Browsing all articles in Uncategorized
Mar
11

માણસનાં બચ્ચાં

કૂતરી: બેટા... (થોડું મોટેથી) દીકરા, સાંભળો છો?
ગલૂડિયું-૧: બા, રમવા દેને...
કૂતરી: તમે બંને આખો દિવસ રમવા સિવાય કશું કરતાં નથી.
ગલૂડિયું-ર: અમે પણ ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે તે આ વખતે કૂતરાનો અવતાર મળ્યો છે, જો માણસનાં બચ્ચાં થયા હોત તો અત્યારે નર્સરીમાં જઇને એબીસીડી ગોખતાં હોત.

- Jagdish Trivedi
Mar
11

હિંદુ કોણ?


હું કોઈ ઇતિહાસવેત્તા નથી. ઝાઝા પાંડિત્યનો અથવા ભારે વિદ્વત્તાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે હિંદુ શબ્દ વેદમાં મળતો નથી મહાન સિંકદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા.

તમે સૌ જાણો છો કે હિંદુ ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયેલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશા તત્પર છે અને અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મના અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારે માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે.

હું પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. હિંદુ સમાન મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તો જે ઇશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને અને મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, તે હિંદુ છે.

જો મને કોઈ હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને ન પણ માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુ ધર્મ.

ગાંધીગંગાઃ સૂર્ય તપે ત્યાં સુધી હિંદુ ધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે હિંદુ ધર્મનો નિચોડ આપી દીધો છે કે 'દયા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટમેં પ્રાન.'
Mar
10

એમ એફ હુસૈન, તસ્લિમા અને દંભી ધર્મનિરપેક્ષોની દોરંગી દુનિયા…


છેલ્લાં બે અઠવાડિયામાં બે ઘટનાઓ એવી બની જેમાં દંભી ધર્મનિરપેક્ષોના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો. તમે આ બંને ઘટનાઓ પર થોડું મંથન કરશો તો ભારતમાં ધર્મનિરપેક્ષતાનો ઝંડો લઈને ફરતાં કથિત બુદ્ધિજીવીઓની વિકૃત માનસિકતાનો ચિતાર મળી જશે. સૌ પહેલાં દંભી ધર્મનિરપેક્ષોના મનપસંદ ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન અર્થાત્ એમ એફ હુસૈનની વાત કરીએ.

હુસૈન મિયાએ છેવટે કતારની નાગરિકતા સ્વીકારી કરી લીધી અને ભારતનો પાસપોર્ટ સુપ્રત કરી દીધો. તેમણે કતારના રાજવંશે નાગરિકતાની ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ ચેન્નાઈથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ કર્યો હતો. તેની જાણકારી મળતાં જ દેશભરમાં સ્વયંપ્રસ્થાપિત બુદ્ધિજીવીઓએ નિસાસા મૂકવાનું શરૂ કરી દીધું હતું. આ લોકો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની દુહાઈ દઈ હુસૈનસાહેબને હેમખેમ ભારત પાછાં લઈ આવવાની વણમાગી સલાહ પણ સરકારને આપતાં હતાં. મુસ્લિમોની રીઝવવાની એક પણ તક જતી ન કરનાર મનુજીની સરકારે પણ હુસૈન મિયાને સ્વદેશ પાછાં ફરવાની વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે હુસૈન મિયાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી.

હવે આ જ સરકાર અને આ જ ધર્મનિરપેક્ષ બુદ્ધિધનોનું વલણ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારને જ લગતી એક બીજી ઘટનામાં કેવું હતું તે જુઓ. આ ઘટના બાંગ્લાદેશના બહાદુર કટ્ટર મુલ્લા-મૌલવીઓ જેનું શિર કલમ કરવાનો ફતવો બહાર પાડ્યો છે તે લેખિકા તસ્લિમા નસરિન સાથે સંબંધિત છે. વાત એમ છે કે તસ્લિમાએ વર્ષ 2007માં બુરખા પ્રથાનો વિરોધ કરતો એક લેખ લખ્યો હતો. કર્ણાટકના કન્નડ અખબાર 'પ્રભા'એ આ લેખનો કન્નડ અનુવાદ ગયા રવિવારે પ્રકાશિત કર્યો હતો. તેના વિરોધમાં કર્ણાટકના કટ્ટર મુસ્લિમોના ટોળેટોળાં અખબારની ઓફિસ પર તૂટી પડ્યાં. પેટ્રોલ બોંબ ફેક્યા. મન મૂકીને તોડફોડ કરી પણ અભિવ્યક્તિની આઝાદીનો ઝંડો લઈને ફરતાં કથિત ધર્મનિરપેક્ષ તત્વો ક્યાંય દેખાયા નહીં.

એટલું જ નહીં અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના નામે હિંદુ દેવીઓના નગ્ન ચિત્રો દોરનાર હુસૈન મિયાને ભારતમાં સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપનાર મનુજીની સરકારે તસ્લિમાની અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના મુદ્દે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચાર્યો. કદાચ મુસ્લિમ મતબેંક નારાજ થઈ જવાની બીક લાગતી હશે. તમને જાણીને નવાઈ લાગશે કે કન્નડ અખબાર પ્રભામાં પ્રકાશિત થયેલા લેખ વિશે મુસ્લિમ મુલ્લા-કઠમુલ્લાઓને જાણકારી આપીને ઉશ્કેરનાર એક ઉર્દૂ દૈનિક 'સિયાસત' છે, જેની કર્ણાટક આવૃત્તિનું સંચાલન બીજું કોઈ નહીં પણ સોનિયા ગાંધીની ધર્મનિરપેક્ષ કોંગ્રેસના નેતા રોશન બેગ કરે છે.

