Browsing all articles in Uncategorized
Jul
30

જગતના સુપરકલાસ બિઝનેસ માંધાતાઓની લક્ઝરી

સ્વિટ્ઝરલેન્ડના દાઓસ નામના હિલ સ્ટેશનમાં યુરોપિયન ઉનાળામાં છેલ્લા ૩૮ વર્ષથી જગતભરનાં ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વડાપ્રધાઓ તેમજ પત્રકારો ભેગા થાય છે.અહીં ૨૨૦ બેઠકો યોજીને જગતની આર્થિક સમસ્યાઓની ચર્ચા થાય છે. કોકટેઇલ પાર્ટીઓ, નાચગાન અને બીજા જલસાઓ વચ્ચે જગતની ગરીબીની ચર્ચા પણ થાય છે

વધુઆગળ વાંચો...

Jul
30

પ્રિયકાન્તને..

મેળે ગયેલું બાળક
માની પરવા કર્યા વિના
મેળાને
વિસ્મયથી પૂર્ણપણે ભોગવતું હોય
ત્યારે જ તેને
તેનો હાથ ખેંચી
કોઈક
મેળાની બહાર ઘસડી જાય..
મૃત્યુને આવું કેમ સૂઝતું હશે, પ્રિયકાન્ત?

અકાળે મૃત્યુ પામેલા સદગત પ્રિયકાન્ત મણિયારની સ્મૃતિમાં..

Jul
29

લોકસાહિત્યના કોપીરાઇટ – ઝવેરચંદ મેઘાણી

લોકસાહિત્યના કોપીરાઈટ પ્રશ્ને આજથી અડધી સદીથીય વધારે સમય પહેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગ્રામોફોન કંપનીઓ સામે કરેલી લડતની વાત અહીં તેમણે આલેખી છે. જન્મભૂમીમાં તેમણે ૨૯ જુલાઈ ૧૯૩૭, આજથી બરાબર ૭૩ વર્ષ પહેલા આ લેખ લખેલો. જો કે સાહિત્યના અનેક પ્રકારો વચ્ચે આ પ્રસંગ એક અલગ વાત લઈને આજે પ્રસ્તુત કર્યો છે છતાં એક અનોખો પ્રસંગ છે, લોકસાહિત્યની તેમની રચનાઓ વિશે શ્રી મેઘાણી લખે છે, 'જોગીદાસ ખુમાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ કોઈએ ઉતરાવી આપી હશે. એ કથાને નાટક લેખે વાપરનારાઓ, વૃતાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર મૂકનારાઓ, સહુ એવો સંતોષ અને દાવો ધરાવતાં કે આ તો પ્રચલિત સાહિત્ય છે, એ સર્વકોઈના અધિકારની સામગ્રી છે. તમને ભાગ્યે જ એ સત્ય સમજાશે કે એ સમગ્ર કથા વણવા મારે વાણાતાણા કરવા પડ્યાં છે, ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈ, ગઢવી દાદાભાઈ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના સ્ંધી પસાયતાએ - નામો જેનાં નથી એવા બીજા કેટકેટલાએ અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું, અને તેના ઉપર ઉર્મિની અંજલી છાંટીને પ્રાણ જગાડ્યો છે."
Jul
29

S H A B D A S O O R..- By.. DR.J.K.NANAVATI 2010-07-29 21:36:00

ફૂંક બે તું મારજે, શઢમાં ખુદા
છે પછી બે હાથ મારા, નાખુદા

છે અરીસો એજ કે, છું હું અલગ
આજ ચહેરા સાવ લાગે બેહુદા

સહેજ પીળી ચટ્ટ શંકાએ જુઓ
પાંદડાઓ ડાળથી પડતા જુદા

લાગણી નક્કર હતી મારી છતાં
આપણા સંબંધ જાણે બુદબુદા

યાદમાં હું કોઈની, મળતો નથી
ક્બ્ર પર મારી લખી દો ગુમ શુદા
Jul
29

ગ્રહોનાં સંબંધ

ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે.

૧. યુતિ

કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે.

આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે.

બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમાં થતી હોય તે ભાવ અને રાશિનો પ્રભાવ પણ આ ગ્રહો પર પડે છે.

બે ગ્રહો જ્યારે એક રાશિમાં ૧૨ અંશ કે તેથી ઓછાં અંતરે હોય ત્યારે યુતિનું સૌથી વધુ ફળ મળે છે. આમ છતાં બે ગ્રહો વચ્ચે એક અંશ કરતાં પણ ઓછું અંતર હોય ત્યારે તે અશુભ ગણાય છે. ઉપરાંતમાં જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી આશરે ૧૦ અંશ નજીક હોય ત્યારે સૂર્યનાં તેજથી પ્રભાવિત થઈને અસ્ત થઇ જાય છે. (જુઓ ગ્રહોનો અસ્ત)

૨. પરસ્પર દ્રષ્ટિ યોગ

ગ્રહો પરસ્પર એકબીજા પર દ્રષ્ટિ કરીને વધુ એક રીતે એકબીજાને પ્રભાવિત કરે છે. આ રીતે દ્રષ્ટિ કરીને ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોની બીજાં ગ્રહ સાથે આપ-લે કરે છે. પ્રત્યેક ગ્રહ પોતાનાથી સપ્તમ સ્થાનમાં રહેલી રાશિ અને ગ્રહ પર દ્રષ્ટિ કરે છે. આથી સામાન્ય રીતે જયારે ગ્રહો એકબીજાથી સપ્તમ સ્થાનમાં હોય ત્યારે પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે. પરંતુ મંગળથી શનિ ચોથે હોતાં મંગળ અને શનિ વચ્ચે પણ પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે.

૩. એકપક્ષીય દ્રષ્ટિ યોગ

એક ગ્રહની બીજાં ગ્રહ પર દ્રષ્ટિ હોય પરંતુ બીજાં ગ્રહની દ્રષ્ટિ પ્રથમ ગ્રહ પર ન હોય ત્યારે આ યોગ રચાય છે. આ યોગમાં ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોનું બીજાં ગ્રહ પર વહન કરે છે. બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ પોતાના સ્થાનથી સપ્તમ સ્થાન ઉપરાંત વધારાની દ્રષ્ટિ ધરાવતા હોવાથી તેમના દ્રષ્ટિ કરવાને લીધે આ યોગ રચાય છે.

