Archive

Archive for the ‘સાહિત્ય’ Category

પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

March 9th, 2010 No comments
[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] [અ]  જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો [...]

દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’

February 20th, 2010 Comments off
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ, તેથી જ હું દેતો નથી એને વિદાય પણ. મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી, આવીને પાછો એ જ તો દે છે સહાય પણ. એ સત્ય છે કે હાજરી એની બધે જ છે; ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ. મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ શકે, ખુશ્બૂને ક્યાં નડે છે કોઈ અંતરાય પણ [...]

ગઝલ – હરીશ મીનાશ્રુ

February 20th, 2010 Comments off
મયદાનવની નગરી લાગે અટકળ આજે અઘરી લાગે પળપળ ચાંપે કોઈ પલીતો જન્મારો જામગરી લાગે ઉપર આભ નીચે ધરતી છે પડછાયા ઘરવખરી લાગે દંડકવનમાં શુષ્ક બોરડી વણચાખેલી શબરી લાગે આંસુને ઘડવા બેઠેલી નદીઓ બહુ કામગરી લાગે તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ દષ્ટિ સાવ જ નવરી લાગે ટગરટગર તું તાકી રહે તો ત્રાટક કરતી ટગરી લાગે ચકરી પાઘ જુઓ પંડિતની ગનાનધેરી ગઠરી લાગે.

અમે ધારી નહોતી

January 21st, 2010 Comments off
આમ તો એક વ્યક્તિની નજર અનેક વ્યક્તિઓને અનેકવાર મળી ચુકી હોય છે. પણ કોઈ એકાદના હૈયામાં જ એ કટારની માફક ભોંકાય જાય છે અને એવી ચોટ કરી જાય છે, કે સામેવાળી વ્યક્તિનું હૈયું ઘાયલ થઈ જાય છે. અંગ્રેજીમાં જેને Love at first sight કહેવામાં આવે છે તેનું અમૃત ઘાયલે કરેલ નક્કાશીભરેલ વર્ણન માણીએ મનહર ઉધાસના [...]

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો

December 16th, 2009 Comments off
શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં. (આલ્બમ – અરમાન) ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા, તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. * નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ કરશે સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર [...]

ગઝલ – મનોજ પંચોલી

December 13th, 2009 Comments off
ઠેસ વાગી ભીતરે ક્યાંથી વળે કળ, બંધ આંખે કેટલું છલકાય છે જળ. ખૂબ આગળ મોકલી પાછાં ફર્યા એ, શોધવાનો છે રસ્તો મારે જ આગળ. એકલા ચાલી જવાનું છે નસીબે, કોણ આવી આપવાનું છે મને બળ. તું નથી ત્યાં માત્ર ભણકારા મળે છે, જીવવાનું એ જ સથવારે પળે પળ. આંસુઓને આવવું ગમતું નથી પણ, કોણ આવીને કહે છે જા હજી મળ.

સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં – કલ્પના શાહ

December 10th, 2009 Comments off
[ લેખિકા લુઈસ સામવેઝના ‘ધી ટેન સીક્રેટ્સ ઑફ હેલ્થ ઍન્ડ હેપીનેસ’ પુસ્તકનો આધાર લઈને ભારતીય સંસ્કૃતિના પરિપેક્ષ્યમાં ‘સુખ’ શબ્દનો અર્થ સમજાવતાં પુસ્તક ‘સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં’થી પ્રસ્તુત છે પ્રથમ પ્રકરણ. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] મનુષ્ય આ જગતમાં રુદન કરતો પ્રવેશે છે, અને જન્મથી લઈને મૃત્યુ સુધીની તેની યાત્રમાં તેના રુદનની લાગણીને સુખની [...]

પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

December 7th, 2009 Comments off
[આદરણીય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડના તાજેતરમાં પ્રકાશિત થયેલા નિબંધસંગ્રહ ‘પ્રકીર્ણ’માંથી સાભાર પ્રસ્તુત છે બે સુંદર નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] બધાં કામ સરકાર કે સંસ્થાઓ નહીં કરી શકે વીસમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ મોટા ભાગના દેશોના લોકોમાં સરકારે શું શું [...]