(કુ)ચિત્રકાર હુસૈનને બચાવવા ચાર પગે થઈ જતાં ધર્મનિરપેક્ષો તસ્લિમાની બાબતે આગળ કેમ ન આવ્યાં? હુસૈનના પક્ષમાં ધર્મનિરપેક્ષોનું ચાર પગે થવું અને તસ્લીમાના મામલે ચૂપકીદી સેવવી, તેનો શું અર્થ છે? તમે વિચાર કરો કે હુસૈન મામલે હિંદુ સંગઠનોનો જંગલીઓનું ટોળું સમૂહ કહેનાર આ ધર્મનિરપેક્ષોની જમાત કન્નડ અખબાર પર હુમલો કરનાર કટ્ટર મુસ્લિમોના ટોળા વિશે એક હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. દલિતો અને મુસ્લિમોના બચાવમાં ચાર પગે થઈ જનારા અને કથિત બુદ્ધિજીવીઓની જમાતમાં ગુજરાતમાં પણ નાનીસૂની નથી. છેલ્લાં થોડા સમયથી આવા (કુ)બુદ્ધિજીવીઓ અને તેમના ચમચા-ચમચીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....
Mar
9

મહિલા અનામત બિલ:મોદી હોય કે રાહુલ ગાંધી, બેઠક બદલવી પડશે

મહિલા અનામત બિલ કાયદો બનશે એટલે નરેન્દ્ર મોદી હોય કે પછી રાહુલ ગાંધી, તેમણે તેમની બેઠક કમસેકમ પાંચ વર્ષ માટે છોડવી પડશે અને બીજી બેઠક પરથી ચૂંટણી લડવી પડશે.મહિલા અનામતનું બિલ આવનારા પંદર વર્ષ માટે લાગુ કરાયું છે. આ બિલ વિધાનસભા અને લોકસભાને લાગુ પડશે. વિધાનસભા અને લોકસભામાં આવનારા પંદર વર્ષ સુધીમાં થનારી પ્રત્યેક ચૂંટણીમાં કુલ સીટના તેંત્રીસ ટકા સીટો પર મહિલાઓ જ ચૂંટણી લડી શકશે.હવે તમને એમ થાય કે
Mar
9

રાહુલ મહાજન કા સ્વયંવરઃ 21મી સદીમાં 10મી સદીના વિચારો…


'તે ત્રણેય છોકરીઓ મને પ્રેમ કરે છે, પણ હું જેને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરીશ.' આ શબ્દો છે ભાજપના ભૂતપૂર્વ ખજાનચી સ્વ. પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજનના. તે સપૂત છે કે કપૂત તેનો ફેંસલો તમારી વિવેકબુદ્ધિ પર છોડું છું. ડિમ્પીના ગળામાં વરમાળા પહેરાવ્યાં પછી રાહુલબાબા ગર્વ સાથે બોલે છેઃ''આ શોના ઓડિશન દરમિયાન તે મને કહ્યું હતું કે તું પાંચ વર્ષની હતી ત્યારથી લગ્ન કરવાનું સ્વપ્ન સેવી રહી છે. એટલે કે 16 વર્ષથી મારી રાહ જુએ છે.' 21 વર્ષની ડિમ્પી અને 34 વર્ષનો અધગધો (મને બાપના પૈસા તાગડધિન્ના કરતાં મોટા હોંઠવાળા અધાગધા જ લાગે છે) રાહુલ મહાજન!

એનડીટીવી ઇમેજીન પર આ શો ચાલુ થયો ત્યારે મને એમ હતું કે રાહુલ મહાજનના ભૂતકાળને ધ્યાનમાં રાખીને એક અબજથી વધારે વસતી ધરાવતા આ દેશમાં વધુમાં વધુ 100 યુવતીઓ તેની સાથે લગ્ન માટેની અરજી કરવાનું સાહસ કરશે. રાખી સાવંત સાથે લગ્ન કરવા સેંકડો યુવાનો અરજી કરે તેમાં કોઈ નવાઈ નથી. તે વિવાદો સર્જવા જાણીતી છે પણ રાહુલ મહાજનની જેમ અસામાન્ય મનોસ્થિતિ ધરાવતી નથી. રાખ સાવંતે કદાચ જાણીજોઈને પબ્લિસિટી સ્ટંટ કર્યા છે, પણ રાહુલ મહાજનની જેમ ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતી નથી. જોકે આશ્ચર્ય વચ્ચે સેંકડો યુવતીઓએ રાહુલ મહાજનને વરમાળા પહેરાવવા અરજી કરી. નવાઈ લાગી અને ગાંડા અને ગાંડીઓના ગામ ન હોય, તે તો દરેક ગામમાં હાજર જ હોય તેનો પુરાવો મળી ગયો. આ શોમાં ફક્ત ડીમ્પીએ જ નહીં પણ એક અન્ય સ્પર્ધક યુવતી પ્રિયદર્શિની સિંહે પણ કહ્યું કે, ''તે 14 વર્ષની હતી ત્યારથી તે રાહુલને તેના મનનો માણિગર માને છે.''

ડિમ્પીના અદાઓ અને વિધાનોમાં પ્રેમ ઓછો હતો અને નાટક વધારે હતું. તે કોઈ ફિલ્મમાં કામ કરી રહી હોય તેવું લાગતું હતું. કદાચ એવું પણ બને કે અનેક યુવતીઓ રાહુલ મહાજનને માધ્યમ બનાવી ટીવીની દુનિયામાં પગપેસરો કરવા માગતી હોય. ડિમ્પીએ એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે તે બહુ બહાદુર છે. કોઈ પણ પરિસ્થિતિમાં હિમ્મત હારી જતી નથી અને તેના ચહેરા પર હાસ્ય ફરકતું રહે છે. કદાચ તેને આ બહાદુરીની જરૂર છે. રાહુલ મહાજન સાથે લગ્ન પછી તેની જરૂર પડે તો નવાઈ નહીં. તેણે એવું કહ્યું કે, ''તે સંયુક્ત પરિવારમાં રહેવા માગે છે. તે બહુ મહત્વાકાંક્ષી નથી અને આ લગ્ન તેના માટે 'ડ્રીમ કમ ટ્રુ' છે.''

ડિમ્પીએ જે વાત કરી તેના મુદ્દા ખાસ ધ્યાનમાં લેવા જેવા છે. ખરેખર આ શોનું હાર્દ જ ડિમ્પીની પસંદગી અને તેની વાતો છે. તે જ સંદેશ છે. આ શોમાં વારંવાર એવું સ્થાપિત કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ બહુ મહત્વાકાંક્ષી ન હોવું જોઈએ અને તેના માટે પતિ પરમેશ્વર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના બરોબર બે દિવસ પહેલાં આ શોમાં મહિલાઓને ગૂંગી ગુડિયા તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ શોની સ્ક્રીપ્ટ લખનારે વારંવાર એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે છોકરી બાળપણથી જ લગ્ન કરવાનું સ્વપ્ન સેવે છે!

