<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Neepra Aggregator</title>
	<atom:link href="http://www.neepra.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.neepra.com</link>
	<description>Daily updates on Gujarati blogs</description>
	<lastBuildDate>Sat, 19 May 2012 01:09:26 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.2</generator>
		<item>
		<title>ધુમાડો – રાકેશ હાંસલિયા</title>
		<link>http://www.readgujarati.com/2012/05/19/dhumado-gazal/</link>
		<comments>http://www.readgujarati.com/2012/05/19/dhumado-gazal/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 01:09:26 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[ગઝલ]]></category>
		<category><![CDATA[રાકેશ હાંસલિયા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=2586</guid>
		<description><![CDATA[[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ભલે આજ છે આ ચલમનો ધુમાડો, કદી એ જ બનશે અગમનો ધુમાડો ! નથી આયનામાં ચહેરો કળાતો, નડે છે બધાંને અહમનો ધુમાડો ! હૃદયમાં, ગલીમાં, નગરમાં, જગતમાં, સકળમાં ભમે છે ભરમનો ધુમાડો ! થશે કેમ ઝાંખી પ્રભુની ભગતને ? નડે છે નજરને ધરમનો ધુમાડો ! નહીં સાથ છોડે ભવોભવ બધાંનો, સદા સંગ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘અખંડ આનંદ’માંથી સાભાર.]</p>
<p>ભલે આજ છે આ ચલમનો ધુમાડો,<br />
કદી એ જ બનશે અગમનો ધુમાડો !</p>
<p>નથી આયનામાં ચહેરો કળાતો,<br />
નડે છે બધાંને અહમનો ધુમાડો !</p>
<p>હૃદયમાં, ગલીમાં, નગરમાં, જગતમાં,<br />
સકળમાં ભમે છે ભરમનો ધુમાડો !</p>
<p>થશે કેમ ઝાંખી પ્રભુની ભગતને ?<br />
નડે છે નજરને ધરમનો ધુમાડો !</p>
<p>નહીં સાથ છોડે ભવોભવ બધાંનો,<br />
સદા સંગ રહે છે કરમનો ધુમાડો !</p>
<p>હવામાં ભળ્યું છે કશું તો સુગંધી,<br />
હશે ધૂપ જેવો પરમનો ધુમાડો !?</p>
<p>કશું સિદ્ધ થાતું નથી અંત લગ પણ;<br />
અહીં સૌ કરે છે જનમનો ધુમાડો !</p>
<p>મહેકે છે તેથી જ લોબાન જેવું,<br />
નથી આ ગઝલ કૈં કલમનો ધુમાડો !</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/05/19/dhumado-gazal/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’</title>
		<link>http://www.readgujarati.com/2012/05/19/gazal-barkat/</link>
		<comments>http://www.readgujarati.com/2012/05/19/gazal-barkat/#comments</comments>
		<pubDate>Sat, 19 May 2012 01:07:53 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[ગઝલ]]></category>
		<category><![CDATA[રાજેશ વ્યાસ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=2584</guid>
		<description><![CDATA[[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] કોઈ ખેતર, કોઈ મિલકત ના રહી, ગામમાં જાવાની હિમ્મત ના રહી. આંસુઓમાં સાવ ભૂંસાઈ ગઈ, બાપદાદાની વસિયત ના રહી. છે બધા ફળિયામાં વંડીઓ હવે, કોઈ મજિયારી મહોબ્બત ના રહી. ગામ મારું શ્હેરની નબળી નકલ, ક્યાંયથી પોતાની કિસ્મત ના રહી. એ જ એનું એ જ છે સઘળું છતાં, સર્વ બદલાયું, એ બરકત ના [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]</p>
<p>કોઈ ખેતર, કોઈ મિલકત ના રહી,<br />
ગામમાં જાવાની હિમ્મત ના રહી.</p>
<p>આંસુઓમાં સાવ ભૂંસાઈ ગઈ,<br />
બાપદાદાની વસિયત ના રહી.</p>
<p>છે બધા ફળિયામાં વંડીઓ હવે,<br />
કોઈ મજિયારી મહોબ્બત ના રહી.</p>
<p>ગામ મારું શ્હેરની નબળી નકલ,<br />
ક્યાંયથી પોતાની કિસ્મત ના રહી.</p>
<p>એ જ એનું એ જ છે સઘળું છતાં,<br />
સર્વ બદલાયું, એ બરકત ના રહી.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/05/19/gazal-barkat/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>‘યયાતિ’ : વિ.સ.ખાંડેકર</title>
		<link>http://rajniagravat.wordpress.com/2012/05/18/yayati-v_s_khandekar/</link>
		<comments>http://rajniagravat.wordpress.com/2012/05/18/yayati-v_s_khandekar/#comments</comments>
		<pubDate>Fri, 18 May 2012 08:10:18 +0000</pubDate>
		<dc:creator>rajniagravat</dc:creator>
				<category><![CDATA[Art]]></category>
		<category><![CDATA[ઓશો]]></category>
		<category><![CDATA[ગોપાળરાવ ગ. વિદ્વાંસ]]></category>
		<category><![CDATA[ધર્મ]]></category>
		<category><![CDATA[યયાતિ]]></category>
		<category><![CDATA[વાંચન]]></category>
		<category><![CDATA[વિ.સં. ખાંડેકર]]></category>
		<category><![CDATA[સાહિત્ય]]></category>

		<guid isPermaLink="false">http://rajniagravat.wordpress.com/?p=1960</guid>
		<description><![CDATA[ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ થયો છે એ ‘યયાતિ’ નવલકથા, વિખ્યાત મરાઠી લેખક વિ.સં. ખાંડેકર  લિખિત જેનો અદભૂત અનુવાદ ગોપાળરાવ ગ. વિદ્વાંસ દ્વારા કરવામાં આવ્યો છે. વધુ વિગત જોઈએ તો - પ્રથમ આવૃત્તિ : ફેબ્રુ.૧૯૬૩ થી લઈને (મારા હાથમાં જે બૂક આવી છે &#8230; <a href="http://rajniagravat.wordpress.com/2012/05/18/yayati-v_s_khandekar/">Continue reading <span>&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=rajniagravat.wordpress.com&#38;blog=3566501&#38;post=1960&#38;subd=rajniagravat&#38;ref=&#38;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://rajniagravat.files.wordpress.com/2012/05/yayati.jpg"><img class="alignleft size-full wp-image-1963" title="યયાતિ " src="http://rajniagravat.files.wordpress.com/2012/05/yayati.jpg?w=500" alt=""   /></a></p>
<p>ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ થયો છે એ ‘<a href="http://tiny.cc/xaigew" >યયાતિ</a>’ નવલકથા, વિખ્યાત મરાઠી લેખક <a href="http://en.wikipedia.org/wiki/V._S._Khandekar" >વિ.સં. ખાંડેકર </a> લિખિત જેનો અદભૂત અનુવાદ ગોપાળરાવ ગ. વિદ્વાંસ દ્વારા કરવામાં આવ્યો છે.</p>
<p>વધુ વિગત જોઈએ તો -</p>
<p>પ્રથમ આવૃત્તિ : ફેબ્રુ.૧૯૬૩ થી લઈને (મારા હાથમાં જે બૂક આવી છે એ આઠમું પુન મુર્દ્રણ) મે ૨૦૦૯</p>
<p>પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય</p>
<p><em>ઉપર આપેલ પુસ્તકની લીંકમાં પણ કહે છે કે ઈમેજ નોટ અવેલેબલ , મારી બૂકની દશા ખાસ કંઈ સારી નથી એટલે ગૂગલ મહારાજની કૃપા થકી હિન્દી આવૃત્તિની ઈમેજ મૂકી છે. </em></p>
<p style="text-align:center;"><span style="color:#000080;">મારી આદત મૂજબ જે જે ટીક માર્ક કર્યું છે એ બધું ટાઈપ કરીને મૂકું છું. </span></p>
<p align="center"><strong>પ્રસ્તાવના</strong><strong></strong></p>
<p style="text-align:justify;">લેખનના પ્રારંભ કાળે એ (લેખક) પૂર્વાસૂરીઓનું – પૂર્વેના મહાન ગુરુઓનું અનુકરણ કરતો હોય છે; પણ જેમ જેમ એનો પ્રવાસ આગળ વધતો જાય છે તેમ તેમ રાજમાર્ગની પડખેની એક જુદી કેડી તેની નજરે પાડવા લાગે છે. એ કેડી એની એકલાની હોય છે. એ કેડી ઉપર સાથ આપનાર કોઈ સમાનધર્મી સાથી હોતો નથી. અનેક વાર ચોપાસ ઘોર અંધકાર વ્યાપેલો હોય છે. . . .</p>
<p style="text-align:center;" align="center"><strong>પાર્શ્વભૂમિ</strong><strong></strong></p>
<p style="text-align:justify;">આ જમાનામાં આધુનિક નવલકથા લેખકે વાર્તાના વસ્તુ માટે પુરાણો તરફ દોડવામાં વિચારોની પીછેહઠ તો નથી કરી?આજના સળગતા પ્રશ્નો પડતા મૂકી, આધુનિકતા સાથે જેને લેશ પણ લેવાદેવા નથી, જે અદભૂતરમ્યતાના ધુમ્મસમાં ઢંકાઈ ગયેલો છે, એવા પુરાણકાળનો આશ્રય જો લેખક લેવા માંડે તો એમાં કલા ક્યાં રહી? એમાં સામાજિકતા ક્યાં આવી?</p>