કાઠિયાણીનો રોટલો – જોરાવરસિંહ જાદવ

December 7th, 2009 Comments off
[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ 11 થી 13મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘૂમાવતા ને હાથમાં હથિયારો રમાડતાં સૌ પ્રથમ થાનમાં આવ્યા. શ્રી પ્રદ્યુમ્ન ખાચર નોંધે છે કે એ બાબતે ગાયકવાડ અને મરાઠા રાજવીઓનાં લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલકગીરી ઉઘરાવવા [...]

પ્રતિરચનાઓ – રતિલાલ બોરીસાગર

December 5th, 2009 Comments off
[ સ્વ. મનોજ ખંડેરિયા, ‘બેફામ’ સાહેબ તથા ‘ઘાયલ’ સાહેબના સુપ્રસિદ્ધ શૅર પરથી રચેલી કેટલીક પ્રતિરચનાઓ રીડગુજરાતીને મોકલવા માટે હાસ્યલેખક શ્રી રતિલાલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9925111301. અહીં સૌ પ્રથમ મૂળ શૅર અને ત્યારબાદ તે શૅરની પ્રતિરચના પ્રસ્તુત કરવામાં આવી છે.] ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ [...]

બે લલિતનિબંધો – રીના મહેતા

December 4th, 2009 Comments off
[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.] [1] અંધકાર અને ઉજાસ વચ્ચેનો તટ માણસને ક્યારેક અંધકારના કોચલામાં ભરાઈ લપાઈને સૂઈ જવાનું મન થાય છે, તો ક્યારેક બારી ફટોફટ ઉઘાડી તડકામાં થનગન નાચતા દિવસને ભેટવાનું મન થાય છે. ક્યારેક એ ખૂબ અંધારાથી મૂંઝાય છે, તો ક્યારેક વધુ પડતા અજવાળાથી એ અકળાય છે. અંધકાર અને ઉજાસ વારાફરતી આપણો હાથ [...]

મર્મવેધ – પંકજ ત્રિવેદી

December 2nd, 2009 Comments off
[ વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. ફૂલછાબ અખબારમાં ‘મર્મવેધ’ કૉલમ અંતર્ગત પ્રગટ થયેલા તેમના લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે, જેમાંથી આજે માણીએ બે નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankajsmit@gmail.com [...]

ઉપેક્ષામાં નહિ તો

December 1st, 2009 Comments off
મિત્રો, આજે માણીએ જવાહર બક્ષી સાહેબની એક મજાની ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં. (આલ્બમ-ઈર્શાદ) ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ, મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એક એની રજાનો અનુભવ. હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું, ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ. કદાચિત્ [...]

ભૂલી ગયો છું – કરસનદાસ લુહાર

November 29th, 2009 Comments off
મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું, મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું. છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં; પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું. કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે – ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું. છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો [...]

આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’

November 29th, 2009 Comments off
મુજ અધર ઉપર તું એક મજાનું સ્મિત થઈને આવ હવે, નિ:શબ્દ થયા છે શબ્દ બધા, તું ગીત થઈને આવ હવે. જો મન ઉપવનનાં પંખીઓ પણ મૌન ધરીને બેઠા છે, એ ગૂંજન કરવા ચાહે છે – સંગીત થઈને આવ હવે. છે ભીડ મહી પણ એકલતા એ વાત હવે તું સમજી લે, આ સાવ અજાણી નગરીમાં મનમીત થઈને આવ હવે. હૈયામાં છે સૂનકાર [...]

હું નથી પૂછતો, ઓ સમય!

November 28th, 2009 Comments off
શૂન્ય પાલનપુરી મારા ગમતા શાયર. એમની ગઝલોમાં તત્વજ્ઞાન ડોકાય, એક ઊંડાણ જે વાચકને અચૂક સ્પર્શે. આજે એમની એક ગઝલ પ્રસ્તુત છે ..દર્દની લાગણીના ઘણા રૂપ છે … એ મારો મનગમતો શેર છે. જેના એક એક શેર પર દુબારા કહેવાનું મન થાય એવી આ સુંદર ગઝલને આજે માણીએ મનહર ઉધાસના કંઠે. હું નથી પૂછતો, ઓ સમય! કે [...]

ક્ષમા કરી દે !

November 12th, 2009 Comments off
આજે માણો શૂન્ય પાલનપુરીની એક લાંબી બહેરની ગઝલ મનહર ઉધાસના સ્વરમાં. તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે ! હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ? મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે ! હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ, પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ ! તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો, મારી [...]