શરૂઆતમાં રાષ્ટ્રીય મહિલા પંચે આ શોનો વિરોધ કર્યો હતો, પણ ખબર નહીં ચેનલવાળાઓએ શું સેટિંગ કર્યું કે સંગઠન સાથે જોડાયેલી બધી મહિલાઓ ચૂપ થઈ ગઈ. મેરા ભારત મહાનના મહાન સંગઠનો કદાચ બૂમબરાડા પણ સેટિંગ માટે જ પાડતાં હોય તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ. 21મી સદીમાં રજૂ થતાં આ શોમાં દસમી સદીના વિચારો રજૂ કરવામાં આવ્યાં અને મહિલાઓનો ગૂંગી ગુડિયા તરીકે રજૂ કરવામાં આવી. કદાચ હવે એવું પણ બને કે આ જ ચેનલ હવે રાહુલનું જીવતું જગતિયું કરવાનો શો રાખે અને તેમાં ડિમ્પીને સતી કરવા માટેની વકીલાત કરે...ડિમ્પી ભલે સતી ન થાય ટીઆરપી તો વધવાની જ છે ને.....

આ શોમાં રાહુલની ઇમેજ સુધારવા જોરદાર પ્રયાસ કરવામાં આવ્યો. એક આખા એપિસોડમાં રાહુલના ભૂતકાળ સાથે સંબંધિત સવાલો પૂછવામાં આવ્યાં. તેમાં આ રાજકુમારે અન્ય સેલિબ્રિટીઓની જેમ તેના શરમજનક ભૂતકાળ માટે મીડિયાને દોષિત ઠેરવ્યું. આ એપિસોડમાં રાહુલે તેની ભૂતપૂર્વ પત્ની શ્વેતા સિંહ વિશે કહ્યું કે, ''શ્વેતા હજુ પણ મારી મિત્ર છે. મારા જન્મદિવસે સૌથી પહેલો ફોન તેનો જ આવે છે.'' ધનિકોને હડાહડ જૂઠ્ઠાણું બોલવાનો જન્મજાત અધિકાર હોય છે! શ્વેતાએ એક મુલાકાતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, ''રાહુલ આ શોની ટીઆરપી વધારવા માટે રાહુલ મને બોલાવવામા માગતો હતો. એટલું જ નહીં હું તૈયાર થવું તો ફરીથી મારી સાથે જ લગ્ન કરવા માગતો હતો.'' આ માટે શ્વેતાને મોટી રકમ પણ ઓફર કરવામાં આવી હતી. પણ શ્વેતા તો ગધાપચીસીથી પરિચિત હતી....

ચલતે-ચલતેઃ બોલીવૂડના સ્વયંપ્રસ્થાપિત સુપરસ્ટાર અને સ્રૈણ ડોન શાહરૂખ ખાનનું સૌથી જાણીતું ફિલ્મી નામ શું છે?
Mar
8

સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી…


જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીનો કશો હિસ્સો નહોતો ને જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા ને રૂઢિના જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. અહિંસાના પાયા પર રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો ને જેટલો અધિકાર છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીને છે. પણ અહિંસક સમાજની વ્યવસ્થામાં જે અધિકાર કે હક મળે છે તે કોઈ ને કોઈ ફરજ કે ધર્મના પાલનમાંથી ફલિત થાય છે. તેથી એ વાત પણ સ્વીકારવી જોઈએ કે સમાજમાં વર્તવાના કે વહેવાર કરવાના નિયમો સ્ત્રી ને પુરુષ બંને પરસ્પર સહકાર ને સમજૂતીથી નક્કી કરે. એ નિયમોના પાલનને માટે બહારની કોઈ સત્તાની જબરદસ્તી કામ ન આવે.

સ્ત્રીઓની સાથેના પોતાના વર્તનમાં કે વહેવારમાં પુરુષોએ આ સત્યને પૂરેપૂરું ઓળખ્યું નથી. સ્ત્રીને પોતાની મિત્ર કે સાથ ગણવાને બદલે પુરુષે પોતાને તેનો સ્વામી કે ધણી માન્યો છે. પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમને સેવાના સમાન કાર્યમાં સન્માન્ય સાથીઓ ગણવી. ગામડાંઓમાં સ્ત્રીઓ પોતાના પુરુષવર્ગની સામે બરાબર ટક્કર લે છે અને કેટલીક બાબતોમાં તો એમના પર સરસાઈ ભોગવે છે, ને દોર ચલાવે છે. પણ બહારથી આપણને જોનાર કોઈ પણ તટસ્થ માણસ કહેશે કે આપણા આખા સમાજમાં સ્ત્રીને કાયદાથી ને રૂઢિથી જે દરજ્જો મળે છે તે ઘણી ખામીવાળો છે અને તેમાં ધરમૂળથી સુધારો કરવાનો જરૂર છે.

કાયદાઓ ઘડવાનું કાર્ય ઘણે ભાગે પુરુષોને હસ્તક રહેલું છે, પણ તેણે હંમેશા વિવેદદ્રષ્ટિ વાપરેલી જોવામાં આવતી નથી..સ્ત્રીઓના અધિકાર વિષે એકે બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી જોઈએ નહીં. જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ છૂટ સ્ત્રીઓને ભોગવવાનો હક છે.

ગાંધીગંગાઃ દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ
Mar
6

I am obsessed… obsessed to some NUMBERs….

I am obsessed... (IAO)...
IAO to number of bugs against my name at office…
IAO to lines of code (LOC) I write for specific task at office...
IAO to amount of money I spend on food… specially junk food…
IAO to how much I loss weight (even in grams) after each workout…..
IAO to count how many KMs I walk today… (Thanks to Kavan, I have that machine who count steps & KMs)
IAO to minutes I take from Malad station to Office while walking….
IAO to how many KMs I drive in an hour....
IAO to how many movies I can watch during weekend.. during month…
IAO to how many books I can read in a month…
IAO to how many pages I can read in an hour….
IAO to how many mails I get in my in-box…
IAO to free space I have in my laptop…
IAO to number of hours I sleep….
IAO to statistics of Cricketers... specially no. of runs, no. of wickets and averages...
IAO to how many goals I hit in FA football game...
IAO to how many points I earns in Need for speed game...
and Yes, IAO to how many comments I get on my blog…

I didn’t count Bank Balance as everyone is obsessed about it… :) ….

Earlier I was obsessed to number of friends and scraps on orkut... and I was obsessed of page hits on my blog but thankfully I am no more obsessed with that now....