<p style="text-align:justify;">આવો સવાલ કરનારાઓનો પુરાણો સાથેનો પરિચય મોટેભાગે બાળપણમાં વાંચેલા ‘બાલરામાયણ’ અને ‘બાલમહાભારત’ જેવાં પુસ્તકો દ્વારા થયેલો હોય છે. એમણે પુરાણની કથાઓનું વિશાળ આકાશ જોયું તો હોય છે પણ એ દર્શન આંગણામાંની કૂંડીમાં પડેલા તેના પ્રતિબિંબ રૂપે! એ પ્રતિબિંબ પણ દિવસે દીઠું હોય છે – આકાશમાં વાદળાં ન હોય ત્યારે !</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">આજે હું રજૂ કરું છું તે ‘યયાતિ’ નવલકથાનો આ પૂર્વરંગ થયો! માત્ર આ નવલકથાના વસ્તુ પ્રત્યેનું આકર્ષણ મને ઉપર વર્ણવ્યા ૧૯૪૨ થી ૧૯૫૨ના દાયકાની અનુભૂતી પછી થયું એમ કોઈ માની લે તો એ ખ્યાલ સાવ ભૂલભર્યો જ ગણાશે ! છેલ્લા પિસ્તાળીશ વરસોથી આ વાર્તા મને કાયમ સાંભર્યા કરી છે.. . .</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">સદગુણી માણસ આ દુનિયામાં સુખી થશે જ એવું ચોક્કસ હોતું નથી. એમ કહો કે આત્મા જેટલો વધુ વિકાસ પામેલો હોય છે તેટલું તેનું દુઃખ અધિક હોય છે! પરંતુ આવો આત્મા પોતે સુખી ન હોય તોપણ અન્યને સુખી કરવામાં તે હંમેશા પ્રયત્નશીલ રહે છે; કેમકે એની ભાવનાની દુનિયા કેવળ પોતાનાં સુખો પૂરતી જ મર્યાદિત નથી હોતી !</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">આપણી નૈતિક દુનિયામાં જે બન્યું છે, જે બની રહ્યું છે, અને જે બનવાનો સમભાવ છે, એ ગમે તેટલું અણગમતું લાગતું હોય, અનિષ્ટ હોય કે અમંગલ હોય તોપણ,એમાં સામાન્ય માનવીનો દોષ ઓછો છે! એ સામાન્ય છે માટે જ પ્રવાહપતિત હોય છે! પરિસ્થિતિને કારણે એને એવા થવું પડે છે. અંતરમાં ઊંડા ઊતરીને વિચાર કરવાની અને સ્વતંત્ર વિચાર પછી એ અનુસાર આચરવાની શક્તિ એનામાં હોતી નથી. ચિંતન અર્થે જરૂરી એવી શાંતિ – એવું સ્વાસ્થ્ય એને કદી મળી શકતું નથી; એને રોજબરોજના ભરણપોષણમાંથી મુક્ત થવાની ટક પણ સાધારણ રીતે મળતી નથી&#8230;..</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">થાંભલામાંથી પ્રગટ થનારા નૃસિંહ સામાન્ય માનવીને ખોટા લાગે એથી ખેદ પામવાનું કારણ નથી. ખરી દુઃખની વાત એ છે કે હજુ અંત:કરણમાં વસી રહેલા ભગવાનનો પત્તો લાગ્યો નથી! આજનો માનવી મૂર્તિભંજક બન્યો છે એનું મને દુઃખ નથી; પરંતુ સામે જે મૂર્તિ દેખાય તેને ભાંગી પાડવી એ જ પોતાનો ધંધો છે, એવી જે માન્યતા એનામાં ઊભી થવા લાગી છે – અને ભલભલા માનવીઓ તરફથી જેને ટેકો અપાઈ રહ્યીઓ છે -  એ જ હકીકત માનવીની તેમજ માણસાઈની દ્રષ્ટિએ ભારે જોખમભરી છે.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">આ સામાન્ય માનવીએ જૂનું પાવિત્ર્ય ફેંકી દીધું છે, પરંતુ અંત:સ્ફૂર્તિથી પેદા થવું જોઈતું નવું પાવિત્ર્ય એને હજુ સાંપડ્યું નથી.અંગ્રેજી અમલના શરૂઆતના કાળમાં દેવ પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ અને એનું સ્થાન દેશ પ્રત્યેની ભક્તિએ લીધું. પણ આજે એ ભક્તિ દેશમાં કેતાકલે અંશે નજરે પડે છે?એના પ્રત્યક્ષ નમૂના જોવા હોય તો નાનામોટા આગેવાનોના બંગલાઓથી માંડીને એમની બેન્ક્બૂકો સુધી, છાપાંઓના તંત્રીઓના ટૂંકા અગ્રલેખોથી માંડીને એમના છાપાંમાં દેખાતી પુષ્કળ લાંબી જાહેરાતો સુધી, ક્ષુદ્ર મનને સૂક્ષ્મદર્શક કાચમાંથી જોયા કરનારા સાહીત્યકારોની પસંદગીથી માંડીને લખાણના પુરસ્કાર અર્થે ચાલતા એમના સુમેળ-દુમેળ સુધી, સામાન્ય માનવીની સિગારેટથી માંડીને એના સિનેમા સુધી, તેમ જ એની સ્ત્રીએ વાપરેલ બારીક મુલાયમ પરદેશી કાપડથી માંડીને એના પુત્રના હાથમાં રમતી આઠ ખૂનોવાળી જાસૂસી વાર્તાઓ સુધી, સઘળે ફરી વળીને જોઈ લ્યો !</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">.</p>
<p style="text-align:justify;">માનવી ક્ષણિક સુખોની પાછળ દોડવામાં તલ્લીન બન્યો છે; સુખ અને આનંદ વચ્ચેનો તફાવત એનાથી ઓળખી શકાતો નથી. હરકોઈ પ્રકારનું શરીરસુખ – પછી તે જીભને ચટકો લગાડી એની લહેજાતને કારણે એને ખુશખુશાલ કરી દેનાર બટાટાવડાનું હો અગર તો બીજું ગમે તે ઇન્દ્રિજન્ય તેમ ઇન્દ્રીયનિર્ભર સુખ હો – એક વખત ભોગવવાથી, દસ વખત ભોગવવાથી અગર હજાર વખત ભોગવવાથી માનવીને સંતોષ ભાગ્યે જ વળે છે. ઊલટાનું એ ક્ષણિક સુખ જતાં જતાં તે તે ઇન્દ્રિયને પોતાનો ચટકો લગાડતું જાય છે. એ ચટકામાંથી એનો ચસકો લાગે છે! પછીથી જરૂરીયાત તેમ જ મોજશોખ વચ્ચેનો તફાવત ઓળખવામાં એની શક્તિ બૂઠી બની જાય છે.</p>
<p style="text-align:justify;">એ તો દેખીતું જ છે કે ‘ઉપભોગ, વધુ ઉપભોગ’ વાલે યયાતિને રસ્તે જવાથી માણસ સુખી નથી થવાનો. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે દરેક વ્યક્તિએ વૈરાગ્ય લઇ લેવું જોઈએ, બ્રહ્મચારી રહેવું જોઈએ, સન્યાસી થઈ જવું જોઈએ, અમુક ચીજ ખાવી કે નહિ કે પેલી ચિક પીવી કે નહિ એનું વ્રત લેવું જોઈએ ! સામાન્ય માણસના જીવનમાં શરીરસુખને ઘણું મહત્વનું સ્થાન છે. એને પેટપૂર ખાવાનું મળવું જોઈએ, શરીર ઢાંકવા અર્થે પૂરતાં કપડાં પણ જોઈએ અને રહેવા માટે ભલે નાનકડી પણ સ્વચ્છ અને ટાપટીપભરી જગ્યા પણ જોઈએ.</p>
<p style="text-align:justify;">ઓછામાં ઓછા શરીરસુખનો મૂર્ખાઈભર્યો કાયદો માનવીને માથે લાદવાનો કશો અર્થ નથી. માનવી સ્વભાવતઃ વિરાગી નથી, ભોગી છે.</p>
<p style="text-align:justify;">નૈતિક તેમ જ સામાજિક મૂલ્યોની અધોગતિના આ યુગમાં મુખ્ય મહત્વનો સવાલ આ છે. આકાશમાંના તારાઓ હોલવાઈ જાય, મંદિરમાં દીવાઓ બુઝાઈ જાય એનો કશો વાંધો નથી; જ્યાં સુધી માનવીના અંત:કરણમાં માણસાઇની જ્યોત પ્રકાશ્યા કરશે, એની દ્રષ્ટિ આદર્શના ધ્રુવતારકની શોધ કર્યા કરશે, સંયમ એટલે પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવી દેવું નહિ, પરંતુ અન્યના સ્વાતંત્ર્યને અવકાશ આપવો એ હકીકત તે ભૂલી નહિ જાય, ત્યાં સુધી માનવીનું ભાવિ અંધકારભર્યું ભીષણ થશે એવો ભય રાખવાની જરાય જરૂર નથી.</p>
<p style="text-align:justify;">કામવાસના પણ ક્ષુધાની વાસના જેટલી જ સ્વાભાવિક વાસના છે. . .પરંતુ માનવીની કોઈપણ વાસના જો સદાય વાસનાની સપાટી પર જ રહે તો એનું રૂપાંતર ઉન્માદમાં થવાનો સંભવ હોય છે. કોઈપણ બાજુએથી એને ઉદ્દાતતાનો સ્પર્શ થવો જોઈએ. કામક્રોધાદિ તમામ વિકારો પ્રત્યેનું મારું દ્રષ્ટિબિંદુ પૂર્વગ્રહથી કલુષિત થયેલું નથી.પ્રાચીન કાળે એ મનોવિકારો માનવીના શત્રુઓ છે એમ મનાતું હતું, પરંતુ માનવીના એ મિત્રો છે,એ વિના એનું જીવતર છેક નીરસ બની જાય, એ હું પૂરેપૂરું સમજું છું તોપણ કૂતરો જેમ માનવીનો અત્યંત ઈમાની સેઅવક હોવા છતાં એને હડકવા થાય ત્યારે એ શત્રુ બને છે, તેવી જ દશા આ બધા મનોવિકારોની છે.</p>
<p style="text-align:justify;">આ બાબતમાં ફ્રોઈડથી  માંડીને કીન્સે સુધીના પાશ્ચાત્ય કામ શાસ્ત્રાગનો શું કહે છે તે હું જાણું છું પરંતુ કામવાસના અગર તો અન્ય કોઈ વાસના, માનવી જીવનમાં જો સતત વાસનાસ્વરૂપમાં જ રહ્યાં કરે તો તેમાં જોખમ રહેલું છે.</p>
<p style="text-align:center;">હવે નવલકથામાંથી . . . .</p>
<p>&#8220;રાજાને ત્યાં હું જનમ્યો તેથી રાજા બન્યો, ને રાજા તરીકે જીવ્યો. એમાં મારી કોઈ લાયકાત કે મારા ગુનો કારણરૂપ નથી. . . .&#8221;</p>
<p>“માતાના નખમાં પણ જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પત્નીના મુખમાં પણ . . . .”</p>
<p style="text-align:justify;">“દુનિયા માણસના દિલમાં રહેલી દયા પર નભતી નથી; એના વહેવાર માનવીના કાંડામાં રહેલી શક્તિ પર ચાલે છે. માનવી કેવળ પ્રેમ ઉપર જીવી શકતો નથી; એને અન્યને જીતીને જીવવું પડે છે.માનવી આ દુનિયામાં જે બધી ગડમથલ કરે છે તે ભોગ ભોગવવા અર્થે હોય છે. ત્યાગનાં પ્રવચનો મંદિરમાં શોભે; પણ જીવન એ મંદિર નથી,એ તો યુધ્ધનું રણમેદાન છે.”</p>
<p style="text-align:justify;">“ઉઘાડી આંખો કરતાં બીડેલી આંખોને જ શું કોઈ વાર વધુ દેખાતું હશે?”</p>
<p style="text-align:justify;">“મધરાતે ઝબકનાર તારાપુંજો સામે નિરખી રહેવામાં જે આનંદ છે, તે આનંદ ગગનના એ ઝુમ્મરોને ફોડી નાંખી એમાં ઝબકતી દિપજ્યોતીઓ બુઝાવી દેવામાં જરૂર નથી.”</p>
<p style="text-align:justify;">“પુરુષો મોંએથી શું બોલે છે તે તરફ સ્ત્રીઓ ધ્યાન નથી આપતી; તેમનું ધ્યાન હોય છે પુરુષોની આંખો ભણી !”</p>
<p style="text-align:justify;">“ખરી વાત છે કે દુનિયામાં હરેક વ્યક્તિ પોતા સારું જ જીવે છે. વૃક્ષો અને વેલાઓનાં મૂળ જેમ નજીકની ભીનાશ તરફ વધે છે, તેમ માણસો પણ સુખને સારુ નજીકનાં માનવીઓનો આધાર શોધે છે. આ વૃતિને જ દુનિયા કદી પ્રેમ તરીકે પિછાને છે. પણ સાચેસાચ તો એ આત્મપ્રેમ હોય છે. . . “</p>