૪. પરિવર્તન યોગ

જયારે એક ગ્રહ બીજાં ગ્રહની રાશિમાં અને બીજો ગ્રહ પ્રથમ ગ્રહની રાશિમાં સ્થિત હોય ત્યારે પરિવર્તન યોગ રચાય છે. દા.ત. શુક્ર ધનુ રાશિ સ્થિત હોય અને ગુરુ વૃષભ રાશિ સ્થિત હોય. પરિવર્તન યોગમાં રહેલા ગ્રહો સ્વરાશિ સ્થિત હોય તે રીતે વર્તે છે. આ બાબતનું ઉદાહરણ આપીને સમજાવું તો ધારોકે બે મિત્રો અલગ -અલગ શહેરમાં પોતાનું ઘર ધરાવે છે. કોઈ કારણોસર બંનેને એકબીજાના શહેરમાં રહેવાનું થયું હોવાથી એક મિત્ર બીજાં મિત્રના ઘરમાં રહે છે જ્યારે બીજો મિત્ર પ્રથમ મિત્રના ઘરમાં રહે છે. અહી બંને મિત્રો એકબીજાના ઘરમાં રહેતા હોવાથી બંને બીજાના ઘરની પોતાના ઘરની માફક જ સંભાળ રાખશે અને નુકસાન પહોંચાડવાનો વિચાર નહિ કરે.
Jul
29

બાપા જલારામ

                        બાપા જલારામ

તાઃ૨૯/૭/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનું રટણ કરતાં,પ્રભુ કૃપા મેળવાઇ ગઇ
જગમાં મળેલા જન્મને,સ્વર્ગની સીડી મળી ગઇ
                                 ……….રામનામનું રટણ કરતાં.
સંસારની સાંકળમાં રહીને,માનવતા મહેંકી ગઇ
આવી આંગણે માગે ભીખ,એ જીવની જગે જીત
ભક્તિની છે એ બલીહારી,નાજગમાં એ અજાણી
મળે શાંન્તિ ત્યારે જીવને,પ્રભુદેહ ધરે અવનીએ
                                    ………રામનામનું રટણ કરતાં.
સંસ્કાર મળે છે માબાપથી,નાજગે તેમાં કોઇ શંકા
તનથી મહેનત સંગ,ને મનથી રામનામ લેવાય
અન્નદાનની અજબશક્તિ,ના કોઇથી એ મેળવાય
ઉજ્વળ જીવન બનીરહે,જ્યાં સાતપેઢી તરી જાય
                                  ………..રામનામનું રટણ કરતાં.
માગણી મનથી પરમાત્માને,દેજો ભક્તિનો સંગ
ના આવે માયામોહના બંધન,જે દુનીયાનો રંગ
જલારામની શ્રધ્ધા,ને વિરબાઇ માતાને વિશ્વાસ
નસેનસમાં રામનામથી,નારહે જન્મે કોઇ ઉદાસ
                                      ……..રામનામનું રટણ કરતાં.

+++************************************+++

Jul
29

તમારા સંતાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના મોહમાં પાડો

અમેરિકા અને જર્મની બે દેશો આર્થિક રીતે આગળ આવ્યા તે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં તે લોકોની પારંગતતા જવાબદાર હતી. ભારતમાં થોડા વિજ્ઞાનીઓ પાક્યા છે પણ વિજ્ઞાનનું ભણતર આજે સાવકું બન્યું છે. 'બિઝનેસ વર્લ્ડ' નામનું મેગેઝિન કહે છે કે ભારત જાણે 'વાણિયા' નો દેશ બની રહ્યો છે. મુંબઇની શેરબજારના ૨૦ લાખ ઇન્વેસ્ટરોના હિત અહિત માટે અખબારોમાં હેડલાઇન્સ છપાય છે.

વધુઆગળ વાંચો...

Jul
28

મા, મને વાર્તા કહો…- નીના જે. ક્રિસ્ટી

કેટલીક રચનાઓ વાંચીને અવાચક થઈ જવાય છે, કાંઈ કહેવાનું રહેતું નથી, પોતાની માંને વાર્તા કહેવાની આજીજી કરતી એક દિકરી પ્રસ્તુત રચનામાં પરીઓની કે રાજકુમારની વાત સાંભળવા માંગતી નથી. તેને હકીકતનો સામનો કરવો છે એવા અર્થનું પ્રસ્તુત અછાંદસ સિક્કાની બીજી બાજુ બતાવી જાય છે અને એમાંય અંતિમ પંક્તિઓમાં જાણે કવયિત્રી અચાનક ખૂબ ઉંડી વાત કરી જાય છે, એક સચોટ ધ્વનિ સાથેનું અને પ્રથમથી અંતિમ પંક્તિ સુધી જકડી રાખતું આવું કાવ્ય ખરેખર માણવાનો લહાવો ચૂકવા જેવો નથી. પ્રસ્તુત અછાંદસ પુસ્તક 'શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ …..’ – અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય માંથી સાભાર લેવામાં આવ્યું છે.
Jul
28

શરણં મમઃ

                             શરણં મમઃ

તાઃ૨૮/૭/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ લીધું મા અંબે તારું,જન્મ સફળ કરવાને કાજ
ભક્તિપ્રેમની સ્વીકારીને મા,મુક્તિ દેજો જીવને આજ
                                   ……….શરણુ લીધું મા અંબે તારું.
કરુણા તારીમળે જ્યાં જીવને,ત્યાં ભક્તિમળે અપાર
માડી તારો પ્રેમ જીવને,દઇ દે મુક્તિ તણા સોપાન
આવ્યો આજે મંદીર તારે,પુંજન અર્ચન કરવા કાજ
ભક્તિ સ્વીકારી કરુણાકરજો,નાબીજી જીવનમાંઆશ
                                      ………શરણુ લીધું મા અંબે તારું.
શરણં મમઃ શબ્દ સાંભળતાં,મા દેજો કરુણા અપાર
જીવને મળે શાંન્તિજીવનમાં,જે મા કૃપાથી લેવાય
સ્નેહપ્રેમ મળતાં માતાનો,પાવનજન્મ થતો દેખાય
દેહની લીલા અજબનિરાળી,માપ્રેમે એ અટકી જાય
                                    ……….શરણુ લીધું મા અંબે તારું.
સહવાસ મળતાં સવારનો,કોમળ કિરણો મેળવાય
પ્રભાતનીપરખ મળતાંજીવને,સદમાર્ગે દોરી જાય
માની આરતી મનથી ગાતા,મા ભક્તિએ હરખાય
સદા શાંન્તિ મળીરહે,ત્યાં સૌ વ્યાધીઓ ભાગીજાય
                                    ………..શરણુ લીધું મા અંબે તારું.