I think I have number-obsessed-syndrome... may be some American can name it... as u know like we have 36  Lakh Gods.. Americans have so many phobias and syndromes and they have surveys to prove it too... so this is some kind of syndrome or what....   
You know what the problem with these obsessions is that sometime I don't  enjoy the actual thing and just want to add one more count... for example...  I I watched movie, 'Sunshine' two days ago, I don't like it at all still I  completed whole movie... so that I can add it into my list...
I am trying to get away with all these obsessions, I don't know I will ever get success or not.... may be when I die.... :) ... 
Is it only me who has this kind of obsessions or you guys also do have? Please share....
Mar
6

જયનારાયણ વ્યાસને જત જણાવવાનું કે આ ચીન નથી

ગુજરાતના આરોગ્ય વિભાગે દરેક સરકારી હોસ્પિટલ અને કોલેજને એવો પરિપત્ર મોકલ્યો છે કે મિડિયા સાથે કોઈપણે વાત કરવી નહી અને મિડિયાને હોસ્પિટલ, મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં પ્રવેશવા દેવું નહીં. આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ કહે છે કે આનું ઉલ્લંઘન કરનાર આરોગ્ય ખાતાના કર્મચારી પર સખત પગલા લેવામાં આવશે અને પત્રકારને પોલીસને હવાલે કરી એનું એક્રેડીટેશન જપ્ત કરવામાં આવશે. આ પરિપત્ર તો સોળમી તારીખનો છે અને તેના
Mar
5

અરબી ઘોડો અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે….


મેં એક રાજકુમાર વિશે સાંભળ્યું છે. તે ઠીંગણો અને કદરૂપો હતો. તેના ભાઈઓ ઊંચા અને સુંદર હતા. એક દિવસ બાદશાહે તે કદરૂપ પુત્ર તરફ નફરત ભરેલી નજર સાથે જોયું.

રાજકુમાર બહુ સમજુ હતો. તે તરત જ સમજી ગયો કે પિતાના મનમાં કેવા ભાવ જાગ્યા છે. તેણે બાદશાહને કહ્યું, ''નાના કદ ધરાવતા બુદ્ધિશાળી લોકો ઊંચા અને સુંદર મૂર્ખાઓ કરતાં વધુ સારા. જે ચીજવસ્તુ નાની હોય છે, તેનું મૂલ્ય વધારે નથી હોતું? બકરી હલાલ (ભોજનને યોગ્ય) છે અને હાથી મુરદાર (અખાદ્ય).

''તૂર (તે પર્વત જ્યાં ખુદાના દર્શન કરીને હઝરત મૂસા બેભાન થઈ ગયા હતા) પર્વત બહુ નાનો છે, પરંતુ બધા પર્વતમાં શ્રેષ્ઠ ગણાય છે.

''તમે તે વાત સાંભળી નથી, જે એક દુબળા-પાતળા વિદ્વાને એક હટ્ટાકટ્ટા-તંદુરસ્ત મૂર્ખને કહી હતી? તેણે કહ્યું હતું, 'અરબી ઘોડો ગમે તેટલો દુબળો કેમ ન હોય, પણ તે અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે.' ''

રાજકુમારની વાતો સાંભળીને બાદશાહ પ્રસન્ન થયો. દરબારીઓને પણ તેની વાત પસંદ પડી, પણ તેના ભાઈઓને આ વાત ખૂંચી.

જ્યાં સુધી મનુષ્ય બોલે નહીં, ત્યાં સુધી તેના ગુણ અને અવગુણ પ્રગટ થતા નથી.

આ ઘટનાના થોડા સમય પછી બાદશાહને એક શક્તિશાળી શત્રુનો સામનો કરવો પડ્યો. બંને તરફની સેના આમનેસામને આવી ગઈ તો રણભૂમિમાં સૌથી પહેલો ઘોડો કદરૂપા અને ઠીંગણા રાજકુમારે દોડાવ્યો. તેણે શત્રુને લલકારતાં કહ્યું, ''આજે તું ભલે મારો શિરચ્છેદ કરે, પણ મારી પીઠ જોઈ નહીં શકે.''

જે સિપાહી લડવા જાય છે તે વિજયપતાકા લહેરાવવા પોતાનું લોહી રેડી દે છે, પણ જે કાયર રણભૂમિમાં પીઠ દેખાડે છે તે આખા સૈન્યનો વિનાશ નોતરે છે.

કદરૂપો રાજકુમાર દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યો અને જોતજોતામાં અનેક સૈનિકોનો કચ્ચરઘાણ બોલાવી દીધો. પછી તે બાદશાહ સમક્ષ હાજર થયો અને તેની ચરણરજ મસ્તકે ચડાવી બોલ્યો, ''તમે મારા કદને જોઈને નબળો સમજી લીધો હતો. લડાઈના દિવસે તો પાતળી કમરવાળો ઘોડો જ કામ આવે છે, તાજોમાજો આખલો નહીં.''

કહેવાય છે કે દુશ્મન પાસે મોટું સૈન્ય હતું અને આ તરફ બહુ ઓછા સિપાહીઓ હતા. તેમાંથી થોડા સિપાહીઓ તો યુદ્ધ કરવા માગતા નહોતા. રાજકુમારે તેમને પાનો ચડાવતાં કહ્યું, ''જવાનો, યા હોમ કરીને પડો, ફતહે છે આગે. તમે મર્દ છો, ડર તમારા લોહીમાં નથી.''

સિપાહીઓ જોશમાં આવી ગયા અને દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યાં. તે જ દિવસે બાદશાહને વિજય મળી ગયો. તે પછી કદરૂપા રાજકુમારની પ્રગતિ શરૂ થવા લાગી. બાદશાહે તેને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. આ જોઈને તેના ભાઈઓના મનમાં ઇર્ષાનો કીડો સળવળ્યો. તેમણે કદરૂપા ભાઈની હત્યા કરી નાંખવાનું ષડયંત્ર રચ્યું.

એક દિવસ તક મળતાં તેમણે ભોજનમાં ઝેર ભેળવી દીધું. રાજકુમાર ભોજન કરવા બેઠો ત્યાં તેની બહેને તેને ઇશારો કરી દીધો. રાજકુમાર બહુ ચતુર હતો. તે સમજી ગયો કે દાળમાં કંઈક કાળું છે. તેણે ભોજન કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું, ''બુદ્ધિશાળી મરી જાય અને મૂર્ખા તેમનું સ્થાન લે તે વાત શક્ય નથી.''