<p style="text-align:justify;">“પ્રીતિનું સ્વરૂપ કોઈ વખત વિકસતા ફૂલ જેવું હોય છે તો કોઈ વાર તે ભડભડ બળતી જ્વાળાઓ સમું હોય છે; કદી કદી તે ચાંદનીનું સ્વરૂપ લ્યે છે તો કદી તે વિદ્યુત રૂપે ચમકે છે, કદી કદી તે હરણબાળનું સ્વરૂપ લે છે તો કોઈ વાર ફુત્કાર કરતી નાગણ રૂપે પ્રકટે છે; કદી તે જીવન ન્યોછાવર કરી દે છે તો કદી જીવન હરી પણ લે છે !”</p>
<p style="text-align:justify;">“આ જગતમાં સારાનરસાના, ખરાખોટાના, પાપપુણ્યના સાક્ષી કેવળ બે જ જણા છે. એક માનવીનો પોતાનો આત્મા અને બીજો સર્વસાક્ષી પરમાત્મા. પરમાત્મા સર્વસાક્ષી હશે, પણ નિરપરાધી માનવીના પક્ષે સાક્ષી આપવા એ દોડી આવે ખરો?”</p>
<p style="text-align:justify;">“પુરુષની આંખો જોતાં એ કામી છે કે નહિ, એ સ્ત્રી તુરત પારખી શકે છે! એની લાલસાભરી આંખ ઓળખાઈ જતાં જ આ શિકાર તુરત જ જાળમાં સપળાઈ જશે એ વિષે એની ખાતરી થઈ જાય છે.”</p>
<p style="text-align:justify;">“. . . પણ એની આંખોમાં મે લોલુપતા ન દીઠી.સ્ત્રીઓને આવા પુરુષો જ ગમે છે. તેમની પાછળ પાછળ ફરનારાઓ તરફથી તેઓ મોં ફેરવી જાય છે. જ્યારે તેમના તરફ જરાય નજર ન નાંખનારાની સાથે તેઓ પકડવાની રમત આદરી દે છે! કેવી વિચિત્ર વાત છે? પણ એ જ હકીકત છે.”</p>
<p style="text-align:justify;">“લંપટ પતિ જ પત્નીની મૂઠીમાં રહે છે !”</p>
<p style="text-align:justify;">“સ્ત્રી જો નવ મહિના સુધી ઉદરમાં ગર્ભ ધારણ ન કરી રાખે તો પુરુષ જન્મે જ ક્યાંથી? વાત કેટલી સાદી છે! સામાન્ય માનવી એ બધાનો સ્વીકાર કરીને જ જીવે છે.”</p>
<p style="text-align:justify;">“સ્ત્રીનું જીવન અને પુરુષોનું જીવન: બંનેમાં કેટલું મહદ અન્તર રહેલું છે! પુરુષ અમૂર્તની પાછળ સહેજ દોડી જઈ શકે છે. કીર્તિ,આત્મા,તપ,પરાક્રમ વગેરે બાબતો પ્રત્યે એ તુરત આકર્ષાય છે તેનું કારણ આ જ છે. પણ સ્ત્રી એ બધાંથી જલ્દીથી મોહાઇ જતી નથી.એના પ્રીતિ,પતિ,બાળકો, સેવા, સંસાર વગેરે બાબતો પ્રત્યે વધુ ખેંચાણ હોય છે. એ સંયમ પાળશે. ત્યાગ કરશે;પણ એ મૂર્ત બાબતો સારુ! પુરુષની પેઠે એને અમૂર્તનું આકર્ષણ નથી થતું.પોતાના સર્વસ્વના સમર્પણ દ્વારા પૂજન કરવા અર્થે, અગર તો પોતાનાં અશ્રુઓથી એને નવડાવી દેવા સારુ મૂર્તિની જરૂર રહે છે. પુરુષ સ્વભાવે જ આકાશનો પૂજક છે. સ્ત્રીને પૃથ્વીની પૂજા પ્રિય છે !”</p>
<p style="text-align:justify;">“શરીર અને આત્માનો સંગમ દુશ્મનાવટભર્યો નથી; એક જ રથનાં બે પૈડા છે. આ બે પૈડા પૈકી એકાદ પણ ભાંગી પડે તો બીજા પર બધો ભાર આવી પડે છે, અને એથી તુલા જોખમાય છે! આત્માની ઉન્નતિ ખાતર શરીરને દમવું અગર તો શરીરસુખ અર્થે આત્માને જડ બનાવી દેવો, એ બન્ને માર્ગો ભૂલભરેલા છે. ઈશ્વરે સર્જેલું આ સૃષ્ટિનું વિવિધ સૌંદર્ય અપવિત્ર અગર તો અસ્પૃશ્ય શી રીતે હોઈ શકે? સ્ત્રી અને પુરુષનો સંબંધ દેહ અને આત્મા સરખો છે. એકબીજાનો તિરસ્કાર કરીને નહિ પરંતુ પરસ્પર પ્રત્યે પ્રેમ દાખવીને – એવો પ્રેમ કે એમાં જાતનું સંપૂર્ણ રીતે વિસર્જન થઈ જાય એવો પ્રેમ દાખવીને જ સ્ત્રીપુરુષ સંસારમાં સ્વર્ગ સુખ પ્રાપ્ત કરી શકે છે.માટે જ સંસારને યજ્ઞ જેટલું જ પવિત્ર સ્થાન અપાયું છે. સામાન્ય માનવીનો એ જ ધર્મ છે.”</p>
<h2 style="text-align:center;">~ <span style="color:#ff0000;">અમૃતબિંદુ</span> ~</h2>
<p style="text-align:center;"><strong><em><a href="http://tiny.cc/tcigew">http://tiny.cc/tcigew</a> </em></strong></p>
<p>^ ઘણા સમય પહેલા ઓશોના પ્રવચનમાં &#8216;યયાતિ&#8217; વિશે સાંભળ્યું હતું  જે  માંથી  અમુક અંશો નેટ પર  પણ મળ્યા.</p>
<p><strong><em> </em></strong></p>
<br />  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/rajniagravat.wordpress.com/1960/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/rajniagravat.wordpress.com/1960/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/rajniagravat.wordpress.com/1960/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/rajniagravat.wordpress.com/1960/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/rajniagravat.wordpress.com/1960/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/rajniagravat.wordpress.com/1960/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/rajniagravat.wordpress.com/1960/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/rajniagravat.wordpress.com/1960/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/rajniagravat.wordpress.com/1960/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/rajniagravat.wordpress.com/1960/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/rajniagravat.wordpress.com/1960/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/rajniagravat.wordpress.com/1960/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/rajniagravat.wordpress.com/1960/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/rajniagravat.wordpress.com/1960/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=rajniagravat.wordpress.com&#038;blog=3566501&%23038;post=1960&%23038;subd=rajniagravat&%23038;ref=&%23038;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://rajniagravat.wordpress.com/2012/05/18/yayati-v_s_khandekar/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
<enclosure url="" length="" type="" />
<enclosure url="http://rajniagravat.files.wordpress.com/2012/05/yayati.jpg" length="" type="" />
		</item>
		<item>
		<title>ભારતીય સંસ્કૃતિના સર્જકો – દિનકર જોષી, યોગેશ પટેલ</title>
		<link>http://www.readgujarati.com/2012/05/18/sanskruti-sarjako/</link>
		<comments>http://www.readgujarati.com/2012/05/18/sanskruti-sarjako/#comments</comments>
		<pubDate>Fri, 18 May 2012 02:44:29 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અધ્યાત્મિક લેખ]]></category>
		<category><![CDATA[દિનકર જોષી]]></category>
		<category><![CDATA[યોગેશ પટેલ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=2580</guid>
		<description><![CDATA[[ ભારતમાં અવતરેલા ઉત્તમ મહાપુરુષો, ઋષિઓ અને સંતોના જીવનની ટૂંકી ઝાંખી કરાવતા સુંદર પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિના સર્જકો’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] યોગીશ્વર યાજ્ઞવલ્ક્ય ગીશ્વર યાજ્ઞવલ્યં નારાયણં નમસ્કૃત્ય – આ મંત્ર પ્રમાણે પ્રથમ નમસ્કાર યોગીશ્વર યાજ્ઞવલ્ક્યને અને ત્યાર પછી નારાયણને નમસ્કાર. આવી મહત્તા યાજ્ઞવલ્ક્યની છે. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ભારતમાં અવતરેલા ઉત્તમ મહાપુરુષો, ઋષિઓ અને સંતોના જીવનની ટૂંકી ઝાંખી કરાવતા સુંદર પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિના સર્જકો’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><strong><span style="color: #993366;">[1] યોગીશ્વર યાજ્ઞવલ્ક્ય</span></strong></p>
<p><img class="alignright size-full wp-image-2581" title="Picture 096" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/05/Picture-096.jpg" alt="" width="370" height="302" /><span class="dropcap">યો</span>ગીશ્વર યાજ્ઞવલ્યં નારાયણં નમસ્કૃત્ય – આ મંત્ર પ્રમાણે પ્રથમ નમસ્કાર યોગીશ્વર યાજ્ઞવલ્ક્યને અને ત્યાર પછી નારાયણને નમસ્કાર. આવી મહત્તા યાજ્ઞવલ્ક્યની છે. યાજ્ઞવલ્ક્યને ભારતીય તત્વજ્ઞાનના પિતા કહી શકાય. યાજ્ઞવલ્ક્યનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરમાં થયો હતો એવી એક રૂઢ માન્યતા છે. જન્મેજય (પરીક્ષિતનો પુત્ર) રાજાના સમકાલીન હોવાથી યાજ્ઞવલ્ક્યનો સમય આશરે 4,000 વર્ષ પહેલાનો ગણાય. પિતાનું નામ દેવરાત. માતા-સુનંદા. દેવરાતના બીજા નામો બ્રહ્મરાત, યાજ્ઞવલ્ક્ય, વાજ-સનિ પણ હતા. પૌરાણિક કથાઓ મુજબ યાજ્ઞવલ્ક્યને બ્રહ્માના અંશાવતાર કહ્યા છે. કેટલેક ઠેકાણે એમને સૂર્યના અવતાર તરીકે પણ વર્ણવ્યા છે. એમની જન્મ તિથિ શ્રાવણ સુદ પૂર્ણિમા (બળેવ) છે.</p>
