનું)નામ ને હેરિટેજ હોટેલ નોટ કરી દો એમને ત્યાં હું જઈશ.Original Source: http://abgdeshgujarat.blogspot.com/
Recent Posts
- ઢોલીવુડના આસમાનમાં વિક્રમ – મમતાની પતંગ
- પતિ ગયો કાઠીયાવાડ – સંગીતમય કૉમેડી નાટક
- સાધુ-સંતને ખોટો ક્રોધ શોભે?
- સહિયર મોરી,વગડો વીણવા જઈએ….રમેશ પટેલ(આકાશદીપ)
- નરેશ કનોડિયાની હેટ્રિક – સતત 3 વાર વર્દી
Top 10 Gujarati Bloggers
- ગુજરાતી શાયરી - Gujarati Shayri
- હાસ્ય દરબાર
- કુરુક્ષેત્ર
- "સુરતીઉધીયું"
- અશ્વિન પટેલ નો બ્લોગ
- ગુર્જર કાવ્ય ધારા.........a way of talking
- ગદ્યસુર
- બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
- મા ગુર્જરીના ચરણે....
- મારો બગીચો
Archives
- February 2012 (49)
- January 2012 (281)
- December 2011 (305)
- November 2011 (274)
- October 2011 (366)
- September 2011 (262)
- August 2011 (212)
- July 2011 (416)
- June 2011 (393)
- May 2011 (380)
- April 2011 (401)
- March 2011 (475)
- February 2011 (349)
- January 2011 (182)
- December 2010 (97)
- November 2010 (54)
- October 2010 (39)
- September 2010 (59)
- August 2010 (40)
- July 2010 (50)
- June 2010 (35)
- May 2010 (40)
- April 2010 (24)
- March 2010 (27)
- February 2010 (29)
- January 2010 (5)
- December 2009 (5)
- November 2009 (10)
- October 2009 (6)
- September 2009 (6)
- July 2009 (18)
- June 2009 (10)
- May 2009 (8)
- April 2009 (8)
- March 2009 (14)
- February 2009 (11)
- January 2009 (4)
- December 2008 (15)
- November 2008 (4)
- October 2008 (2)


Uncategorized