*************************************************

Jul
28

મારી કોઈ ડાળખીમાં : અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો ! પંખી સહિત હવા ચાતરીને જાય, એવું અષાઢી દિવસોમાં લાગે, આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં, પણ  મારામાં  ઝાડ હજી જાગે. માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો ! એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનોય ભાર ! એક પછી એક [...]
Jul
28

Chess Board Puzzle (2)

ગયા અઠવાડિયે પુછાયેલ ચેસ બોર્ડ પઝલના અનુસંધાનમાં ઘણા બધા વાંચકોએ જવાબ લખી મોકલ્યા, બધાને જવાબ આપી શકાય નથી પણ જેમના જવાબો સાચા નહોતા અથવા તો જેમને થોડી દિશા બતાવવી જરૂરી  હતી એ બધા વાંચકોને જવાબ આપેલા જ છે. ઘણા વાંચકોએ ફરીથી પ્રયત્નો કર્યા અને જવાબ સુધી પહોંચ્યા તો ઘણા વાંચકો આ પઝ્લથી પરિચિત હતા એમના માટે આ પઝલ ઉકેલવી ચપટી વગાડવા જેટલું સરળ કામ હતું. બધા પઝલ ઉકેલનાર વાંચકોના નામ અહી જગ્યાના અભાવે લખી શકાય એમ નથી પણ સૌ પ્રથમ સાચો જવાબ મોકલ્યો વૈદુર્યા ઉપાધ્યાયે. 


આ ખુબ જ પ્રચલિત, જૂની અને જાણીતી પઝલ છે છતાં ઉકેલવાની મથામણ અને માથાકૂટ કરવાની મજા એવી પઝલ છે. ચેસ બોર્ડમાં 8x8 ચોરસ ખાના હોય છે.  ઉકેલવાની શરૂઆત કરીએ 1x1 માપના ચોરસ ગણીને, જે ખુબ સરળ છે. આવા કુલ 8x8 એટલે કે 84 ચોરસ છે. હવે 2x2 ના માપના કેટલા ચોરસ છે ? બે આડી કે ઉભી હરોળમાં બાજુ બાજુના બે ખાના ધ્યાનમાં લઈએ તો કુલ સાત રીતે 2x2 માપના ચોરસ મળે. એનો મતલબ થયો કે આખા ચેસ બોર્ડમાં 7 ચોરસ આડી હરોળમાં અને 7 ચોરસ ઉભી હરોળમાં ધ્યાનમાં લેતા, 7*7 = 49 ચોરસ 2x2 માપના મળે. આ જ રીતે 3x3 માપના 6x6 એટલે કે 36 ચોરસ મળે. આ જ રીતે બધા માપના ચોરસ નીચે મુજબ મળે.


1x1 માપના ચોરસ = 8 *8 = 64
2x2 માપના ચોરસ = 7 *7 = 49
3x3 માપના ચોરસ = 6 *6 = 36
4x4 માપના ચોરસ = 5 *5 = 25
5x5 માપના ચોરસ = 4*4 = 16
6x6 માપના ચોરસ = 3*3 = 9
7x7 માપના ચોરસ = 2*2 = 4
8x8 માપના ચોરસ = 1*1 = 1


આ બધા માપના ચોરસને ગણતરીમાં લેતા, જવાબ મળે 204.


            હવે આ પરથી આ પ્રકારની પઝ્લનો વિસ્તાર સહેલાયથી થઇ શકે. ઉપરના પરિણામો  જોતા  સમજાય છે કે nxn માપના ચોરસ બોર્ડમાં કુલ
∑n ^2 ચોરસ હોય. જેની જાણીતી ફોર્મ્યુલા છે n*(n +1 )(2n+1)/6  
  
વેઇટ  વેઇટ, આ તો આપણું અનુમાન થયું કહેવાય. એક ઉદાહરણથી એક સાબિતી પર ના આવી શકાય. સારું તો વાંચકો આ અનુમાનને સાબિત કરે તો કેવું ?
હાલ પુરતું ધરી લઈએ કે વાંચકો આ સાબિત કરી આપશે. જો 10x10 ના માપનું બોર્ડ હોય તો ઉપરની ફોર્મ્યુલા મુજબ   કુલ
  
 ∑10 ^2  = 10 *(10 +1 )(20 +1 )/6  
             = 10 *11 *21 /6
             = 385

કોઈ પણ પરીક્ષા કે ઈન્ટરવ્યુંમાં આવા સવાલોના ફટાક જવાબો આપી શકાય , જો આ ફોર્મ્યુલા અથવા તો ઉકેલવાની પદ્ધતિ જાણતા હોઈએ તો. આવા કેટલાય પ્રકારના સવાલો અને એ ઉકેલવાની પધ્ધિઓ આપણે અહીં જાણતા રહેશું. 

અહીં ^ વર્ગ માટે અને * ગુણાકાર માટે વાપરેલી સાઈન છે. 

End Game:

હવે આ અંકની પઝલ. ચેસ બોર્ડમાં કુલ કેટલા લંબ ચોરસ બની શકે ? અને હા, આપણે શોધેલા ચોરસનો પણ આમાં સમાવેશ કરવાનો છે. મતલબ, દરેક દરેક ચોરસ પણ એક લંબચોરસ તરીકે ગણીશું.  તમારા જવાબ www alpeshbhalala com  સાઈટ પર પોસ્ટ કરી શકશો અથવા alpesh .bhalala@gmail .com પર ઈમેઈલ કરી શકશો. 
 ----------****---------------*****----------------****------------
ઉપરોક્ત  કોલમ આજે ગુજરાત સમાચારમાં ઘણી બધી ભૂલો સાથે છપાયેલ છે પણ અહીં તેની મૂળ કોપી મુકેલ છે. ગુજરાત સમાચારની સાઈટ પર આ કોલમ લીન્ક પર જોઈ શકાશે. જ્યાં "અનુમાન " શબ્દ "અપમાન" તરીકે  પણ લખાયો છે!!  
Jul
28

પ્રેમ એ સાધ્ય નથી, પ્રેમ માત્ર સમગ્ર જીવનને આનંદથી ચલાવવાનું સાધન છે

આપણે બધા બાયોલોજીકલી પ્રોગ્રામ્ડ છીએ. તે આંતરિક પ્રોગ્રામ પ્રમાણે આપણે જીવનમાં સાથીદાર શોધતી વખતે વર્તીએ છીએ. આપણે મનગમતા સાથી પસંદ કરીએ ત્યારે પ્રથમ નજરે સાચી લાગણી જ ઊભરાતી હોય છે. શરૂઆતની આ લાગણીઓ વિશ્વસનીય હોય છે.