<p>યાજ્ઞવલ્ક્યના ઉપનયન સંસ્કાર પછી વડનગરમાં જ વિદગ્ધ (પંડિત) શાકલ્ય ઋષિનું શિષ્યત્વ સ્વીકારી ઋગવેદનું અધ્યયન કર્યું. આનર્તના રાજા સુપ્રિયને ત્યાં ગુરુના આદેશથી પ્રાતઃ વિધિ કરવા ગયા પરંતુ રાજાના અપમાનજનક વર્તનથી પાછા આવ્યા. ગુરુ ગુસ્સે થયા ત્યારે યાજ્ઞવલ્ક્યે ગુરુએ શીખવાડેલો ઋગવેદ ઓકી નાખી ગુરુનો પરિત્યાગ કરી ચાલ્યા ગયા. ત્યાર પછી માતામહ મહર્ષિ વૈશંપાયન પાસે શીખેલો યુજુર્વેદ પણ ગુરુ સાથે થયેલા વિખવાદને પરિણામે ઓકી નાખ્યો અને ગુરુનો ત્યાગ કર્યો.<br />
<span id="more-2580"></span></p>
<p>યાજ્ઞવલ્ક્યે નક્કી કર્યું કે હવે મનુષ્યને ગુરુ નહીં બનાવું. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા તપસ્યા કરી. સૂર્ય ભગવાને તપસ્યાથી સંતુષ્ટ થઈ ઘોડારૂપે પ્રગટ થઈ હજુ સુધી કોઈને મળ્યો નહોતો એવો યજુર્વેદના મંત્રોનો ઉપદેશ આપ્યો, જે શુક્લ નામે જાણીતો છે. શુક્લ યજુર્વેદની આ શાખા વાજસનેય સંહિતા નામે પ્રસિદ્ધ થઈ જેના દષ્ટા યાજ્ઞવલ્ક્ય છે. વાજસનેયી સંહિતાના આચાર્ય હોવાથી ‘વાજસનેય’ નામે પણ યાજ્ઞવલ્ક્ય જાણીતા છે. સૂર્ય ભગવાનની સલાહથી ગૃહસ્થાશ્રમ લેવાનું સ્વીકાર્યું અને કાત્યાયની નામે સુંદર, સદગુણી કન્યા સાથે લગ્ન કર્યા. જનકની સભામાં દિગ્વિજય પછી બ્રહ્મવાદિની મૈત્રેયી સાથે લગ્ન કર્યા હતા. આકસ્મિક કારણે મહાસમર્થ પિપ્પલાદ યાજ્ઞવલ્ક્યનો દ્વેષ કરવા લાગ્યા અને યાજ્ઞવલ્ક્યને મારી નાંખવા કૃત્યા મોકલી. યાજ્ઞવલ્ક્યે શંકર ભગવાનનું શરણ લીધું. કૃત્યા શાંત થઈ ગઈ. શંકર ભગવાને યાજ્ઞવલ્ક્યને ‘યોગીશ્વર’ની પદવી આપી.</p>
<p>વૈદેહના જાની જનક શાલાંગને યાજ્ઞવલ્ક્યની કીર્તિ સાંભળી, ગુરુ બનાવી બ્રહ્મવિદ્યા ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ બ્રહ્મવિદ કોણ નક્કી કરવા સભા બોલાવી જાહેર કર્યું, ‘જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની હોય તે જેના પ્રત્યેક શિંગડે દસ-દસ સોનામહોરો બાંધી છે એવી આ હજાર ગાયો લઈ જાય.’ કોઈ ઋષિ આગળ ન આવ્યા. યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્ય સામશ્રવાને ગાયો પોતાના આશ્રમમાં લઈ જવા કહ્યું. પછી આર્તભાગ, ભુજ્યુ, ઉષસ્ત, કહોલ, ઉદ્દાલક, ગાર્ગી સાથે શાસ્ત્રાર્થ થયો અને યાજ્ઞવલ્ક્ય વિજયી ઠર્યા. (બૃહ. ઉપ. અ. 3) જનકને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો. સૂર્યે યાજ્ઞવલ્ક્યને વરદાન આપ્યું હતું કે જે કોઈ તારી વીસ વખત નિંદા કરશે એનું શિર જમીન પર પડી જશે. યાજ્ઞવલ્ક્યના આદ્યગુરુ શાકલ્યથી યાજ્ઞવલ્ક્યનો જનકની સભાનો વિજય જીરવાયો નહીં. દલીલોથી યાજ્ઞવલ્ક્યને હરાવી શકાય એ શક્ય નહોતું તેથી ક્રોધમાં આવી નિંદા કરવા લાગ્યાં. જ્યારે નિંદાનો આંકડો વીસ પર પહોંચ્યો ત્યારે એનું માથું જમીન પર કપાઈ પડ્યું.</p>
<p>યાજ્ઞવલ્ક્યને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. કાત્યાયનીને ગૃહસંપત્તિ, ભૂમિ, આશ્રમનો વહીવટ સોંપ્યો અને મૈત્રેયીની ઈચ્છા જાણી અંતે આત્મજ્ઞાન આપ્યું. યાજ્ઞવલ્ક્ય પછી એમના પુત્ર કાત્યાયને પિતાનું કાર્ય આગળ ચલાવ્યું.</p>
<p>યાજ્ઞવલ્ક્યના ગ્રંથો : શુકલ યજુર્વેદ, શતપથ બ્રાહ્મણ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય શિક્ષા, યાજ્ઞવલ્ક્ય ગીતા, પ્રતિજ્ઞા સૂત્ર, બૃહદારણ્યક ઉપનિષદના અ. 2, 3, 4માં યાજ્ઞવલક્યનો શાસ્ત્રાર્થ, બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ આધારિત વારસાહકનો દાયભાગ સિદ્ધાંત અદાલતો આજે પણ માન્ય કરે છે. યાજ્ઞવલ્ક્યમાં ત્યાગ, તપસ્યા, સદાચાર, ઉત્તમકોટિની ભક્તિ, સંયમ, નિર્ભયતા, વાકપટુતા, અગાધ વિદ્વતા, વિનમ્રતા, વિષય પ્રતિપાદનની વિશિષ્ટ શૈલી જોવા મળે છે. તેઓ સર્વશ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની, સગુણ-નિર્ગુણ બન્નેના ઉપાસક, પરંપરા બદલીને નવો માર્ગ સ્થાપનારા ક્રાંતિકારી, અનુપમ ચમત્કારીયોગી અને આદિત્યમતના પ્રવર્તક હતા. વ્યવહારશાસ્ત્ર-મંત્રશાસ્ત્ર-રાજ્યતંત્ર-દંડનીતિ-યોગ શાસ્ત્ર- સમાજહિત સંવર્ધક વિદ્યાઓના નિષ્ણાત હતા. શતપથ બ્રાહ્મણ દ્વારા કર્મકાંડના પ્રકાંડ પંડિત, બૃહદારણ્યક ઉપનિષદ દ્વારા અધિકારી તત્વવેત્તા, આચાર-વ્યવહાર-પ્રાયશ્ચિતના નિયમો દર્શાવતી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ દ્વારા ધર્મશાસ્ત્રવેત્તા તરીકે યાજ્ઞવલ્ક્ય પ્રસિદ્ધ છે. યાજ્ઞવલ્ક્ય પછી એવા સમર્થ તેજસ્વી ઋષિ પેદા થયા નથી. એમના પ્રદાનથી હિંદુધર્મ, વેદવિદ્યા, બ્રહ્મજ્ઞાનનું રહસ્ય જગત સારી રીતે સમજતું થયું, આમ તેઓએ સાંસ્કૃતિક ચિરંજીવિતા સ્થાપિત કરી. સૂર્યના પ્રિય શિષ્ય પોતાના કાળમાં જ્ઞાન-વિજ્ઞાનના ભાસ્કર હતા.<br />
.<br />
<strong><span style="color: #993366;"> [2] આચાર્ય ચાણક્ય</span></strong></p>
<p>‘વાલ્મીકિ અને વ્યાસ પછી જૂનામાં જૂનો લોકપ્રિય કવિ હોવાનું ચાણક્ય જ માન ધરાવે છે.’ – કેશવ હ. ધ્રુવ. ચાણક્ય ધર્મનો અવતાર હતા, બૃહસ્પતિ સમાન વિદ્વાન હતા. આદર્શ રાષ્ટ્ર, આદર્શ રાજ્યચિત્ર અને સુસંગઠિત અખંડ ભારતીય સામ્રાજ્યની પોતાની કલ્પનાને એ મહાપુરુષે ચોવીસ વર્ષમાં સાકાર કરી બતાવી. ચંદ્રગુપ્ત મૌર્યમાં આદર્શ રાજ્યચરિત્રનું નિર્માણ કરી બતાવ્યું, તત્કાલીન તેમ જ ભાવિ પેઢીના માર્ગદર્શન માટે ‘અર્થશાસ્ત્ર’ની રચના કરી, પોતપોતાના ક્ષુદ્ર સ્વાર્થોને કારણે આપસમાં લડતા નાનાં નાનાં રાજ્યોને એક છત્ર નીચે લાવી અખંડ ભારતીય સામ્રાજ્યની સ્થાપના કરી.</p>
<p>ચાણક્યના અંગત જીવન વિષે પ્રમાણભૂત માહિતી મળતી નથી. ચાણક્યનું વ્યક્તિવાચક નામ વિષ્ણુગુપ્ત. ચણક નામના બ્રાહ્મણનો પુત્ર અથવા ચણક નામના સ્થળનો રહેવાસી એટલે ચાણક્ય. કુટિલ ગોત્રનો હોવાથી યા તો કુટિલ ઋષિઓનો પૌત્ર હોવાને કારણે કૌટિલ્ય નામ હતું. આ ઉપરાંત વાત્સાયન, મલ્લિનાગ, દ્રામિલ, પક્ષિલસ્વામી, અંગુલ, વરાનક અને કાત્યાયન નામો પણ જોવા મળે છે.</p>
<p>ચાણક્ય તક્ષશિલાનો રહેવાસી હતો અને ત્યાં જ અધ્યયન અને અધ્યાપન કર્યું હતું. મગધ, પાટલિપુત્ર એનું કાર્યક્ષેત્ર હતું. ચાણક્ય કાળા રંગના, લાલ આંખોવાળા અને દેખાવે કદરુપા હતા એમ કહેવાય છે. ચાણક્યનો જન્મ ઈ.સ પૂર્વે 350ની આજુબાજુ હોય એ શક્ય છે. ચાણક્ય વેદ, દર્શન, દંડનીતિ, વાર્તા, કલાઓ, ગણિત, રસાયણ, આયુર્વેદ, શાસ્ત્રવિદ્યા વ. અનેક શાસ્ત્રોના જ્ઞાતા હતા. મહાબુદ્ધિમાન, ક્રોધી, ધીર, રાજકાર્યમાં અતિકુશળ, ખટપટી, મુત્સદી, ચિંતનશીલ અને પરમ કર્મઠ વ્યક્તિ હતા. રાજકારણમાં કૂટનીતિનો ઉપયોગ કરવામાં મનાતા હતા પરંતુ એમાં પોતાનો સ્વાર્થ ન હતો. આત્મવિશ્વાસ, સરળ અંતઃકરણ, દરેક પ્રસંગને પોતાના હેતુ માટે ફેરવી નાખવાની કુનેહ, ગુણોની કદર, સતત જાગૃત, સાદાઈ, અંગત મહત્વાકાંક્ષા કે સત્તાનો મોહ રાખ્યો ન હતો. તેઓ સખત, કડક અને કોઈવાર ઘાતક પણ થતા. સાધનોની શુદ્ધિનો આગ્રહ રાખ્યા વિના પોતાનો હેતુ સિદ્ધ કરવા કોઈપણ માર્ગ લેતા. દીર્ઘદષ્ટિ, પ્રતિભા, હિંમતથી શત્રુઓની બધી યોજનાઓ નિષ્ફળ બનાવી શકતા.</p>
<p>ચંદ્રગુપ્ત પણ દાસી પુત્ર હતો. નંદરાજાઓ શૂદ્ર, બ્રાહ્મણ દ્વેષી, મદાંધ હતા. ચંદ્રગુપ્તની મહત્વકાંક્ષા જોઈ ધનનંદે એને રાજ્યમાંથી હદપાર કર્યો હતો અને ચાણક્યનું રાજદરબારમાં ધનનંદે અપમાન કર્યું હતું એટલે ચાણક્યે પ્રતિજ્ઞા કરી હતી કે નંદવંશનો નાશ કર્યા પછી જ શિખા બાંધીશ. ચંદ્રગુપ્ત અને ચાણક્યનો મેળાપ થાય છે. સિકંદરના મૃત્યુ પછી ચાણક્યના માર્ગદર્શનથી સેલ્યુક્સને હરાવી ધનનંદને મારી નાખ્યો અને ઈ.સ પૂર્વે 322માં ચન્દ્રગુપ્તે ગાદીએ બેસીને, મોર્યવંશની સ્થાપના કરી. ચાણક્યે ચંદ્રગુપ્તના ગુરુ અને પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું. ચંદ્રગુપ્ત પ્રાચીન ભારતનો પહેલો ઐતિહાસિક સમ્રાટ હતો. ચાણક્યે પોતાની અસાધારણ બુદ્ધિ પ્રતિભાથી રાજનીતિનો પાયો સખત મજબૂત બનાવ્યો છે. ગુપ્ત વંશની કેટલીક પેઢીઓ આજની અપેક્ષાએ કેટલાયગણા અધિક વિશાળ ભારત પર સદીઓ સુધી શાસન કરવામાં સમર્થ થઈ. ચાણક્યના શાસન કૌટિલ્યનો આ વિજય હતો.</p>