આ વાતની જાણ બાદશાહને થતાં તેણે બીજા રાજકુમારોનો બોલાવીને યોગ્ય સજા કરી. પછી તેમણે દરેક રાજકુમારને તેમનો હિસ્સો આપી દૂર મોકલી દીધા, જેથી લડાઈ હંમેશા માટે ખતમ થઈ ગઈ.

દસ ફકીર એક ધાબળામાં ભેગા સૂઈ શકે છે, પણ બે બાદશાહ એક મુલ્કમાં સાથે હળીમળીને ન રહી શકે.

ખુદાના નેક બંદા અડધો રોટલો પોતે ખાય તો બાકીનો અડધો રોટલો ફકીરો માટે રાખે છે. પણ એક બાદશાહ સમગ્ર દેશનો સ્વામી થઈ જાય તો પણ તે બીજા મુલ્કોને હડપવાનું વિચારે છે.
Mar
5

મારી નજરે: બાકી રાત – બક્ષી

૧૯૮૦માં લખાયેલી આ નવલકથા આજે પણ ગુજરાતના કેટલાક શહેરોને લક્ષમાં રાખો તો મોડર્ન લાગે તેવી છે.  જો કે અહી ગુજરાતને નહિ પણ મુંબઈને પૃષ્ઠભૂમિમાં રાખીને એક ૩૪ વર્ષની ત્યકતા અને ૨૫ વર્ષના યુવક વચ્ચે રચાતી પ્રણયકથા છે. અને જે રીતે પાત્રોના મનની  સ્થિતિને અનુલક્ષીને મુંબઈનું વર્ણન થયું છે તે કાબીલેદાદ છે. અંત સુખદ: નહિ પણ કરુણાજનક છે, પણ આવી વાર્તામાં સુખદ: અંતની અપેક્ષા વધારે જ છે....
Mar
3
Comments Off

જિંદગી શું છે?? મુંબઈનો ટ્રાફિક વિચારતાં કરી મુકે છે….

     જિંદગી શું છે? ના ના, જિંદગીનો મતલબ શું છે? ના, આપણે અહી ચિંતનની વાતો કરી રહ્યા છે. મતલબ નહિ, અર્થ, જિંદગીનો અર્થ શું છે? ઘણા લોકો જિંદગીનો  જીવનનો અર્થ શોધવામાં જ આખી જિંદગી કાઢી નાખે છે અને કંઈ જ અર્થસભર મળતું નથી.અને ઘણા લોકો અર્થની પળોજણમાં પડ્યા વગર જે જિંદગી મળી છે એ સ્વીકારીને એમાંથી આનંદ લઇ લે છે. તો જિંદગીનું સત્ય શું છે? જે મળ્યું છે એ સ્વીકારીને એનો આનંદ લેવો કે જે નથી મળ્યું એની પાછળ દોડ્યા કરવું અને દુઃખી થવું? અને જે મળ્યું છે એ સ્વીકારવું એટલું સહેલું છે? મને નથી લાગતું એ જેટલું કેહવું સહેલું છે એટલું જ કરવું અઘરું છે. બાકી તો લોકો આટલા દુઃખી થોડા હોત!!!
      મને જ જુવોને... સુરતમાં પપ્પાની ઓફીસમાં જોડાઈ ગયો હોત તો આરામથી સુરતમાં જિંદગી નીકળી જાત. ક્યાય શહેરો બદલવા ના નહિ, દર અઠવાડિયે સુરત-મુંબઈના ધક્કા નહિ, અહી લોકલ ટ્રેઈન અને બસના ધક્કા ના ખાવા પડત અને સુરતમાં મસ્ત બાઈક-કારમાં ફરતા હોત અને અત્યારે મુંબઈમાં આ રીક્ષામાં ટ્રાફિકમાં ફસાયો છું. અને આવા બધા જિંદગીનાં નકામાં વિચારો આવી જાય છે.
      ટૂંકમાં, મુંબઈનો ટ્રાફિક હતાશ કરી મૂકી એવો છે અને અત્યારે હું એમાં ફસાયો છું. સારું છે ટ્રાફિકમાં અટકી જાવ છું ત્યારે મારે પાસે લેપટોપ નથી હોતું નહિ તો આ બ્લોગ આવા હતાશાજનક લેખોથી ઉભરાઈ જાત...
      સારું, ચાલો ટ્રાફિક હળવો થઇ ગયો છે અને જિંદગીમાં પાછુ સુખ આવી ગયું છે.. ના ના.. હતાશા જતી રહી છે.... 
Feb
28
Comments Off

વાઈબ્રન્ટ ફેશન વીક ઓ.કે, પણ પેલી વાઈબ્રન્ટ ફેશન સીઝન ક્યાં ગઈ?

હવે ઉનાળો શિવ શિવ કરતી ઠંડી જાય એ કહેવતમાં મારે થોડું મોડીફીકેશન કરવું છે. હકીકતમાં શિવ શિવ કરતી ઠંડી જવાની શરૂઆત કરે છે. પણ ઠંડી જાય છે તો હોળી પર જ. આજે હોળી છે અને ગઈકાલથી રાત્રે તમામ બારીઓ ખોલવાની તથા દિવસે ધીમો પંખો ચલાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે બપોરનો તડકો આકરો લાગે છે. ખુલ્લામાં તડકો હોય ત્યાં ઉઘાડા પગે ચાલતા પગ દઝાય છે. અમદાવાદમાં શિયાળાના ગાળામાં કોન્ફરન્સ, સેમીનાર, એક્ઝીબીશન, પરિષદો
Feb
28
Comments Off

આશાવલ્લી, કર્ણાવતી, અહમદાબાદ અને અમદાવાદ…..

(અમદાવાદના પ્રસિદ્ધ ત્રણ દરવાજા)

આશા ભીલના ટીંબો આશાવલ્લી, સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ સોલંકીનું કર્ણાવતી, ગુજરાતના પહેલા મુસ્લિમ સુલતાન મુઝફ્ફરશાહના પૌત્ર અહમદશાહનું અહમદાબાદ અને નરેન્દ્ર મોદીના રબર સ્ટેમ્પ કાનજી ઠાકોરનું અમદાવાદ....ભીલરાજાઓનું આશાવલ્લી, રાજપૂત કે સોલંકી યુગનું કર્ણાવતી, નગરશેઠો અને મહાજન યુગનું અહમદાબાદ, ગાંધીયુગનું માન્ચેસ્ટર અને આઝાદી પછી વિક્રમ સારાભાઈનું અમદાવાદ....બે કિલ્લા, પાંચ રાંગ, 12 દરવાજા, 143 પરાં, 13 ગામ, 300થી વધુ પોળ, 148 ખાંચા, 200 ખડકી, નવ બારી, છ ઢાળ, 1,500થી વધુ ચાલી, 15 કૂવા, 61 વાવ, 13 હવેલી, 44 વાડી, 30 ચકલાં, 171 ડહેલાં, ચાર નાળાં, છ પીઠ અને 24 ટેકરાનું અતૂટ બંધન એટલે વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કર્ણાવતી, કોંગ્રેસનું અહમદઆબાદ અને નરેન્દ્ર મોદી અને સાડા પાંચ કરોડ ગુજરાતીઓનું આપણું અમદાવાદ.....

ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ''માણસની પેઠે નગરને પણ વ્યક્તિત્વ હોય છે. જુદા જુદા મહાપુરુષોનાં નામ ઉચ્ચારતાની સાથે એમના નોખાનોખા પ્રભાવનો ખ્યાલ મનમાં જાગે છે, તેમ મુંબઈ, કલકત્તા, દિલ્હી, મદ્રાસ એવાં મહાનગરોના નામોચ્ચારથી પણ શહેરની તસવીર મનમાં ખડી થાય છે. અમદાવાદ બોલતાં પણ એવી એક ભાવનામૂર્તિ આપણી આગળ પ્રત્યક્ષ થાય છે.'' માણસ સતત બદલાતું પ્રાણી છે, તેના વ્યક્તિત્વમાં સતત પરિવર્તન આવતું હોય છે. સમય, સંજોગો અને અનુભવના આધારે તેના વ્યક્તિત્વનો ઘાટ ઘડાય છે. તે જ રીતે બદલાય યુગ સાથે શહેર, નગર કે મહાનગરની તાસીર અને તસવીર પરિવર્તનનો પવન અનુભવે છે.

એકાદ હજાર વર્ષ પહેલાં અમદાવાદ આશાવલ્લી હતું, ખાંટ રાજા આશા ભીલનો ટીંબો હતું, તેની જાગીર હતું. ખાંટ એ રજપૂત અને કોળી એ કોમની વચલી જ્ઞાતિ છે તેવું ભગવદ્ગોમંડલમાંથી જાણવા મળે છે. આશાવલ્લી કે આશાવલ સોંલકી રાજા કર્ણદેવના સમયમાં કર્ણાવતી બન્યું. હાલના જમાલપુરના દરવાજાની બહાર કેલિકો મિલની આસપાસના વિસ્તારમાં કર્ણાવતી વસ્યું-વિકસ્યું હશે તેવા ઐતિહાસિક પુરાવાં મળ્યાં છે. સિદ્ધરાજ સોલંકીના સમયમાં કર્ણાવતીના નગરપાળ તરીકે ઉદયન એટલે ઉદા મહેતાની નિમણૂંક થઈ. તેણે કર્ણાવતીને દિલ દઈને વિકસાવ્યું. કર્ણાવતીને વિકસાવવામાં જૈન અને બ્રાહ્મણોનું પણ બહુ મોટું પ્રદાન. સોલંકી યુગમાં આજના અમદાવાદનો વિકાસનો પાયો નંખાયો, ધાર્મિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિના બીજ રોપાયાં. અહીંના અરિષ્ટનેમિપ્રાસાદ નામના મંદિરમાં જ સુપ્રસિદ્ધ સાધુ અને વિદ્વાન મુનિ દેવચંદ્રસૂરિનો નિવાસ હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ અહીં જ અભ્યાસ કરેલો. ઉદા મહેતા અને જૈન અગ્રણી શાંતુ મંત્રીએ 72 જિનાલયવાળું ઉદયવિહાર નામનું મંદિર બંધાવેલું. ધર્મપરાયણ અને વેપારી મથક તરીકે વિકસેલું કર્ણાવતી નગર 14મી સદીની શરૂઆતમાં અહમદ અહમદાબાદ થયું. રજપૂત સત્તાનો અંત આવ્યો અને મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ...

ગુજરાતનો પહેલો મુસ્લિમ સુલતાન મુઝફ્ફરશાહ....તેના પૌત્ર અહમદશાહે રાજધાની પાટણથી કર્ણાવતી નજીક સ્થળાંતરિત કરી. કર્ણાવતીને અડીને સાબરમતીને કિનારે સપાટ ભૂમિ પર નગર વસાવવાની યોજના ઘડી. તેણે સરખેજના સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષની મારફત પયગંબર અલખીઝર ખ્વાજાની પરવાનગી માગી. ખુદાઈ સત્તાની શરત મુજબ, જે જીવનમાં દરરોજ પાંચ નમાઝમાંથી એક પણ ચૂક્યા ન હોય અને પવિત્ર જીવન ગાળતાં હોય તેવી ચાર અહમદ નામની વ્યક્તિઓ ખાતમુહૂર્ત વખતે દોરીના ચાર છેડો પકડે તો શહેર વસે અને આબાદ થાય. બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ, મલિક અહમદ જેમની કબર કાલુપુરના પઠાણવાડા છે અને પાટણના કાજી અહમદ એમ ચાર અહમદે પાયો નાંખ્યો. કાજી અહમદની કબર પાટણમાં છે.

આ ચાર પવિત્ર પુરુષોએ પાયાની પ્રથમ ઇંટ મૂકી અહમદાબાદ શહેરનું નિર્માણ શરૂ કર્યું. સૌ પ્રથમ ભદ્રનો કિલ્લાની શરૂઆત થઈ. આ કિલ્લાને 14 બુરજ છે. 43 એકરનો તેનો વિસ્તાર છે. આ કિલ્લો કાબુલ અને કંદહારના કિલ્લા પછી સૌથી વધુ મજબૂત ગણાતો હતો. તેના રક્ષણ માટે 18 તોપ રહેતી. ભદ્રના કિલ્લાની દક્ષિણે ગુજરાત ક્લબના મકાનની સામે અહમદશાહની મસ્જિદ છે, જે અમદાવાદમાં બંધાયેલી પ્રથમ મસ્જિદ છે. અહમદશાહના શહેરનો વિસ્તાર મહંમદ બેગડાએ કર્યો અને નગર ફરતો કોટ ચણાવ્યો. તેના બાદ દરવાજા આજે પણ અડીખમ છે. 16મી સદીમાં દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ પાદશાહના સૂબાનું શાસન ગુજરાત પર સ્થાપિત થયું. જહાંગીરે અમદાવાદને 'ગર્દાબાદ' કહ્યું. અહીં જ સર ટોમસ રોને મુલાકાત આપી અને બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના માટેના દ્વાર ખોલી આપ્યાં. ઔરંગઝેબ પછી મુઘલ સત્તા નબળી પડી અને મરાઠાઓએ અમદાવાદ પર 63 વર્ષ રાજ કર્યુ પણ અમદાવાદ ખેદાનમેદાન કરી નાંખ્યું...