વધુઆગળ વાંચો...

Jul
28

શાહિન બેગમ

સોશિયલ વર્કરની ડાયરીમાંથી....


૧૯૮૦ના દાયકામાં અમારા સોશિયલ સર્વિસીઝ ડીપાર્ટમેન્ટમાં ભારતીય ઉપખંડના કાર્યકર્તાઓની ભારે કમી હતી. તેમાં પણ બહેનો તો સાવ ઓછી. પાકિસ્તાની મહિલાઓાનો આગ્રહ રહેતો કે તેમનું કામ સ્ત્રી સોશિયલ વર્કર્સ જ કરે. અમારે ત્યાં મુંબઇની TISSની ઝૈતૂન મનજી તથા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી MSW કરીને આવેલ સુકેશા અમીન હતી તેથી અમારા શહેરની મુસ્લિમ મહિલાઓનું કેસ-વર્ક આ બે બહેનોને જ સંભાળવું પડતું. (કેસ વર્કની ગુપ્તતા જાળવવા અહીં અપાયેલા બધા નામ બદલાવ્યા છે). તેમનો કેસ-લોડ એટલો વધી ગયો હતો કે ઘણા કેસીઝ વેઇટીંગ લિસ્ટમાં હતા. તેમની વધારાની સમસ્યા એ હતી કે તેમનું પંજાબી ભાષાનું જ્ઞાન નહિવત્ હતું તેથી તેમને દ્વિ-ભાષી સહકારી ન મળે, ત્યાં સુધી તેમનું કામ અધુરું રહેતું. તે સમયે મૂળ ગુજરાંવાલા શહેરના અને હવે અમારી ટીમના વિસ્તારમાં રહેનાર શાહિન બેગમનો કેસ વેઇટીંગ લિસ્ટમાં હતો. શાહિનનો આગ્રહ હતો કે તેનો કેસ સ્ત્રી સોશિયલ વર્કર જ સંભાળે તેથી શરૂઆતમાં તેને ‘પ્રૅક્ટીકલ સપોર્ટ’ આપવાનું કામ ઝૈતૂનને સોંપ્યું હતું. તેણે શાહિનના છૂટાછડા લેવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. કોર્ટની તારીખ આવી હતી, ઝૈતૂનને તે સમયે પારિવારીક પ્રસંગો માટે નૈરોબી જવાનું હતું. તેથી આ કેસ અમારી ટીમના કોઇ સભ્યને સોંપાય તેવું નક્કી કરવામાં આવ્યું. કેસ એલોકેશન મિટીંગમાં ઝૈતૂને શાહિનના કેસની વિગત આપી.

શાહિન ગુજરાંવાલા શહેરના ગરીબ પરિવારની મોટી દિકરી હતી. પિતા ઘોડાગાડી ચલાવતા. ચાર ભાઇબહેનોમાં શાહિન સૌથી મોટી. મૅંચેસ્ટરના મધ્યમ વર્ગના પરિવારના મોટા પુત્ર માટે શાહિનના દૂરના કાકા દ્વારા માગું મોકલાવ્યું. મૂરતિયો પૈસાદાર હતો. શાહિનનો પરિવાર મૂળ કાશ્મિરનો હતો. કાશ્મિરી સ્ત્રીઓ સૌંદર્ય માટે પ્રખ્યાત હોય છે. શાહિન તેમાં અપવાદ નહોતી. તેણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. આસપાસના દસેક બાળકોને માસિક પાંચ-પાંચ રૂપિયા લઇ રોજ એક-બે કલાક ભણાવતી હતી તેથી ઘરમાં તેની આર્થિક મદદ થતી. હવે જો તેનાં લગ્ન વિલાયતમાં થાય તો આખા પરિવારનો ઉદ્ધાર થાય તેવી આશાથી મૂરતિયા ખાલિદને જોયા વગર લગ્ન માટે હા કહેવામાં આવી. Fiance`Sponsorshipની જોગવાઇ નીચે તે મૅંચેસ્ટર ગઇ અને લગ્ન થયા.


લગ્નનો પ્રસ્તાવ લઇ આવનાર કાકાએ મૂરતિયાની સમૃદ્ધી વિશે કહેલી સાચી વાતોમાં એક નાની સરખી વાત છુપાવી હતી.


ખાલિદ Bi-polar હતો.


મહિનામાં એક કે બે વાર manic episode આવે ત્યારે કોઇવાર હિંસક થઇ તેની સામે કોઇ હોય તેને ઝૂડી કાઢતો. શાહિનને આનો અનુભવ લગ્ન બાદ તરત જ આવ્યો. પિયરના ભાવિ સુખને ખાતર તે ખાલિદની માંદગી તથા માર સહેતી રહી. ચાર વર્ષમાં બે બાળકીઓને જન્મ આપ્યા બાદ સાસુ તરફથી પણ ત્રાસ શરૂ થયો. શાહિને ‘વારિસ’ આપ્યો નહોતો! દિકરીને હજી પણ વંશ ચાલુ રાખનાર વારસ ગણાતી નથી.


એક દિવસ ખાલિદની બિમારીનો ભોગ તેની મોટી દિકરી જબીન થઇ. ત્રણ વર્ષની જબીનને તેણે ક્રોધના આવેશમાં ફટકારી કાઢી. શાહિન તેને છોડાવવા ગઇ તો તેનું ગળું દબાવવા લાગ્યો. મહા મુશ્કેલીએ ખાલિદના પિતા મકબૂલ ભટ્ટીએ તેને છોડાવી. મકબૂલમિયાં ભલા માણસ હતા. તેમણે શાહિન તથા તેની બેઉ દિકરીઓને બર્મિંઘમમાં રહેતી તેમની પરિણીત દિકરી પાસે થોડા દિવસ માટે મોકલી. ત્યાંના બે-ત્રણ દિવસના વાસ્તવ્યમાં શાહિને ખૂબ વિચાર કર્યો. તેના પર થતા હિંસક હુમલા તેણે ચાર વર્ષ સહ્યા, હવે સંતાનો તેનો ભોગ બને તે તેને મંજુર નહોતું. મકબૂલમિંયાએ બચાવી ન હોત તો તે કદાચ મરી ગઇ હોત.