<p>ચાણક્યના ગ્રંથો : ‘અર્થશાસ્ત્ર’ (6000 શ્લોક), ‘રાજનીતિ શાસ્ત્ર’ (1000 શ્લોક), ‘નીતિદર્પણ’ (348 શ્લોક), ‘લઘુ ચાણક્ય’ (108 શ્લોક), ‘વૃદ્ધ ચાણક્ય’ (250 શ્લોક), ‘ચાણક્ય સૂત્રો’ (571 સૂત્રો). આ ઉપરાંત ‘વાત્સાયન કામશાસ્ત્ર’, જ્યોતિષ પર ‘વિષ્ણુગુપ્ત સિદ્ધાંત’, આયુર્વેદ પર ‘વૈદ્યજીવન’ વ. ગ્રંથો એમના મનાય છે.</p>
<p>કૌટિલ્ય અર્થશાસ્ત્ર : આ જગતપ્રસિદ્ધ ગ્રંથ ચાણક્યના કીર્તિકળશ સમાન છે. આ ગ્રંથમાં 15 વિભાગો, 150 અધ્યાયો છે. ગ્રંથ રચના ઈ.સ. પૂર્વે 300ની આસપાસ. ગ્રંથમાં વર્ણાશ્રમધર્મ, રાજાના કર્તવ્યો, મંત્રી-પુરોહિત, દંડનીતિ, યુદ્ધનીતિસેના, કોષવૃદ્ધિ (કરવેરા અને તેનો વિનિયોગ), કૃષિ, પશુપાલન, વ્યાપાર, નગરવ્યવસ્થા, કાયદાઓ અને તેનો અમલ, દૂતસંસ્થા વ. વિષયો દ્વારા રાજનીતિ અને તેના સફળ વહીવટ માટે જરૂરી સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. સ્ત્રીઓ, કેદીઓ, વૃદ્ધો, વ્યાધિગ્રસ્ત, બાળકો, ખેડૂત-કારીગરોના હિતો, કેળવણી, સામાજિક પ્રશ્નો વ. બાબતમાં અને પ્રજાના સર્વાંગી કલ્યાણ માટે જે જે કરવું આવશ્યક હોય તે તમામ વિષે નિરૂપણ કરેલું છે. કૌટિલ્ય નિરંકુશ રાજસત્તાની હિમાયત કરે છે, છતાં રાજામાં હોવા જરૂરી ગુણ, કર્તવ્યોનાપાલન પર ખૂબ ભાર મૂક્યો છે. વૃદ્ધો, અનુભવીઓ, પુરોહિત, મંત્રીઓ સાથે સલાહ મંત્રણા કરવા જણાવ્યું છે. રાજા કર્તવ્યપાલન ચૂકે તો દંડપાત્ર ગણાતો હતો. આજના લોકતંત્ર કરતાં કૌટિલ્ય અપેક્ષિત રાજસત્તા વધુ જવાબદારીપૂર્ણ, પ્રગતિશીલ અને કલ્યાણકારી હતી. બાવીસસો વર્ષ પૂર્વે રચાયેલા આ કાલજયી ગ્રંથના ઘણા સિદ્ધાંતો આજે પણ મહત્વના છે. આ ગ્રંથમાં પ્રાચીન આચાર્યોના મતોની ચર્ચા છે. ઈ.સ. પૂર્વેના ભારતના સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક જીવન વિષે અગત્યની માહિતી આ ગ્રંથમાં આપેલી છે.</p>
<p>બિંદુસારના સમયમાં ચાણક્ય હયાત હતો અને ત્યારપછી સંન્યાસ લીધો હોય એમ અનુમાન કરાયું છે. ચાણક્ય એ ભારતના રાજનૈતિક ગુરુ હતા.</p>
<p>[કુલ પાન : 104. (મોટી સાઈઝ, પાકું પૂઠું) કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/05/18/sanskruti-sarjako/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ટેકરીઓની સાખે – હર્ષદ કાપડિયા</title>
		<link>http://www.readgujarati.com/2012/05/18/tekari-shakhe/</link>
		<comments>http://www.readgujarati.com/2012/05/18/tekari-shakhe/#comments</comments>
		<pubDate>Fri, 18 May 2012 02:39:32 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[હર્ષદ કાપડિયા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=2576</guid>
		<description><![CDATA[[ ટૂંકા લલિત નિબંધોના પુસ્તક ‘અતીતનો રણકાર’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] રની સામે એક નાની ટેકરી હોવી જોઈએ. દિવસના કે રાતના જુદા-જુદા પ્રહરમાં એને જોતા રહીએ. દરેક પ્રહરમાં એનું રૂપ અલગ-અલગ લાગે અને એને જોઈને મનમાં વિવિધ ભાવ જાગે. ટેકરી પૂર્વ તરફ હોય તો સવારે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ટૂંકા લલિત નિબંધોના પુસ્તક ‘અતીતનો રણકાર’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="size-full wp-image-2578 alignright" title="Picture 097" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/05/Picture-097.jpg" alt="" width="203" height="322" /><span class="dropcap">ઘ</span>રની સામે એક નાની ટેકરી હોવી જોઈએ. દિવસના કે રાતના જુદા-જુદા પ્રહરમાં એને જોતા રહીએ. દરેક પ્રહરમાં એનું રૂપ અલગ-અલગ લાગે અને એને જોઈને મનમાં વિવિધ ભાવ જાગે. ટેકરી પૂર્વ તરફ હોય તો સવારે સૂર્યના આગમન પહેલાં ટેકરીના અસ્તિત્વનો ઉદય શરૂ થઈ જાય. નજર સામેના કેન્વાસ પર એના બાહ્ય આકારની રેખાઓ ધીમેધીમે ઊપસવા માંડે ને થોડી વારમાં ટેકરી પ્રસન્ન વદને નજર સામે ગોઠવાઈ જાય. પછી સૂર્ય માથે ન ચઢે ત્યાં સુધી એ રમતી રહે. એના માથા પરનું એકાદ વૃક્ષ લીલી બોપટ્ટી બનીને એની શોભા વધારતું હોય. ક્યારેક એમાંથી પંખીઓનું ઝુંડ ઊડે અને ટેકરી તાળીઓ પાડતી ખિલખિલાટ હસી પડે. એમાંય વળી પંખીઓની બે પંક્તિઓ ‘વી’ આકારમાં ઊડે ત્યારે તો ટેકરી બે હાથ ઊંચા કરીને કૂદતી હોય એવું ભાસે. શિરામણ ટાણે ગાય ટેકરી પર ચરવા આવી પહોંચે. તલ્લીન થઈને ચરતી ગાય પૂંછડું હલાવે ત્યારે તો ટેકરીના હરખનો પાર ન રહે, પણ બપોર થતાં સુધીમાં તો એની આ હરખ ઝાકળની જેમ ઊડી જાય. એ આંખ મીંચીને સ્થિતપ્રજ્ઞ બની જાય.</p>
<p>ઘરની ઓશરીમાંથી દેખાતી અને ઘરની બારીમાંથી દેખાતી ટેકરીનાં રૂપ વચ્ચે પણ ઘણો ફરક પડે. ઓશરીમાંથી દેખાતી ટેકરીની મુદ્રામાં ફોટો પડાવવા ઊભી રહેતી બાળકીનો અણસાર વર્તાય. જ્યારે બારીમાંથી ડોકિયું કરતી ટેકરી સંતાકૂકડીની રમત રમ્યા કરે. જોકે એનામાં આપણને આશ્ચર્યચકિત કરી દેવાની ક્ષમતા વધારે હોય. તેમ બારીમાંથી અચાનક નજર કરો ત્યારે એ શું કરતી હશે એ કહેવાય નહીં. કાં તો એ વાદળની ફર ટોપી પહેરીને બેઠી હોય અને હિમાલયની નકલ કરતી હોય અથવા તો એકીટશે આકાશને તાકી રહી હોય અથવા બકરીઓ સાથે પકડદાવ રમતી હોય. પહેલા વરસાદમાં ભીંજાતી અને થોડા દિવસ પછી લીલા વાઘા પહેરતી ટેકરી, રાતે તારા ગણતી ટેકરી બારીમાંથી વધારે આત્મીય લાગે. આંગણામાંથી તો આખી ટેકરી દેખાય. પાશ્ચાદભૂમાં રહેલા આકાશનું કૅન્વાસ એના નાનકડા સ્વરૂપને વધારે નાનકડું બનાવી દે. તમને એની પરની પગદંડી દેખાયા કરે. એનો વાંકોચૂકો આકાર ટેકરીના આખા અસ્તિત્વમાં થોડીક ગતિ પૂરી દે. એમાંય જ્યારે ટેકરી લીલીછમ બનીને બેઠી હોય ત્યારે તો પેલી પગદંડી આકાશમાંથી પડીને થીજી ગયેલી વીજળી જેવી લાગે. આંગણામાંથી દેખાતી ટેકરી તમારી સામે હંમેશાં મોકળા મને ઊભી રહે.<br />
<span id="more-2576"></span></p>
<p>ઘરની પશ્ચિમ દિશામાં ગોઠવાયેલી ટેકરી પર પહેલાં ઉજાસની અલૌકિક આભા વરતાય. પછી એની પર ઉજાસ રેલાય. એ ઘડીએ ટેકરી ઈશ્વરની વિરાટ મૂર્તિ જેવી દેખાય. એના ચહેરા પર સૌમ્ય સ્મિત પ્રગટ્યું હોય. પછી સૂર્યના તડકાનો અભિષેક થાય ત્યારે તો બાહુબલિનું સ્વરૂપ યાદ આવે. દૂધની જેમ તડકાની ધાર થતી હોય તો એને પવિત્ર માનીને ગંગાજળની જેમ સાચવી રાખવા મન લલચાત. આવી ટેકરી નજર સામે હોય તો દેવની મૂર્તિની શી જરૂર ? ટેકરીને જોઈને ઈશ્વર યાદ આવે ને ટેકરીને મનોમન વંદન કરી લેવાય. આમ છતાં આપણા દેશની લગભગ બધી ટેકરીઓ પર મંદિર જોવા મળે. ટેકરી પર મંદિર, મંદિર પર ફરકતી ધજા, તળેટીથી ટોચ સુધીનાં પગથિયાં&#8230;. આ દશ્ય તો આપણા વ્યક્તિત્વનું એક પાસું છે. આપણે ટેકરી કે પર્વત પર મંદિરો શા માટે બાંધતાં હોઈશું ? ત્યાંથી આકાશ અને આકાશમાં વસતો ઈશ્વર વધારે નિકટ લાગતો હશે ? શિખર પર પહોંચ્યા પછી નીચેની સૃષ્ટિ જોઈને, ઊર્ધ્વગમનનો કે કશુંક સિદ્ધ કર્યાનો અનુભવ થતો હશે ? ઢળતી બપોરે સૂર્યને માથા પરથી પીઠ પાછળ ઢાળી દીધા પછી આપણી પશ્ચિમ બાજુની ટેકરી હળવીફૂલ બને ને એની છાયા આપણા સુધી લંબાય ત્યારે તો એને ટપલી માર્યાનો કે એને સ્પર્શ કર્યાનો અનુભવ થાય. સૂર્યાસ્ત પછી એની પર છવાતા આછા અંધકારમાં વિષાદની છાંટ ભળી જાય. ચોમાસામાં ટેકરી પરની ગતિવિધિ વધારે હોય. ઘાસનાં અંકૂર ફૂટતા હોય, એ પવનના સંગીતને વધુ મધુર બનાવતા હોય, વરસાદ પડે ત્યારે ટેકરી અને વૃક્ષ, ઘાસ અને પથ્થર એમાં નહાતાં હોય. જાણે ટેકરીનું આખું અસ્તિત્વ સાર્થક થતું લાગે. એ લીલી ચૂંદડી ઓઢીને નવોઢા બનીને બેસે, પરંતુ ઉનાળામાં એનો ચહેરો નંખાઈ જાય. એનો ભૂખરો પોશાક એને શોકગ્રસ્ત બનાવી દે.</p>