મરાઠાઓએ ભદ્રકાળીનું મંદિર અને સાબરમતી પર શાહીબાગનું, ભીમનાથનું દેરું થયું. મરાઠાઓએ લોકો પર અત્યાર કર્યો અને વસતી આઠ લાખમાંથી 80,000 થઈ ગઈ. એક જીવતું, ધબકતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું. પછી અંગ્રેજોએ 1818માં યુનિયન જેક ફરકાવ્યો. 1849માં ભદ્ર પર મોટું ઘડિયાળ મુકાયું. 1859માં રણછોડલાલ છોટાલાલે કાપડની પહેલી મિલ સ્થાપી. 1864માં કાળુપુર દરવાજા બહાર બી બી એન્ડ સી આઈનું રેલવે સ્ટેશન બન્યું. 1870માં શહેરના પ્રથમ પુલ એલિસબ્રીજનું નિર્માણ થયું. 1872માં શહેરનો પહેલો રસ્તો બન્યો જે અત્યારે ગાંધીરોડ તરીકે ઓળખાય છે. 1877માં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજે રથયાત્રાનો આરંભ કરાવ્યો. 1879માં ગુજરાત કોલેજની સ્થાપના થઈ. 1885માં મ્યુનિસિપાલિટીની પહેલી વખત ચૂંટણી થઈ અને રણછોડલાલ છોટાલાલની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. 1894માં અમદાવાદમાં શેરબજાર શરૂ થયું. 1897માં 34 ગ્રાહકો સાથે ટેલીફોન સેવા શરૂ થઈ. 1909માં બહેરા મૂંગા શાળાની સ્થાપના થઈ. 1915માં કોચરબ ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ. 1920 ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. 1928માં શહેરની પહેલી હાઉસિંગ સોસાયટી પ્રીતમનગર અસ્તિત્વમાં આવી. 1950માં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ફેરવાઈ. 1952માં પહેલી એર કન્ડિશન્ડ થિયેટર રિલીફની સ્થાપના થઈ. 1956માં મહાગુજરાત આંદોલન શરૂ થયું અને પહેલી મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના સાથે અમદાવાદ પાટનગર બન્યું. 1974માં નવનિર્માણ આંદોલન શરૂ થયું. 1991માં અમદાવાદને કર્ણાવતી નામ આપવાનો ઠરાવ મ્યુનિસિપલ કોર્પોરેશને પસાર કર્યો જેને આજ સુધી મંજૂરી મળી નથી અને 2002 ગોધરકાંડ પછી હિંદુત્વની લહેર પર સવાર થઈને ગુજરાતના નાથ બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની 600મી વર્ષગાંઠ ઉજવે છે....

આશા ભીલથી નરેન્દ્ર મોદીના રબર સ્ટેમ્પ કાનાજી ઠાકોર સુધી આ નગર સતત પરિવર્તન પામતું રહ્યું છે. લોકોને આકર્ષતું રહ્યું છે. ભીલોનું આશાવલ, જૈનો અને બ્રાહ્મણોનું કર્ણાવતી, નગરશેઠોનું અહમદાબાદ, વેપારીઓનું માંચેસ્ટર અને જીવરાજ મહેતાથી લઈને નરેન્દ્ર મોદીનું અમદાવાદ દરેક વિકાસવાંછુઓ માટે મોટી શાળા સમાન છે............

ચલતે-ચલતેઃ ગામડું ફુલીફાલીને મોટું થયું હોય એવું આ શહેર છે - ઉમાશંકર જોશી
Feb
27
Comments Off

નાણાંમંત્રી મારા મિત્ર લાગે છે…

(નોંધ: આ કોઈ બજેટનું વિશ્લેષણ નથી, મને બજેટમાં મારા ટેક્સ સ્લેબ સિવાય કઈ ખબર પડતી નથી)