શાહિન બુદ્ધિમાન યુવતિ હતી. ચાર વર્ષના બ્રિટનના વાસ્તવ્ય દરમિયાન તે અહીંની ઘણી વાતોથી વાકેફ થઇ હતી. તેની બહેનપણીઓને સંગાથ આપવા જુદી જુદી અૉફિસોમાં જતી ત્યારે તેને સોશિયલ સિક્યોરિટીમાંથી મળતા ઇંકમ સપોર્ટ, હૉસ્પિટલની સારવાર તથા કાઉન્સિલ તરફથી મળતા મકાન વિગેરેની જાણકારી મળી હતી. અંગ્રેજી બોલવામાં ફાવટ આવી નહોતી, તેમ છતાં મૅંચેસ્ટર પાછા જવાના બહાના નીચે તે બસ સ્ટૉપ પર ગઇ અને ત્યાંથી સીધી અમારા શહેરમાં પહોંચી. બસ સ્ટેશનથી ટૅક્સી કરી સોશિયલ સર્વિસીઝની અૉફિસમાં આવી અને ત્યારથી અમારા કેસ વર્કમાં હતી. ઝૈતૂને તેને હોમલેસ પર્સન્સ અૅક્ટ હેઠળ કાઉન્સીલમાં મકાન અપાવ્યું હતું. હવે આગળનું કામ કોને સોંપાય તેની વિચારણા કરવામાં આવી. િમલિટરીમાં લાંબા સમય માટે કામ કર્યું હોવાથી ‘જીપ્સી’ને ઉર્દુ તથા પંજાબી બોલવામાં સારી ફાવટ હતી, અને વાતચીતમાં જળવાતી તહેઝીબનું સારૂં કહી શકાય તેવું જ્ઞાન હતું. શાહિનને પુરૂષ સોશિયલ વર્કર વિશે વાંધો ન હોય તો તે કેસ લેવા તૈયાર હતો. ઝૈતૂને શાહિન સાથે આ બાબતમાં વાત કરી તેનો નિર્ણય જણાવીશ એવું કહ્યું.


બીજા દિવસે ઝૈતૂનનો ફોન આવ્યો. શાહિન મારો ઇન્ટરવ્યૂ લઇ મને ‘જોવા’ માગતી હતી. તેને લાગે કે આ “હિંદુ” સભ્ય માણસ છે અને મહિલાનું સન્માન તથા અંતર જાળવી શકશે તો તે નક્કી કરશે. ખેર, ઇન્ટરવ્યૂ થયો અને શાહિને મંજુર કર્યું કે જીપ્સી તેનો સોશિયલ વર્કર થઇ શકશે. જો કે ટીમમાં આ વાત પરથી મારી ઘણી મજાક ઉડાવવામાં આવી. પરાયા પુરુષો પ્રત્યે ઓજલ રાખનાર મુસ્લિમ મહિલા તે પણ પાકિસ્તાની સ્ત્રીએ જીપ્સીને હા કહી તેનું શું કારણ હોવું જોઇએ તેની રેચલ કોલ્ટરે ટીખળ કરી.


કોર્ટમાં કેસ ચાલે તે પહેલાં સૉલીસીટર સાથેની મુલાકાત માટે જીપ્સી શાહિન સાથે ઘણી વાર ગયો અને તેને જોઇતી જરૂરી માહિતી આપી. બ્રિટન જતાં પહેલાં સૌરાષ્ટ્ર, ગુજરાત, પંજાબ જેવા પ્રદેશોના ગ્રામ્ય વિસ્તારમાં સારૂં એવું રહ્યો હોવાથી લોકમાન્યતાઓ, ખાસ કરીને માનસિક બિમારી અંગેના પ્રવર્તતા ખ્યાલથી તેને વાકેફ કર્યો (દા.ત. સ્ત્રીઓની માનસિક બિમારીનું કારણ મુખ્યત્વે ભૂત-પ્રેતના વળગણને કારણે તથા પુરૂષોની લૈંગીક સમસ્યા દૂર કરવા તેના લગ્ન કરી દેવાથી દૂર થાય છે એવી ગામઠી માન્યતાઓ) સાંભળી તેને આશ્ચર્ય થયું. મકબૂલભાઇ સજ્જન હતા. તેમના મતે કોર્ટમાં પારિવારીક બદનામી ન થવી જોઇએ. બન્ને પક્ષોની સંમતિથી ડિવોર્સ માટે કોર્ટ પાસે રજુઆત થઇ. છૂટા છેડા મંજુર થયા અને અમે તેનો કેસ ‘ક્લોઝ’ કર્યો.


* * * * * * * * *

એક વર્ષ વિત્યું અને શાહિને અમારી અૉફિસને ફોન કર્યો. તેને લગ્ન અંગે સલાહ જોઇતી હતી. ૧૯૮૦ના દાયકામાં આપણી ભાષામાં કાઉન્સેલીંગ કરી શકે તેવા નિષ્ણાતો નહોતા. શાહિનને અંગ્રેજ કાઉન્સેલર પાસે મોકલી તેના માટે ઇન્ટરપ્રીટરની જોગવાઇ કરી શકાશે તેવું કહેવા જીપ્સીને મોકલ્યો. વાતચીત દરમિયાન શાહિને કહ્યું, “મારી એક બહેનપણીએ તેના ભાઇ માટે મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનો ભાઇ નસીમ કુરેશી જર્મનીમાં છે અને તે મને મારી બેઉ દીકરીઓ સાથે સ્વીકારવા તૈયાર છે. એટલું જ નહિ, એ તો જર્મની છોડી અહીં વસી જવા તૈયાર છે. શું કરવું મને સમજાતું નથી. આપણા ‘કલ્ચર’ વિશે અંગ્રેજો શું જાણે? તમે મને સલાહ ન આપી શકો?”

“હું તમને અનૌપચારીક સલાહ ન આપી શકું. તમારૂં ‘રીફરલ’ લઇ મારે તમારા કેસ વિશે ટીમમાં વાત કરવી પડશે. જો અમારા નિયમોમાં આ કેસ સામેલ થતો હોય અને તે મને સોંપવામાં આવે તો જ હું તમારો સોશિયલ વર્કર થઇ શકું.” આ નાનકડી ‘બ્યુરૉક્રસી’ બાદ શાહિનનો કેસ ફરીથી મારી પાસે આવ્યો.