<p>તમે મુંબઈથી અમદાવાદ સુધીના નવા બંધાતા હાઈવે પર પ્રવાસ કરો તો ટેકરીઓની અવદશા જોવા મળે. ઠેરઠેર પડખાં કપાયેલી ટેકરીઓ દેખાય. એક જરાક મોટી ટેકરીનું તો મસ્તક જ વાઢી લેવાયું હતું. ફક્ત એનું ધડ ઊભું હતું. પેલા શિરચ્છેદ થયેલા રાજાનું ધડ લડતું રહ્યું હતું એ યાદ આવી ગયું. પણ આ ટેકરી કોની સામે લડવાની ? અને એનો શિરચ્છેદ નહોતો થયો ત્યારે પણ એ ક્યાં લડતી હતી ? બીજી એક ટેકરીની વધારે અવદશા હતી. એની ઉપર થોડાક મજૂરો ચઢી ગયા હતા અને ખાટકીની અદાથી ટેકરીને ખોતરી રહ્યા હતા. એક ટેકરીના પગ પાસે વૃક્ષોનાં શબ પડ્યાં હતાં જાણે કે દ્રૌપદી કૌરવોએ હણેલા પોતાના પુત્રોના શબ પાસે ઊભી રહીને કલ્પાંત કરતી હતી. હાઈવે પરની એક ટેકરી એવી પ્રતીક્ષા કરતી હતી કે રામ આવે ને અહલ્યા બનાવે. કદાચ કોઈક ત્રસ્ત ટેકરી સીતાની જેમ ધરતી પાસે મારગ પણ માગતી હશે. હાઈવે પરની ટેકરીઓને મુંબઈની ટેકરીઓની વેદનાની ક્યાંથી ખબર હોય ? ટેકરીઓ પર વસી ગયેલી વસાહતો જોઈને મડદાં પર બેઠેલાં ગીધ યાદ આવે. આ બધી ટેકરીઓની કાયા કોહવાઈ રહી છે અને એમાં જીવાતો પડી છે.</p>
<p>નાનકડી ટેકરી હોય, એની પાસેની નદી વહેતી હોય, એની પર નાનો પુલ હોય તો ભયોભયો. ટેકરીઓની સાખે કોઈકને ફૂલ આપ્યાની યાદ આપણા કવિને આવ્યા કરે છે, પણ ટેકરી ઘર પાસે જ હોય તો ? એ આપણા પ્રેમ, ઉષ્મા, વિષાદ, વિયોગ, મિલનની સાક્ષી બની જાય. એને જોઈને આ બધી લાગણીઓ વધુ ઉત્કટતાથી અનુભવાય. ટેકરી પણ આપણાં સ્પંદન પારખતી થઈ જાય. ખરેખર, ઘરની પાસે એક ટેકરી હોવી જોઈએ.</p>
<p>[ કુલ પાન : 160. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/05/18/tekari-shakhe/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ</title>
		<link>http://feedproxy.google.com/~r/layastaro/aoTS/~3/fQU_zGT-8X0/</link>
		<comments>http://feedproxy.google.com/~r/layastaro/aoTS/~3/fQU_zGT-8X0/#comments</comments>
		<pubDate>Fri, 18 May 2012 00:00:31 +0000</pubDate>
		<dc:creator>ઊર્મિ</dc:creator>
				<category><![CDATA[ઓડિયો]]></category>
		<category><![CDATA[ગઝલ]]></category>
		<category><![CDATA[રમેશ પારેખ]]></category>

		<guid isPermaLink="false">http://layastaro.com/?p=8358</guid>
		<description><![CDATA[આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પયગ]]></description>
			<content:encoded><![CDATA[આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં, ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું...<br/>
<br/>
Read more on the blog.<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?a=fQU_zGT-8X0:RJqiwmFuPYI:D7DqB2pKExk"><img src="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?i=fQU_zGT-8X0:RJqiwmFuPYI:D7DqB2pKExk" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?a=fQU_zGT-8X0:RJqiwmFuPYI:qj6IDK7rITs"><img src="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?d=qj6IDK7rITs" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?a=fQU_zGT-8X0:RJqiwmFuPYI:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/layastaro/aoTS/~4/fQU_zGT-8X0" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://layastaro.com/?feed=rss2&#038;p=8358</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
<enclosure url="http://urmisaagar.com/saagar/audio/aa-manpaancham-na-Ramesh-Parekh.mp3" length="4777057" type="audio/mpeg" />
		</item>
		<item>
		<title>વેકેશન પ્રવુત્તિઓ</title>
		<link>http://feedproxy.google.com/~r/blogspot/alpeshbhalala/~3/2lQll_-_Yyk/blog-post_17.html</link>
		<comments>http://feedproxy.google.com/~r/blogspot/alpeshbhalala/~3/2lQll_-_Yyk/blog-post_17.html#comments</comments>
		<pubDate>Thu, 17 May 2012 13:01:00 +0000</pubDate>
		<dc:creator>Alpesh Bhalala</dc:creator>
		
		<guid isPermaLink="false">http://www.neepra.com/?guid=151cda7062ac59373cebe84d27e0269a</guid>
		<description><![CDATA[
વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સેન્ટર, અમદાવાદ -&#160; વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં બાળકોથી લઈને મોટાઓન...]]></description>
			<content:encoded><![CDATA[<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સેન્ટર, અમદાવાદ -&nbsp; વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં બાળકોથી લઈને મોટાઓનેસહજતા અને સરળતાથી અઘરા જણાતા સિદ્ધાંતોને પ્રયોગો કે રમતો થકી મીઠાઈની જેમ ખવડાવી શકે છે. &nbsp; ત્યાં રહેલાં કાયમી મોડેલ્સ ઉપરાંત એમની પ્રયોગશાળાઓ ના ઉપયોગથી તમારું વેકેશન વિજ્ઞાનમય બનાવી શકો. વાલીઓ એમના સંતાનોને બીજી રમતોની સાથે સાથે આવી પ્રવુત્તિઓ કરાવે તો કેવું ?!<br />
<br />
આ વરસે આ સંસ્થા વેકેશનમાં બીજા સ્પેશીયલ પ્રોગ્રામ્સ પણ કરવાની&nbsp; છે અને ગણિતમાં શિક્ષકો માટે ખાસ તાલીમ પણ આપવાની છે. એક શિક્ષક આવી તાલીમ કે તો આખી શાળાને એનો લાભ મળે. અને આમ પણ આપણું શિક્ષણ સરળ, રમતા રમતા, કે સહજતાથી કુમળા મગજોમાં <span id="45_TRN_3d">ઉતારાતું </span> નથી ત્યારે આ પ્રોગ્રામની તાતી જરૂરિયાત પ્રવર્તે છે.&nbsp;<br />
<br />
આ રહી એ પ્રોગ્રામ્સ વિશેની વધુ માહિતી :<br />
૧) <a href="http://dl.dropbox.com/u/47417844/MATH-WS%20Poster.pdf" >આ પ્રોગ્રામનું પોસ્ટર&nbsp;</a> <br />
૨) <a href="http://dl.dropbox.com/u/47417844/MATH-WS%20Registration%20form.pdf" >આ પ્રોગ્રામનું પ્રવેશ ફોર્મ </a><br />
<br />
ભૌતિકવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટેનો પણ એક સરસ વેકેશન પ્રોગ્રામ આ સેન્ટરમાં ચાલે છે અને એની માહિતી <a href="http://vascsc.org/images/pdfs/14-02-11/Adv-BSc-2011-1.pdf" >અહીંથી મળી શકશે</a>.<br />
<br /></div><div class="blogger-post-footer"><img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8289183275234086319-409319312708743629?l=amdawadi.blogspot.com' alt='' /></div><img src="http://feeds.feedburner.com/~r/blogspot/alpeshbhalala/~4/2lQll_-_Yyk" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://amdawadi.blogspot.com/feeds/409319312708743629/comments/default</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>નીકળીએ – રમેશ પારેખ</title>
		<link>http://feedproxy.google.com/~r/layastaro/aoTS/~3/R7Eta5NvuKU/</link>
		<comments>http://feedproxy.google.com/~r/layastaro/aoTS/~3/R7Eta5NvuKU/#comments</comments>
		<pubDate>Thu, 17 May 2012 02:58:27 +0000</pubDate>
		<dc:creator>ધવલ</dc:creator>
				<category><![CDATA[ગઝલ]]></category>
		<category><![CDATA[રમેશ પારેખ]]></category>

		<guid isPermaLink="false">http://layastaro.com/?p=8351</guid>
		<description><![CDATA[ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ, ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ. એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ ]]></description>
			<content:encoded><![CDATA[ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ, ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ. એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ દ્વાર ખખડાવીએ છીએ, તો દ્વાર ખોલી જુઓ અમે કદાચ તમારી ખુશાલી...<br/>
<br/>
Read more on the blog.<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?a=R7Eta5NvuKU:NcDZkAy_gGg:D7DqB2pKExk"><img src="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?i=R7Eta5NvuKU:NcDZkAy_gGg:D7DqB2pKExk" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?a=R7Eta5NvuKU:NcDZkAy_gGg:qj6IDK7rITs"><img src="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?d=qj6IDK7rITs" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?a=R7Eta5NvuKU:NcDZkAy_gGg:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/layastaro/aoTS?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/layastaro/aoTS/~4/R7Eta5NvuKU" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://layastaro.com/?feed=rss2&#038;p=8351</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012 – તંત્રી</title>