ગઈ કાલે બજેટ આવ્યું અને હું ખુશ થયો. બજેટ જોઈને છેલ્લા ૪ વર્ષોથી હું ખુશ થાવ છું. એ પહેલા તો હું કમાતો નહોતો, બાપાના પૈસે તાગડધીન્ના કરતો હતો એટલે બજેટની કોઈ સીધી અસર મને પડતી નહોતી. (આ વાંચીને એવું ના વિચારવું કે મારા પપ્પાએ મને બહુ પૈસા આપ્યા હશે કોલેજમાં, મારે (રોજ ની ૪-૫ જ) ચા પણ ગણીને પીવી પડતી હતી. હા એ વાત અલગ છે કે અમદાવાદમાં ચાની કીટલી પર બેસીને ચા પીવો એટલે રાજાશાહી અને તાગડધીન્ના જ લાગે... ). હા તો આપણે બજેટની વાત કરી રહ્યા હતા, હવે એમાં એવું  છે ને એમણે એટલે કે નાણાંમંત્રીએ ટેક્સ સ્લેબમાં વધારો કર્યો છે અને મારા જેવાને ૨૦-૩૦ હજારનો ફાયદો થયો છે અને છેલ્લા ૩-૪ વર્ષોથી હું દર વર્ષે સરખો જ ટેક્સ ભરતો આવ્યો છું. (એનો મતલબ એવો ના નીકાળવો કે મેં છેલ્લા ૩-૪ વર્ષોમાં કોઈ પ્રગતિ નથી કરી અને હું ૪ વર્ષથી એક સરખા પગાર પર કામ કરી રહ્યો છું!!!)  આ તો જેમ જેમ મારી આવક વધી રહી છે તેમ તેમ ટેક્સ સ્લેબ પણ વધી રહ્યો છે એટલે મને થયું કે નાણાં મંત્રી મારા મિત્ર લાગે છે.... :) ....
હવે આ વાત મેં મારા મિત્રને કરી તો એ હસવા લાગ્યો !!!! મેં કીધું શું થયું ભાઈ? એ કહે, તે તારી નોકરીના પહેલા વર્ષે મને શું કીધું હતું? મેં તને કેટલો ટેક્સ ભર્યો એમ પૂછ્યું ત્યારે!!! તે કીધું હતું, હું હજી ગરીબી રેખાની નીચે આવું છું અને સરકાર ગરીબો પાસે ટેક્સ નથી લેતી!!!!!
તને લાગી રહ્યો છે કે તારો પગાર વધી રહ્યો છે ને સરકાર તારો ટેક્સ ઓછો કરી રહી છે!!! એવું કઈ નથી ભાઈ, પગાર તારો એકલાનો નહિ, બધાનો જ વધી રહ્યો છે. અને સાથે મોંઘવારી પણ વધી રહી છે. તું હજી છે ત્યાંનો ત્યાં જ છે એટલે સરકાર તને હજી ગરીબ સમજીને ટેક્સમાં છૂટછાટ આપી રહી છે, સમજ્યો... આહ.... જો સામે પેટ્રોલના ભાવમાં પણ વધાર્યો કર્યોને....આ હકીકત છે.
મને નથી ખબર પણ આપણો સ્વભાવ તો ખુશ રહેવાનો છે અને ૨૦-૩૦ હજાર બચી રહ્યા છે એટલે હું ખુશ છું. એ કહે.. બસ આટલામાં ખુશ!!! મેં કીધું હા, આ સાધુ-સંતો કહે છે ને, નાની નાની વાતોમાં જ સુખ રહેલુ છે.... (પણ સાલું પછી મનમાં થયું આ જબરું છે.. નાની નાની વાતમાં ખુશ થવાનું પણ નાની નાની વાતમાં દુઃખી નહિ થવાનું? ખુશીની લાગણી ભગવાને આપી છે તો દુઃખની લાગણી પણ ભગવાન જ આપે છે ને... આનંદ પણ ભગવાનની દેણ છે તો ગુસ્સો પણ એમની જ દેણ છે.... ) તો આપણે ટેક્સ બચ્યો એ વાતે ખુશ થવાનું અને પેટ્રોલના ભાવ વધ્યા એ વાતે દુખી થવાનું..... બધી લાગણીઓનો અનુભવ કરવાનો, બરાબર ને...
ચાલો હોળીની શુભેચ્છાઓ બધાને...
Feb
27
Comments Off

હોળી

હોળી, જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.

 કથાઓ

નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશિપુનો વધહોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં’, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. હોળી રમતાં રાધા કૃષ્ણ અને ગોપ-ગોપીઓઆ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે

પરંપરા

હોળીકા દહન હોળી/ધુળેટીની સામુહિક ઉજવણીગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ‘બીજો પડવો’,'ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે. [ફેરફાર કરો] સંગીતમાં હોળી વસંત રાગિણી – કોટા શૈલીમાં રાગમાલા શૃંખલાનું એક મીનીએચર ચિત્રહોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને “હોળીનાં ફાગ” તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે. વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વૃજભાષામાં હોય છે. ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.

અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:

“રંગ બરસે ભિગે ચુનરવા…” “હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ..” ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં: “રંગ દે ચુનરિયા..”-મીરાં બાઈ “કિનુ સંગ ખેલું હોલી..”-મીરાં બાઈ

source : wikipedia


Feb
25
Comments Off

Sachin, World Record & Media….


I get nice picture...and happy to share with my friends.....Enjoy Sachinmania.....
Feb
25
Comments Off

સચિન, વિશ્વવિક્રમ અને અખબારી આલમ…

IMMORTAL AT 200

















કોઈ પણ મનોરંજક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની મજા અનેરી હોય છે....ઇતિહાસ સર્જાતો હોય ત્યારે રોમાંચ, વિસ્મય, લાગણીની ચડ-ઊતર અનુભવાય છે...ઇતિહાસ સર્જાયા પછી દિલ ફાડીને બહાર આવતો આનંદનો મહાસાગર...આવી જ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી હું, તમે અને જગતભરના ક્રિકેટપ્રેમીઓ બન્યાં...વન-ડે ક્રિકેટના ચાર દાયકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ક્રિકેટરે 200 રન ફટકારવાનું એવરેસ્ટ સર કર્યું......અખબારી આલમના માણસ તરીકે ઇંતેજારી હતી કે આજે અખબારો આ વિક્રમને કઈ રીતે વધાવશે....ઊઠીને તરત જ મનપસંદ અખબારોની સાઇટ પર સર્ફિંગ કર્યું અને તેમના ઇ-પેપર પરથી આ વિક્રમી સમાચારની જાણકારી મેળવી....જે તમારી સમક્ષ રજૂ કરું છું...
પહેલી તસવીર જાણીતા અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની છે, જેનું હેડિંગ હતું- IMMORTAL AT 200....પંજાબના જાણીતા હિંદી અખબાર 'પંજાબ કેસરી'ની છે....બીજી તસવીર કોલકત્તાના જાણીતા અંગ્રેજી અખબાર 'ધ ટેલીગ્રાફ' અને પાંચમી તસવીર દેશના જાણીતા અંગ્રેજી દૈનિક 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની છે.....

ગુજરાતના જાણીતા અખબારોની હેડલાઇન્સ-
ગુજરાત સમાચારઃ વન-ડેમાં વર્લ્ડ રેકોર્ડઃ સચિનના 200 રન
સંદેશઃ સચિન સુપિરિયર, વન-ડેમાં 200 રનનો વર્લ્ડ રેકર્ડ
દિવ્ય ભાસ્કરઃ ક્રિકેટનો બાદશાહ, સચિનનો એક વધુ વિક્રમ
અકિલાઃ વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેંડુલકરનો ડંકો, પ્રથમ બેવડી સદી
સચિન ટેસ્ટ ક્રિકેટમાં 450 રનનો અને વન-ડે ક્રિકેટમાં 250 રનનો વિશ્વવિક્રમ સ્થાપિત કરે તેવી ઇચ્છા ભારતના મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરે વ્યક્ત કરી છે. અનેક લોકોએ સચિનને શુભેચ્છા વ્યક્ત કરી છે, પણ સૌથી સારી ટીપ્પણી જાણીતા ક્રિકેટ વિવેચક પીટર રોબોકે વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, ''સચિન બેટિંગ કરતો હોય ત્યારે તમારો કોઈ પણ ગુનો ઇશ્વર માફ કરી દે છે, કારણ કે તે પોતે પણ સચિનની બેટિંગની મજા માણતો હોય છે..''
Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

RSS Top 5 blogs at WP

Flickr Photostream