શાહિનના પ્રસ્તાવિત મૂરતિયા વિશે શાહિનની બહેનપણી પાસેથી માહિતી મેળવતાં જાણવા મળ્યું કે તે સમયે જનરલ ઝિયા ઉલ-હકની સરમુખત્યારી અને પીપલ્સ પોલિટીકલ પાર્ટી સામેના તેમના અત્યાચારનો લાભ લઇ પાકિસ્તાનમાંથી હજારોની સંખ્યામાં સ્વીડન, નૉર્વે, નેધરલૅન્ડ તથા જર્મનીના ઉદાર ‘પોલિટીકલ એસાયલમ’ અંગેના નિયમોનો લાભ લઇ િરક્ષાવાળા, ઘોડાગાડીવાળા, મજુર અને બેકાર શિક્ષીતો ત્યાં પેસી ગયા હતા. તેમાંનો એક નસીમ હતો. ત્યાર બાદ બીબી બેનઝીર ચૂંટાયા ત્યારે ખાસ કરીને જર્મનીએ આવા રાજકીય નિરાશ્રીતોને પાછા પાકિસ્તાન મોકલવાનો નિર્ણય લઇ તેમને નોટિસ આપી હતી. ‘First Come First Go’નો નિયમ બનાવી તેમણે આવા લોકોને ડીપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. નસીમનો નંબર ત્રણે’ક મહિનામાં આવવાનો હતો. “મારો ભાઇ ડબલ ગ્રૅજ્યુએટ છે. શાહિન મારી વહાલી બહેનપણી છે, તેથી તેના પર અહેસાન કરવા મેં તેને તૈયાર કર્યો છે. એ તો પૈસા ખર્ચી અહીં શાહિનને મળવા પણ આવી ગયો હતો. અહીં આવીને મોટો અફસર થઇ જશે અને શાહિન તથા તેની દીકરીઓ ન્યાલ થઇ જશે.”


મેં શાહિન પાસે સમગ્ર વાત મૂકી. મારી દૃષ્ટીએ નસીમને શાહિન સાથે સગવડીયા લગ્ન કરવા છે. શાહિન હવે બ્રિટીશ નાગરિક હતી તેથી તેની સાથે લગ્ન કરી નસીમ અહીં સહેલાઇથી આવી શકશે એવું તેને લાગે છે. અગાઉ એક વાર જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં ‘પ્રાઇમરી પર્પઝ’ (લગ્ન કરવા પાછળનું અસલ કારણ પૂરવાર કરવાનો નિયમ) હજી ચાલતો હતો, તેથી લગ્ન પછી નસીમને અહીં રહેવા વિઝા મળશે એવી કોઇ ગૅરન્ટી નથી તે સુદ્ધાં મેં તેને જણાવ્યું. મેં કાઉન્સેલીંગનો બેસીક કોર્સ કર્યો હતો. હું જાણતો હતો કે મારૂં કામ શાહિનને નિર્ણય લેવામાં સરળતા પડે તે માટે પ્રસ્તાવના બધા પાસા બને એટલા સ્પષ્ટ કરી આપવા, દરેક નિર્ણય પાછળના ભયસ્થાનો અને તેમાંથી બચવા માટે તેની પાસે કયા પર્યાય છે તે બતાવી આપવાનું હતું. અંતે નિર્ણય તેણે જ લેવાનો હતો.

“ખુદા ન કરે, અને નસીમને અહીં આવવા ન મળે તો તમે મુલતાનની ગલીમાં બન્ને દીકરીઓ સાથે રહી શકશો?” મેં પૂછ્યું.

શાહિને મને જવાબ ન આપ્યો. જતાં પહેલાં મેં તેને કહ્યું કે ત્રણ મહિનામાં તે મારો સંપર્ક નહિ સાધે તો હું તેનો કેસ ‘ક્લોઝ’ કરીશ. પણ જો તેને અમારા ડીપાર્ટમેન્ટ તરફથી કોઇ પણ મદદની જરૂર હોય તો નિ:સંકોચ મને ફોન કરી શકે છે. તેનો ફોન ન આવ્યો અને અમે તેનો કેસ ‘ક્લોઝ’ કર્યો.

* * * * * * * *

ત્યાર પછીના બે વર્ષમાં ઘણી નવી વાતો થઇ ગઇ. મને અમારા ડીપાર્ટમેન્ટે લંડનની એક યુનિવર્સીટીમાં સોશિયલ વર્કરના કોર્સ માટે મોકલ્યો. પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિપ્લોમા લઇ હું તાજો જ પાછો આવ્યો હતો અને શાહિન બેગમનો ‘રી-ઓપન’ થયેલો કેસ મને મળ્યો. મેં તેને મળવા બોલાવી. મને જોઇ તે રડવા લાગી. તે સાત મહિનાની ગર્ભવતિ હતી. મેં તેને આશ્વાસન આપ્યું અને પાણીનો ગ્લાસ આપ્યો. શાંત થયા બાદ તેણે જે વાત કહી તે આ પ્રમાણે હતી:


“તમને છેલ્લે મળીને ગયા બાદ નસીમે અમને હૅમ્બર્ગથી રીટર્ન ટિકીટ મોકલી. હું તેને મળવા ગઇ તો તે મને અને જબીનને વળગીને રડવા લાગ્યો. તેને ડીપોર્ટેશનનો હુકમ મળ્યો હતો. તેણે મારા પ્રત્યે અને મારી બન્ને દિકરીઓ પ્રત્યે પ્રેમનો ઇઝહાર કર્યો. જો હું લગ્ન નહિ કરૂં તો તે બરબાદ થઇ જશે. અમારા સહુના સુકુન માટે મારે તેની સાથે તત્કાળ લગ્ન કરવા પડશે. મને તેના પર દયા આવી .... અને હું ફસાઇ ગઇ. તેને બ્રિટીશ વિઝા ન મળ્યો અને જર્મનીએ તેને ડીપોર્ટ કર્યો. હું તેની સાથે મુલતાન ગઇ અને ઇસ્લામાબાદ જઇ બ્રિટીશ હાઇકમીશનમાં અપીલ કરી. મહિનાઓ સુધી ચક્કર માર્યા બાદ તેમણે જણાવ્યું છે કે લંડનની ટ્રાઇબ્યુનલમાં અપીલ છ-સાત મહિના પછી અાવશે. તે દરમિયાન હું ગર્ભવતિ થઇ. હવે તમારે મને મદદ કરવાની છે,” કહી તે ફરી રડવા લાગી.

ખેર, અમારા સ્થાનિક કમ્યુનીટી લૉ સેન્ટરમાં આવા કેસ મફત લેવામાં આવતા. તેમનો કેસ-લોડ ભારે હોવા છતાં મારા મિત્ર બૅરીસ્ટર માઇકલ ગ્રીનબર્ગે શાહિનનો કેસ હાથમાં લીધો. કેસ ચાલ્યો ત્યારે તેમણે જીપ્સીને શાહિનના સોશિયલ વર્કર તરીકે સાહેદી આપવા બોલાવ્યો. નસીમને બ્રિટનમાં આવવા દેવાથી શાહિન તથા તેના ત્રણ બાળકો (સૌથી નાના બાબાનો પિતા નસીમ હતો)ને કેટલો આધાર મળશે તેવી મેં રજુઆત કરી. છેલ્લા ત્રણ વર્ષ શાહિને કેટલી મુશ્કેલીમાં કાઢ્યા હતા તેનું વર્ણન કર્યું. ટ્રાઇબ્યુનલે શાહિનની અરજી મંજુર કરી. નસીમને વિઝા મળી ગયો.