		<link>http://www.readgujarati.com/2012/05/17/competition-info2012/</link>
		<comments>http://www.readgujarati.com/2012/05/17/competition-info2012/#comments</comments>
		<pubDate>Thu, 17 May 2012 02:02:06 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[તંત્રી નોંધ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=2565</guid>
		<description><![CDATA[પ્રિય વાચકમિત્રો, મે માસનો મધ્યાહ્ન એટલે રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની શરૂઆત. વર્ષ 2007થી આ ઉપક્રમ શરૂ થયો છે અને પ્રતિવર્ષ આશરે 50-60 જેટલા વાચકમિત્રો તેમાં ભાગ લે છે. આ સ્પર્ધાની વિશેષતા એ છે કે તે માત્ર નવોદિતો માટે જ છે. જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આમાં ભાગ લઈ શકતા નથી. તેથી કરીને ‘વિદ્વાન લેખકોની [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>પ્રિય વાચકમિત્રો,</p>
<p>મે માસનો મધ્યાહ્ન એટલે રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની શરૂઆત. વર્ષ 2007થી આ ઉપક્રમ શરૂ થયો છે અને પ્રતિવર્ષ આશરે 50-60 જેટલા વાચકમિત્રો તેમાં ભાગ લે છે. આ સ્પર્ધાની વિશેષતા એ છે કે તે માત્ર નવોદિતો માટે જ છે. જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આમાં ભાગ લઈ શકતા નથી. તેથી કરીને ‘વિદ્વાન લેખકોની આગળ આપણું લખાણ તો કેવું લાગશે ?’ એવો સ્પર્ધકનો સંકોચ દૂર થાય છે. આ માત્ર વાર્તા-સ્પર્ધા નથી, આ તો એક પ્રકારનો ટ્રેનિંગ કોર્સ છે. આ માધ્યમથી આખું વર્ષ રીડગુજરાતી વાંચનારો વાચક અને જેણે ક્યારેય કશું લખ્યું નથી, તે પોતાને ચકાસી શકે છે. પોતે લખવાની કોશિશ કરી શકે છે. તેને પોતાના જેવા સ્પર્ધકોની વાર્તાઓ તો જોવા મળે જ છે પરંતુ એ સાથે નિર્ણાયકોના જરૂરી સૂચનો પણ મળે છે.</p>
<p>કોઈ પણ ભાષાને સમય અનુસાર નવી કલમની જરૂર હોય છે. આ રીતે જો નવા યુવાનો લખતા થઈ શકે તો તેમના દ્વારા ભાષાની બહુ મોટી સેવા થઈ શકે. ગુજરાતી ભાષાને નવા વિષયો અને પ્રસંગો મળે, નવી વાર્તાઓ મળે અને સાહિત્યનું ઝરણું સતત વહેતું રહે. જેમણે કદી લખ્યું ન હોય એમને કદાચ એમ થાય કે એકદમ તો લખવાનું કેવી રીતે શરૂ કરવું ? – પરંતુ શરૂઆત કરવી એટલું કઠીન કામ નથી. કોઈક નજરે ચઢેલી ઘટનાઓ કે પ્રસંગોને વાર્તાસ્વરૂપમાં ઢાળીને મંગલાચરણ કરી શકાય છે. આપણા ઉત્તમ વાર્તાકારોની શૈલીનો ઝીણવટપૂર્વકનો અભ્યાસપણ આમાં મદદરૂપ થઈ શકે છે. કોઈ પણ વિષય પર ટૂંકીવાર્તા લખવા માટે બે મહિનાનો સમય પૂરતો છે. વિદેશમાં વસતા વાચકો પણ પોતાના અનુભવોને આધારે આ સ્પર્ધામાં ભાગ લેશે તો ગુજરાતી સાહિત્યને ખૂબ જ નવા વિષયો પ્રાપ્ત થશે.</p>
<p>મિત્રો, ઘણાબધા વાચકો સ્પર્ધાની સમાપ્તિ પછી એમ પૂછતા હોય છે કે બધી જ વાર્તાઓને રીડગુજરાતી પર સ્થાન આપવામાં કેમ નથી આવતું ? હકીકતે આ સ્પર્ધા એ વાર્તા-લેખનનો એક પ્રયાસ છે. તેથી તમામ વાર્તાઓ પૂર્ણરૂપે વાર્તા ન કહી શકાય તેવી પણ હોઈ શકે. ક્યાંક ભાષાની સજ્જતા ન હોય તો ક્યાંક એમાંનું વાર્તાતત્વ જ ગાયબ હોય ! નવોદિતોની સ્પર્ધા હોય એટલે આમ થવું સ્વાભાવિક છે પરંતુ તે છતાં વિજેતાઓની વાર્તાઓ તથા કેટલીક ચૂંટેલી વાર્તાઓને વર્ષ દરમિયાન જરૂરથી પ્રકાશિત કરવામાં આવે છે. એ વાતનો પણ અપાર આનંદ છે કે રીડગુજરાતીને નવોદિત સ્પર્ધકો તરફથી કેટલીક ઉત્તમ વાર્તાઓ પણ પ્રાપ્ત થઈ છે.</p>
<p>વાર્તા-સ્પર્ધાના નિયમો તથા અન્ય તમામ વિગતો માટે આ લેખના અંતે લીન્ક આપવામાં આવી છે. સ્પર્ધાનું સ્વરૂપ હંમેશની જેમ યથાવત રાખવામાં આવ્યું છે. વાર્તાઓ મોકલવા માટેની અંતિમ તારીખ 17મી જુલાઈ, 2012 છે. પરંતુ સૌ સ્પર્ધકોને વિનંતી કે તેઓ છેલ્લા દિવસો સુધી રાહ ન જોતાં પોતાની કૃતિ જેમ બને તેમ જલ્દીથી મોકલી આપે. પરદેશથી ભાગ લેનાર સ્પર્ધકોને આ માટે ખાસ વિનંતી. આ ઉપરાંત, વાર્તાનું સ્વરૂપ બરાબર જળવાય એ માટે પ્રતિવર્ષ કેટલાક સૂચનો આપવામાં આવે છે, જેની અહીં ફરી પુનરુક્તિ કરું છું :</p>
<p><strong>[1]</strong> નવોદિત તરીકે આપણે ભલે ટૂંકી વાર્તાના સ્વરૂપ કે તેની ગૂંથણીને ગહનતાથી ન જાણતા હોઈએ પરંતુ વાર્તાના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને તેના આદિ-મધ્ય-અંત વચ્ચે લય હોવો જરૂરી છે. વાર્તા અને પાત્રોને ગોઠવતા ક્યાંક વિષયાંતર ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. વાર્તાની શરૂઆત એકદમ રસપ્રદ હોવી જોઈએ.</p>
<p><strong>[2]</strong> વાર્તામાં બધી જ બાબતો એકદમ ખુલ્લી રીતે કે સ્પષ્ટ રીતે દર્શાવવાની નથી હોતી. પાત્રોના વ્યવહાર, હાવભાવ અને વાર્તાનો મૂળ વિષય તેના સંવાદો સાથે એ રીતે વણાયેલો હોવો જોઈએ કે વાચક થોડામાં ઘણું બધું સમજી શકે.</p>
<p><strong>[3]</strong> વાર્તાનું કામ ઉપદેશ આપવાનું નથી. તેથી તેમાં ઉપદેશાત્મક સંવાદો કે આદેશો ન હોવા જોઈએ. જો કોઈ વિશેષ બાબત વાર્તાના માધ્યમથી સમાજને અને દુનિયાને કહેવાની આવશ્યકતા જણાતી હોય તો તે બાબતને પાત્રોના આચરણ કે ઘટનાઓના સંદર્ભે વધારે સારી રીતે વર્ણવી શકાય.</p>
<p><strong>[4]</strong> વાર્તા એ અહેવાલ પણ નથી. એક પછી એક પ્રસંગોનું વર્ણન માત્ર કરવાથી વાર્તા નથી બનતી. એ તો એક ‘રીપોર્ટ’ બની જાય છે. પાત્રની મનોદશા, તેની આંતર-બાહ્ય સ્થિતિ, આસપાસનું વાતાવરણ, આર્થિક-સામાજિક સંદર્ભ – એ તમામ બાબતો એક સુંદર વાર્તાના નિર્માણની પાયાની આવશ્યકતા છે.</p>
<p><strong>[5]</strong> વાર્તામાં ઘટનાને તાદશ બનાવવા માટે તેની આસપાસની વિગતો વર્ણવવી જરૂરી હોય છે. જેમ કે એક બૅન્ક ઑફિસર વિશેની વાર્તા હોય તો બૅંકનું, તેના કાર્યનું, આસપાસના માહોલનું વર્ણન સમગ્ર દ્રશ્યને વાચકોના ચિત્તમાં જીવંત બનાવે છે.</p>
<p>વિશેષમાં, વાર્તા-સ્પર્ધામાં પ્રતિવર્ષ રૂ. 3001, રૂ. 2001 અને રૂ. 1001 એમ પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવે છે. આ પુરસ્કારની રકમ ઉપરાંત તમામ નિર્ણાયકોને વાર્તાઓની કોપી વગેરે મોકલવાનો ઈતર વ્યવસ્થાપન ખર્ચ – એમ કુલ મળીને રૂ. 7500 જેટલો ખર્ચ થતો હોય છે. જે દાતાઓ આ સ્પર્ધા માટે યોગદાન કરવા ઈચ્છતા હોય તેઓ પોતાની યથાશક્તિ પત્ર-પુષ્પરૂપે પોતાનું યોગદાન અહીં ક્લિક કરીને ઓનલાઈન ડોનેશન સુવિધા દ્વારા (<a title="donation" href="http://www.readgujarati.com/donation/" >Click Here</a>) અથવા મારો shah_mrugesh@yahoo.com પર સંપર્ક કરીને પહોંચાડી શકે છે.</p>
<p><strong>સ્પર્ધાની તમામ વિગતો આપ અહીં ક્લિક કરીને જોઈ શકો છો : <a title="competition details" href="http://www.readgujarati.com/story-competition2012/" >Click Here</a></strong></p>
<p>સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ સાથે તમામ વાચકમિત્રોને પ્રણામ.</p>
<p>લિ.<br />
મૃગેશ શાહ<br />
તંત્રી, રીડગુજરાતી.<br />
+91 9898064256.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/05/17/competition-info2012/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ગાંધીજી ફેસબુક પર હોત તો ? – ઉર્વીશ કોઠારી</title>
		<link>http://www.readgujarati.com/2012/05/17/gandhiji-facebook/</link>
		<comments>http://www.readgujarati.com/2012/05/17/gandhiji-facebook/#comments</comments>
		<pubDate>Thu, 17 May 2012 02:00:20 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[ઉર્વીશ કોઠારી]]></category>
		<category><![CDATA[હસો અને હસાવો]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=2568</guid>
		<description><![CDATA[[ તાજેતરના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલો આ હળવો રમૂજી લેખ બે અલગ-અલગ કાળને જોડીએ તો કેવું ચિત્ર ઉપસે તેની ઝાંખી કરાવે છે. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી ઉર્વીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે uakothari@yahoo.com સંપર્ક કરી શકો છો.] ધીજી સોની કે પાંચસોની ચલણી નોટ પર હોત તો?’ એવી કલ્પના [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ તાજેતરના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલો આ હળવો રમૂજી લેખ બે અલગ-અલગ કાળને જોડીએ તો કેવું ચિત્ર ઉપસે તેની ઝાંખી કરાવે છે. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી ઉર્વીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે uakothari@yahoo.com સંપર્ક કરી શકો છો.]</p>
<p><span class="dropcap">‘ગાં</span>ધીજી સોની કે પાંચસોની ચલણી નોટ પર હોત તો?’ એવી કલ્પના કરવામાં થોડા દાયકા મોડા છીએ. દરમિયાન, બીજાં ઘણાં દુઃસ્વપ્નની જેમ એ શક્યતા વાસ્તવિકતા બની ચૂકી છે. પણ ધારો કે ગાંધીજીના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ સુવિધા હોત તો ? બેશક, તેમના પ્રોફાઇલ પેજના કવર પિક્ચર- મુખ્ય તસવીર તરીકે ત્રણ વાંદરાના રમકડાની કનુ ગાંધીએ પાડેલી તસવીર બાપુએ મૂકી હોત- એટલે કે મુકાવી હોત. કારણ કે બાપુ પોતે થોડા ફેસબુક ઓપરેટ કરવા બેસે ? એ કામ તેમણે મહાદેવભાઇ દેસાઇને સોંપી દીઘું હોત. મહાદેવભાઇનું અકાળે અવસાન થયું ત્યારે સરદાર પટેલે કહ્યું પણ હોત કે ‘બિચારો મહાદેવ ! ફેસબુક પર બુદ્ધિના બળદીયાઓ જોડે લમણાં લેવામાં એનું આયુષ ઓછું થઇ ગયું.’</p>
<p>‘ફેસબુક’ પર એકાઉન્ટ ખોલવું કે નહીં એ વિશે શરૂઆતમાં ગાંધીજીના મનમાં ખાસી અવઢવ ચાલી હોત. ‘તેની પર જેટલો સમય બગડે, એટલું દેશને આઝાદી મળવામાં મોડું થશે’ – એવું વિચારીને તે ખચકાટ અનુભવતા હોત. પણ કાકાસાહેબ કાલેલકર જેવાએ તેમને સમજાવ્યા હોત કે આપણે છાપાં કાઢીએ છીએ તો પછી ફેસબુક શા માટે નહીં ? આપણે માઘ્યમથી મતલબ છે કે તેના દ્વારા આપવાના સંદેશાથી ? વર્ષો પછી માર્શલ મેક્લુઅને આ વાતને ‘મીડિયમ ઈઝ ધ મેસેજ’ તરીકે પ્રચલિત બનાવી હોત.<br />
<span id="more-2568"></span></p>
<p>પ્રોફાઇલ પિક્ચર તરીકે પોતાનો ફોટો મુકવાને બદલે ગાંધીજીએ ચરખો મૂક્યો હોત. પોતાના પરિચયમાં તેમણે વિદેશી કોલેજનાં નામ-ડિગ્રી ટાળીને ‘સ્ટડીડ એટ’માં ‘આલ્ફ્રેડ હાઇસ્કુલ, રાજકોટ’ લખાવ્યું હોત. એકાઉન્ટ ખોલ્યા પછી બધા સાથીદારોની સલાહથી ઉપરવટ જઇને, પહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તેમણે અંગ્રેજ વાઇસરોયને મોકલી હોત. તેનો સ્વીકાર કરવો કે નહીં તે માટે વાઇસરોયે બ્રિટન પુછાવવું પડ્યું હોત. ત્યાર પછી ખાનગી રાહે વાઈસરોયે ઝીણાને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું કહેવડાવ્યું હોત અને ગાંધી-ઝીણા બન્નેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસાથે સ્વીકારવાની જાહેરાત કરી હોત. ‘ફેસબુક’ પર પહેલું સ્ટેટસ શું મુકવું જોઇએ ? એવા મહાદેવભાઈના ક્ષણના પણ વિલંબ વિના જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું હોત : ‘લખો, મહાદેવ. સત્ય એ જ પરમેશ્વર.’ સ્ટેટસ મુકાયાની થોડી મિનિટોમાં ‘લાઇક’ અને કમેન્ટનો વરસાદ થયો હોત. મોટા ભાગના ‘લાઇક’ કરનારાએ રાબેતા મુજબ, પહેલાં ‘લાઇક’નું બટન દબાવ્યા પછી, સમયની અનુકૂળતા પ્રમાણે સ્ટેટસ વાંચ્યું હોત.</p>
<p>મોટા ભાગની કમેન્ટમાં એક જ સવાલ પૂછાયો હોત : ‘ફોટામાં ચરખો મૂક્યો છે ને નામ એમ. કે. ગાંધી લખ્યું છે, તે આ ગાંધીજીનું જ એકાઉન્ટ છે ? કે પછી કોઇ દારૂવાળો કે રાજકારણવાળો વઘુ એક વાર તેમનું નામ વટાવવા નીકળ્યો છે ?’ વારંવાર ખુલાસા કર્યા પછી મહાદેવભાઇએ આ ગાંધીજીનું સત્તાવાર એકાઉન્ટ હોવાનું જાહેર કર્યું હોત અને ફોટાની જગ્યાએ ‘બાપુના આશીર્વાદ’ એવી સહી મૂકી હોત.</p>
<p>ગાંધીજી ફેસબુક પર આવ્યાના સમાચાર ‘ટ્‌વીટર’ થકી ફેલાતાં, તેમની પર ફ્રેન્ડ રિક્વેસ્ટનો મારો થયો હોત. તેમાં જવાહરલાલ નેહરુ અને મીરાબહેનથી માંડીને સામાન્ય પ્રજાજનો, લેંકેશાયરના મિલમજૂરો અને દક્ષિણ આફ્રિકાના સાથીદારોનો સમાવેશ પણ થતો હોત. ફ્રેન્ડલિસ્ટ 5 હજારની મહત્તમ મર્યાદા ભણી સડસડાટ આગળ વધતું જોઇને ગાંધીજીએ નવું સ્ટેટસ મુકાવ્યું હોત : ‘હરિજનફાળામાં દાન કરનારની ફ્રેન્ડ રિક્વેસ્ટ જ સ્વીકારવામાં આવશે.’ પોતાનું એકાઉન્ટ નહીં ધરાવતા, પણ ફેસબુકમાં શું ચાલી રહ્યું છે તેનું ઘ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એકાઉન્ટ પરથી રાખતા સરદાર પટેલ ગાંધીજીની શરત વાંચીને મરક્યા હોત. બાજુમાં બેઠેલા માવળંકરને તેમણે કહ્યું હોત, ‘જોયું ? હજુ તો મહિનો પણ થયો નથી ને ડોસા જણાઈ આવ્યા.’</p>
<p>‘પણ તમે કેમ ફેસબુક પર ખાતું ખોલતા નથી ? હવે ગાંધીજીના ફ્રેન્ડલિસ્ટમાં આવવા માટે તો ખોલાવો.’ એવા આગ્રહના જવાબમાં સરદારે કહ્યું હોત, ‘મારે એમના ફ્રેન્ડલિસ્ટમાં આવવાની શી જરૂર ? એમણે આપણને જે આપવાનું હતું એ આપી દીઘું છે. એ પાળવા કોશિશ કરીએ તો ઘણું છે. મને એમના ફ્રેન્ડ તરીકે ઓળખાવામાં કોઇ રસ નથી.’ આ વાત ગાંધીજી સુધી પહોંચતાં તેમણે ખડખડાટ હસીને કહ્યું હોત, ‘વલ્લભભાઇની નિખાલસતાનો જય હો. એ તો આમ જ કહે.’</p>
<p>શરૂઆતમાં મહાદેવભાઇએ રોજ એક વાર ‘ફેસબુક’નું એકાઉન્ટ અપડેટ અને ચેક કરવું તથા રાત્રે સૂતાં પહેલાં તેનો રીપોર્ટ આપવો એવું ગાંધીજીએ ઠરાવ્યું હોત. તેમાં સોમવારે ‘મૌન’ પાળવાનો નિયમ ચાલુ રખાયો હોત. મહાદેવભાઇએ ‘ફેસબુક’ પર પોતાનું અલગ એકાઉન્ટ ખોલ્યું છે તેની એક દિવસ જાણ થતાં ગાંધીજીએ તેમને બરાબર ઠપકો આપ્યો હોત. ‘તમારે વળી એકાઉન્ટની શી જરૂર ? એવું તે શું લખ્યા વિના તમે રહી ગયા ? કવિતડાં લખશો ? ટોળટપ્પાં મારશો ? એ બધાને હું તો વ્યભિચાર ગણું. તમારે અલગ એકાઉન્ટ વાપરવું હોય તો મારું એકાઉન્ટ ચલાવવાનું કામ તમારે છોડવું જોઇએ.’ મહાદેવભાઇએ તત્કાળ પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરાવી દીઘું હોત. ગાંધીજીના ફેસબુક એકાઉન્ટના હજારો સબસ્ક્રાઈબર થયા હોત. તેમાંથી ઘણા પોતાને ‘ગાંધીવાદી’ ગણાવતા હોત, પણ તેમાંથી બહુ થોડા લોકોને ગાંધીજીની વાતમાં રસ હોત. મોટા ભાગના લોકો દેખાદેખી કે ગાંધીજીને સેલિબ્રિટી ગણીને તેમનું એકાઉન્ટ સબસ્ક્રાઇબ કરતા હોત. સંખ્યા વિશે કોઇ પ્રકારના ભ્રમ ન ધરાવતા ગાંધીજીએ કહ્યું હોત, ‘જે સંખ્યાના જોરે કૂદાકડા મારે છે તે પડવાને સારુ. સેંકડો સબસ્ક્રાઇબર્સથી કોઇનો ઉદ્ધાર થયેલો જાણ્યો નથી. લાખો ઓનલાઇન સબસ્ક્રાઇબર્સ કરતાં એક સાચા સાથીનું મૂલ્ય મારે મન વધારે છે.’</p>
<p>‘હિંદ છોડો’ ચળવળ વખતે અંગ્રેજોએ ફેસબુક પર પ્રતિબંધ મૂકતાં ગાંધીજીએ નારો આપ્યો હોત, ‘(સ્ટેટઅસ અપડેટ) કરેંગે યા મરેંગે.’ અંગ્રેજોને પણ સમજાયું હોત કે ‘ફેસબુક’ પર પ્રતિબંધ મૂકવા કરતાં, એ ચાલવા દેવામાં વધારે ફાયદો છે. કારણ કે મોટા ભાગના લોકોનો રોષ ‘ફેસબુક’ પર નીકળી જાય છે. ગાંધીજી જેવા રાજદ્વારી કેદીઓને જેલમાં પણ દિવસમાં એક વાર ફેસબુક વાપરવાની સુવિધા અપાઈ હોત, પરંતુ તેમાં એવી સેન્સરશીપ હોત કે એ ફક્ત જોઈ શકે- પોતાનું સ્ટેટસ અપડેટ કરી શકે નહીં.</p>
<p>ગાંધીજીના એકાઉન્ટ પર સ્ટેટસ અપડેટ બંધ થયાના થોડા દિવસ સુધી લોકો તેમને શુભેચ્છા સંદેશ મોકલતા હોત, પણ ધીમે ધીમે બે-ત્રણ અઠવાડિયાં પછી તેમના લાખો સબસ્ક્રાઇબર્સમાંથી મોટા ભાગના ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી જેલમાં છે. કેટલાક તો એ પણ ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી છે. જેલમાંથી બહાર આવ્યા પછી પ્યારેલાલે ગાંધીજીનું ફેસબુક ખાતું સંભાળ્યું હોત, પણ કોમી હિંસાના દિવસોમાં પોતાના સંદેશા અંગે લોકોની હિંસક પ્રતિક્રિયાઓ જોઇને ગાંધીજી સ્તબ્ધ થઇ ગયા હોત. ગાંધીજી જેટલી વાર માણસાઈ રાખવાની અને શાંતિ જાળવવાની અપીલ મુકે એટલી વાર ‘પંજાબમાં હિંદુઓને માર્યા ત્યારે તમે ક્યાં ગયા હતા?’ કે ‘કાશ્મીરમાં હિંદુઓને હાંકી કાઢ્યા ત્યારે તમે ક્યાં હતા ?’એવા સવાલ તેમને પૂછાતા હોત. ગાંધીજી તેનો જવાબ આપે એટલે તરત ‘એ બઘું ઠીક છે, પણ તમે લાહોરમાં હિંદુઓની કત્લેઆમ થઇ ત્યારે ક્યાં ગયા હતા ?’ એવા સવાલ તૈયાર જ હોત.</p>
<p>શાંતિ જાળવવાની ગાંધીજીની એક અપીલ નીચે કમેન્ટમાં નથુરામ ગોડસેએ લખ્યું હોત : ધડામ. ધડામ. ધડામ. ગોડસેની કમેન્ટ નીચે ‘આરઆઇપી’ (રેસ્ટ ઇન પીસ)ના ઢગ ખડકાયા હોત.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/05/17/gandhiji-facebook/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>