એક અઠવાડીયા બાદ શાહિન તેના ત્રણે બાળકોને લઇ મને મળવા આવી. આ વખતે તેણે પોતાની દિકરીઓને કહેલા ચાર શબ્દો મારા જીવનમાં યાદગાર રહી ગયા.

“બેટી, મામૂકો સલામ કરો.” નાની ફરખંદાએ હસીને મને સલામ કર્યા અને ચૉકલેટનો ડબો આપ્યો. તેમાંની એક ચૉકલેટ લઇ તેને ડબો પાછો આપ્યો. હસતે મુખે શાહિન તેના બાળકોને લઇ અૉફિસની બહાર ગઇ. ફરી એક વાર તેનો કેસ ‘ક્લોઝ’ કર્યો.


* * * * * * * *


આ વાતને ત્રણ-ચાર વર્ષ થઇ ગયા હશે. એક દિવસ રસ્તામાં બૅરીસ્ટર ગ્રીનબર્ગ અચાનક મળી ગયા. થોડી ખુશહાલીની વાત કર્યા બાદ કહે, “બાય ધ વે, તમારી ક્લાયન્ટ - શું નામ તેનું? શાહિન? હા, મને મળવા આવી હતી. તેના હસબંડને સિટીઝનશીપ મળી ગયા પછી તે શાહિનને છોડીને જતો રહ્યો. શાહિન મને પૂછતી હતી, ‘એવો કોઇ કાયદો છે જે આવા નમકહરામની સિટીઝનશીપ કૅન્સલ કરી તેને પાછો તેના મુલ્કમાં મોકલી શકે?’ Any way, it was nice seeing you again...”



Disclaimer: આ સંકલિત કેસવર્ક્સ ઉદાહરણ છે. કોઇ એક વ્વક્તિ કે પરિવારનું વર્નન નથી. કોઇ સ્થળે સમાનતા જણાય તો તે આકસ્મિક છે.

Jul
28

આંધી

                                  આંધી

તાઃ૨૭/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિસાબ કૉડી કૉડીનો રખાય,ને બક્ષીસ લાખની થાય
પ્રભુકૃપાની અજબ પેઢીમાં,ક્યારેય આંધી ના દેખાય
                                      ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
નાવિક ચલાવે નાવડી,ત્યાં મુસાફરો મસ્તીમાં ખોવાય
સફરનોઆનંદ સૌને મણાવી,સાથે ચાલક પણ હરખાય
જગતની નાવડી પ્રભુ હંકારે,ને જીવો કર્મબંધને જોડાય
ભક્તિ એવી સાંકળછે,જીવને સુખ સંમૃધ્ધિએ લઇ જાય
                                     ………..હિસાબ કૉડી કૉડીનો રખાય.
સમય નાપારખે માનવી,ને મોહમાયામાં લબદાઇ જાય
પાઠ મળે ત્યાં પરમાત્માનો,જેને જગે આંધી છે કહેવાય
શીતળ પવનની જ્યાં ગતી વધે,ત્યાં ઘરગામ વેડફાય
મેધરાજાની નારાજગીએ તો,ધરતી બંબાકાર થઇ જાય
                                        ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
મતી મળીછે દેહનેજન્મે,કોની કેવી કેટલી સમયે દેખાય
ભેદભાવની નાલકીર નાની,જ્યાં ન્યાય સર્જનહારે થાય
આશરો જેને પરમાત્માનો,જગતમાં વાળ ના વાંકો થાય
આંધીની કોઇ ચિંતાસતાવે,કે નાઆવે કોઇ કુદરતનોકોપ
                                         ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.

====*******====*******====******===

Jul
27

One Traffic Signal…


Alarm rings.... 8 0'clock...... He wake up, brushing teeth, taking bath, getting ready and leaving his room of chawl at 8:30. He starts walking towards main road. Main road is 15 minutes away from the chawl. There is a big traffic signal at main road. He come there at 8:45 and go to one tea stall at signal. He orders tea and wait there for start of the signals.
Signal starts daily at sharp 9. Traffic Policeman is coming at 8:50-8:55. First Traffic policeman comes near tea stall to start the signal. After he switch on the signals, he too takes tea at the same stall. 
He saw the traffic policeman very near by. and then he starts observing him. and He does that for two long hours. There are many other thing happens at signal but he has set his focal point to traffic policemen only. Traffic policeman is very efficient to handle the traffic. He manages the traffic such way that there is no jam at his signal. He got the award for that from the city police commissioner. Like inspection, he see how traffic policemen handles the traffic, gives more time to peak side traffic for signal. After observing him for long time, he concludes that traffic policemen is really good at handling traffic. 
At 11, He goes to his office. At 2, He again come back to signal, eat some snacks there only by standing and watching the traffic policeman's activity.
At 7, He leave the office and come back at Signal again. Traffic is at peak as everyone in the city is in hurry to reach the home and spend time with their near and dear ones. But not him, he is in no hurry. He still watching the same traffic policeman.
At 9:30,  Traffic slow down and it is time to stop the signal. Traffic policeman stops signal and then start to walk towards his home. He following him. Traffic policeman does not know that. Traffic policeman reach home at 10:10. Traffic policeman is living in government quarter. He knows the address of Traffic policeman. He got his quarter number from the panwala near quarters. After traffic policeman is enter the quarters, he starts back journey to his chawl. He reach his chawl at 11 and go to sleep.
That's his daily routine of almost a year, to be precise 355 days. He is alone. He is following this traffic policeman for 355 days. No one knows his motive. Neither any one noticed nor any one interested in his activity. He looks very ordinary people and there are many people like him at signal.
But Tomorrow will be different for him and for traffic policeman too. He decided to kill the traffic policeman. He is preparing this for last 355 days. He had bought one revolver with silencer from his chawl's gunda few days back. and learned how to use it.
Days starts normally as usual. But nothing is normal for him today. He is keep thinking what happened year ago. His wife was pregnant and she was having labor pain at 9 only. He called rickshaw and want to go near by hospital. For hospital, they have to cross the signal and then 10-15 mins drive. They started at 9:15 but... stuck with the traffic jam at signal around 9:30. The traffic policeman was not in sight there. May be he was not there at all. May be he was at leave. Whatever it was, They stuck there for 30 mins and then his wife died in the rickshaw only without seeing hospital gate.
He has suddenly come out of thought and see the traffic policeman at signal. He believes that traffic policeman is the culprit of his wife's death. Had he was at the signal year ago, his wife would be alive and he would be proud father of one year old children. but.....
Morning and noon time is normal and routine. He has decided he would kill him at night, when he about to reach his home.
At 7, he has reached at signal but what he saw. Again there is traffic jam and thousands of thought crossed his mind. Has the traffic policeman got the idea? has anyone complained that he is watching him since 355 days? but that should not happen. He hasn't tell anyone about it. He cut off himself from whole world and just observing traffic policeman. and no one ever asked him why he is doing that? then what happened? he asked the tea-wala about traffic policeman and tea-wala said 'he must be on leave today. he hasn't come after lunch and that's why there is traffic jam.'
He starts walking towards the quarters. His heart is pumping fast. He panicked that may be traffic policemen noticed him silently all these days and he knew about his motive. He go straight to traffic policeman quarter and what he see? 
Traffic policeman is celebrating his daughter's birthday. Wall decorated with ribbons '1st Happy Birthday to Vaidehi'....
Jul
27

जीवन की आपाधापी में

इलाहाबाद के कायस्थ परिवार में हरिवंशराय बच्चन जी जन्मे  थे। इनको बाल्यकाल में बच्चन कहा जाता था जिसका शाब्दिक अर्थ बच्चा या संतान होता है । बाद में ये इसी नाम से मशहूर हुए । इन्होंने कायस्थ पाठशालाओं में पहले उर्दू की शिक्षा ली जो उस समय कानून की डिग्री के लिए पहला कदम माना जाता था । इसके बाद उन्होने प्रयाग विश्वविद्यालय से अंग्रेजी में एम ए और कैम्ब्रिज विश्वविद्यालय से पी एच डी किया ।

उनके कुछ काव्य संग्रह मेरे दिल के बहुत करीब रहे है !  ऐसी ही एक कविता प्रस्तुत कर रहा हूँ  !

जीवन की आपाधापी में कब वक्त मिला

कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ,
जो किया, कहा, माना उसमें क्या बुरा भला।

जिस दिन मेरी चेतना जगी मैने देखा
मैं खड़ा हुआ हूँ इस दुनिया के मेले में,
हर एक यहाँ पर एक भुलाने में भूला
हर एक लगा है अपनी अपनी दे-ले मे
कुछ देर रहा हक्का बक्का, भौचक्का-सा,
आ गया कहाँ, क्या करूँ यहाँ, जाऊँ किस जा?
फिर एक तरफ़ से आया ही तो धक्का-सा
मैने भी बहना शुरू किया उस रेले में,
क्या बाहर की ठेला-पेली ही कुछ कम थी,
जो भीतर भी भावों का ऊहापोह मचा,
जो किया, उसी को करने की मजबूरी थी,
जो कहा, वही मन के अन्दर से उबल चला,
जीवन की आपाधापी में कब वक्त मिला
कुछ देर कहीं पर बैठ कभी यह सोच सकूँ,
जो किया, कहा, माना उसमें क्या बुरा-भला।

मेला जितना भडकीला रंग-रंगीला था,
मानस के अन्दर उतनी ही कमज़ोरी थी,
जितना ज़्यादा संचित करने की ख़्वाहिश थी,
उतनी ही छोटी अपने कर की झोरी थी,
जितनी ही बिरमे रहने की थी अभिलाषा,
उतना ही रेले तेज़ ढकेले जाते थे,
क्रय-विक्रय तो ठण्डे दिल से हो सकता है,
यह तो भागा-भागी की छीना-छोरी थी,
अब मुझसे पूछा जाता है क्या बतलाऊँ
क्या मान अकिंचन बिखराता पथ पर आया,
वह कौन रतन अनमोल मिला ऐसा मुझको,
जिस पर अपना मन प्राण निछावर कर आया,
यह थी तकदीरी बात मुझे गुण दोष न दो
जिसको समझा था सोना, वह मिट्टी निकली,
जिसको समझा था आँसू, वह मोती निकला।
जीवन की आपाधापी में कब वक्त मिला
कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ,
जो किया, कहा, माना उसमें क्या बुरा-भला।

मैं कितना ही भूलूँ, भटकूँ या भरमाऊँ,
है एक कहीं मंज़िल जो मुझे बुलाती है,
कितने ही मेरे पाँव पडे ऊँचे-नीचे,
प्रतिपल वह मेरे पास चली ही आती है,
मुझ पर विधि का आभार बहुत-सी बातों का।
पर मैं कृतज्ञ उसका इस पर सबसे ज़्यादा–
नभ ओले बरसाये, धरती शोले उगले,
अनवरत समय की चक्की चलती जाती है,
मैं जहाँ खडा था कल उस थल पर आज नही,
कल इसी जगह पर पाना मुझको मुश्किल है,
ले मापदंड जिसको परिवर्तित कर देतीं
केवल छूकर ही देश-काल की सीमाएँ
जग दे मुझपर फ़ैसला उसे जैसा भाए
लेकिन मैं तो बेरोक सफ़र में जीवन के
इस एक और पहलू से होकर निकल चला।
जीवन की आपाधापी में कब वक्त मिला
कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ,
जो किया, कहा, माना उसमें क्या भला-बुरा।

- हरिवंशराय बच्चन जी


Jul
27

સમૃદ્ધિ સાથે એકલતા અને માનસિક તાણ વધી છે

તમામ વ્યક્તિ આજે ટેન્શનમાં જીવે છે. જવાબદારીનો બોજ વધે કે એકસાથે અનેક દિશામાં દિવસભર મન-શરીરને લગાવવું પડે છે તેથી મન જુદી જુદી દિશામાં સ્ટ્રેચ થાય છે. આજનો માનવ પહેલાં કરતાં ૧૦૦ ગણા ટેન્શનમાં રહે છે અને તેથી ડિપ્રેશનમાં સપડાઇ જાય છે.

વધુઆગળ વાંચો...

Sign up for our daily email newsletter

Follow us on Twitter! Follow us on Twitter!
Follow us and get latest updates on Gujarati Blogs and Websites

ગુજરાતી સાહિત્ય, વિવિધ ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઇટ્સ વિશે શોધખોળ કરવા નીચેના બોક્સ પર તમારા શબ્દ ને ટાઈપ કરો અને સર્ચ દબાવો !

Archives

Professional Web Hosting with Neepra.com

RSS Top 5 blogs at WP

Blogroll